સુપ્રીમ કોર્ટે નાગરિકતા કાયદા પર પ્રતિબંધ લગાવવાનો ઈન્કાર કર્યો, કેન્દ્ર પાસે 144 અરજીઓ અંગે 4 સપ્તાહમાં જવાબ માંગ્યો

નાગરિકતા સંશોધન કાયદો (CAA) વિશે દાખલ 144 અરજીઓ પર સુપ્રીમ કોર્ટમાં બુધવારે સુનાવણી કરવામાં આવી હતી. આ દરમિયાન ચીફ જસ્ટિલ એસએ બોબડે, જસ્ટિસ એસ અબ્દુલ નઝીર અને જસ્ટિસ સંજીવ ખન્નાની બેન્ચે સુનાવણી દરમિયાન કહ્યું કે, આ મામલે કેન્દ્ર સરકારનો પક્ષ પણ સાંભળવામાં આવશે. બંને પક્ષને સાંભળી ન લઈએ ત્યાં સુધી કાયદા પર પ્રતિબંધ ન લગાવી […]

Continue Reading

વિશ્વના સૌથી મોટા મોટેરા સ્ટેડિયમનું ઉદઘાટન મોદી-ટ્રમ્પના હસ્તે

શહેરનું મોટેરા સ્ટેડિયમ છેલ્લા સાડા ત્રણ દાયકાથી  વિવિધ વર્લ્ડ રેકોર્ડ માટે જાણીતું હતું અને હવે તેનું પુનઃનિર્માણનું કાર્ય પૂર્ણતાને આરે છે ત્યારે સવા લાખ પ્રેક્ષકોને સમાવવાની ક્ષમતા ધરાવતા સરદાર પટેલ ગુજરાત સ્ટેડિયમનું ઉદઘાટન પણ ભવ્ય રીતે થવા જઈ રહ્યું છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના હસ્તે ફેબ્રુઆરીના બીજા સપ્તાહમાં વિશ્વના આ […]

Continue Reading

ગમે તેટલો વિરોધ કરો, નાગરિકતા સંશોધન કાયદો પરત નહીં લેવાય : શાહ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે નાગરિકતા સંશોધન કાયદો (સીએએ)ના સમર્થનમાં ઉત્તર પ્રદેશના પાટનગર લખનઉમાં એક જાહેરસભા યોજી હતી. આ સભામાં તેમણે ભાષણની શરૂઆત ‘ભારત માતા કી જય’ના સૂત્રો સાથે કરી હતી. સભામાં અમિત શાહે સમાજવાદી પાર્ટી (સપા), કોંગ્રેસ, બહુજન સમાજ પાર્ટી (બસપા), તૃમણૂલ કોંગ્રેસ (ટીએમસી)ને નાગરિકતા કાયદાને લઈને થઈ રહેલી હિંસા બદલ જવાબદાર ઠેરવ્યા હતા. ગૃહ […]

Continue Reading

ટેરર ફન્ડિંગ સાથે સંકળાયેલું રેલવે ઇ-ટિકિટ કૌભાંડ ઝડપાયુ, માસ્ટરમાઇન્ડ બોમ્બ વિસ્ફોટનો આરોપી હોવાની આશંકા: RPF

ભારતમાં ટેરર ફન્ડિંગ કેટલી હદ સુધી તેના મૂળિયા જમાવી ચૂક્યુ છે તેનો અંદાજો તાજેતરના ઇ-ટિકિટિંગ રૈકેટ પરથી આવી શકે એમ છે. રેલવે સુરક્ષા દળ (આરપીએફ) દ્વારા મોટુ ઇ-ટિકિટિંગ રૈકેટનો ખુલાસો કરવામાં આવ્યો છે, જેના લિન્ક દુબઇ, પાકિસ્તાન અને બાંગ્લાદેશ સાથે જોડાઇ હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે.  RPF ડાયરેક્ટર જનરલ અરુણ કુમારે આ અંગે માહિતી આપતા […]

Continue Reading

14 માળની કાપડ માર્કેટની આગ 15 કલાક બાદ પણ બેકાબૂ, 4 કરોડ લિટર પાણીનો વપરાશ, ફાયર બ્રિગેડનો જવાન ઈજાગ્રસ્ત

શહેરના પુણા-સારોલી રોડ પર આવેલા રઘુવીર સિલિયમ માર્કેટમાં મળસ્કે ત્રણ વાગ્યાની આસપાસ ચોથા માળ પર શોટ સર્કિટને કારણે આગ લાગી હતી. આ આગ 15 કલાક બાદ પણ કાબૂમાં આવી નથી. આગ જોત જોતામાં ચોથા માળ પર ફેલાઇ ગઇ હતી અને ત્યાર બાદ નીચેના ભાગમાં અને ઉપરના ભાગમાં આવેલી માર્કેટની તમામ દુકાનોને ઝપટમાં લીધી હતી. આગે […]

Continue Reading

ચીનમાં 6ના મોત, ત્યાંથી ભારત આવતા પ્રવાસીઓની એરપોર્ટ પર તપાસ થશે, ક્રૂ મેમ્બર પણ ફ્લાઇટમાં જાણકારી માંગશે

SARS જેવા કોરોના વાયરસની ચપેટમાં અત્યાર સુધી ચીનના 300 લોકો આવી ચૂક્યાં છે. ચીનના હેલ્થ કમિશને મંગળવારે જણાવ્યું કે અત્યાર સુધી આ રહસ્યમય વાયરસના લીધે 6 લોકોનું મોત થઇ ચૂક્યું છે. 80 નવા કેસ સામે આવ્યા છે. વુહાન શહેર આ વાયરસના લીધે સૌથી વધારે પ્રભાવિત છે. ભારતમાં કોલકાતા, દિલ્હી અને મુંબઈના એરપોર્ટ પર વુહાનથી આવનારા […]

Continue Reading

ભારતને જવાબ આપવા માટે અમે ઘણા નાના છીએ: મલેશિયાની શાન ઠેકાણે આવી

કાશ્મીરમાંથી આર્ટીકલ 370 હટાવવાના મુદ્દે આંતરરાષ્ટ્રીય સ્તરે નિવેદનો કરી ભારતનો વિરોધ કરી રહેલું મલેશિયાની શાન ઠેકાણે આવી રહી હોવાનું જોવા મળી રહ્યું છે. ભારત તરફથી પામ ઓઇલની ખરીદીમાં મોટા પ્રમાણમાં ઘટાડો કરવાથી મલેશિયા ગભરાહટ હવે ખુલ્લેઆમ જોઇ શકાય છે. મલેશિયાના વડાપ્રધાન મહાતિરે તાજેતરમાં નિવેદન આપી સમાધાનના સંકેત આપ્યા છે. કાશ્મીર મુદ્દે ભારતનો સતત વિરોધ કરી […]

Continue Reading

સાંઇ જન્મસ્થળ વિવાદ ઉકેલાયો, પાથરીને 100 કરોડ રુપિયાનું ફંડ, સીએમએ બધી શરતો સ્વીકારી

સાંઇ જન્મસ્થળ વિવાદનો ઉકેલ આવી ગયો છે. સોમવારે મહારાષ્ટ્ર મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ શિરડી વિવાદ પર મહત્વની બેઠક બોલાવી હતી, જેમાં શિરડી અને પાથરી ગ્રામસભા, સાંઇબાબા મંદિર ટ્રસ્ટના સીઇઓ સામેલ થયા હતા. મંત્રણા બેઠક દરમિયાન સીએમએ તેમને આશ્વાસન આપ્યુ હતું કે સાંઇબાબા જન્મસ્થળને લઇને હવે કોઇ વિવાદ થશે નહી. શિરડીથી શિવસેના નેતા કમલાકરે આ મુદ્દે જણાવ્યું […]

Continue Reading

કેન્દ્રશાસિત પ્રદેશ J&K: પુલવામામાં CRPF કેમ્પ પર આતંકીઓનો ગ્રેનેડ હુમલો

કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીરના પુલવામામાં આતંકીઓએ CRPF કેમ્પ પર ગ્રેનેડ હુમલો કર્યો છે. આ હુમલો પુલવામાના નેવા ગામ ખાતે કરવામાં આવ્યો હતો. આ હુમલામાં કોઇ જાનહાનિના અહેવાલ નથી, પરંતુ આતંકી હુમલા પગલે સુરક્ષા દળે સમગ્ર વિસ્તારમાં ભારે નાકાબંધી કરી છે અને આતંકીઓને તપાસ આદરી છે. આ પહેલા શોપિયા ખાતે સુરક્ષા દળના જવાનોએ આતંકીઓ સાથે અથડામણમાં ત્રણ […]

Continue Reading

દક્ષિણ ભારતમાં બ્રમ્હોસથી સજ્જ સુખોઈ-30નું પહેલું સ્ક્વોડ્રન ટાઇગર શાર્ક તહેનાત, તે હિન્દ મહાસાગરની દેખરેખ કરશે

વાયુસેનાએ સોમવારે એરબેઝ પર સુખોઈ-30 MKI સ્ક્વોડ્રન સ્ક્વોડ્રન તહેનાત કર્યું હતું. દક્ષિણ ભારતમાં તે ભારતનું પહેલું ફાઇટર પ્લેનનું સ્ક્વોડ્રન છે. તેનું નામ ટાઇગર શાર્ક (સ્ક્વોડ્રન 222) રાખવામાં આવ્યું છે જે હિન્દ મહાસાગરની (IOR) દેખરેખ કરશે. એર ટૂ એર રી-ફિલંગી વાળા અને બ્રહ્મોસ મિસાઇલથી સજ્જ સુખોઈની ઉપસ્થિતિ IORમાં ભારત માટે ગેમ ચેન્જર માનવામાં આવી રહી છે. […]

Continue Reading