રામ મંદિર નિર્માણ પહેલા જ અયોધ્યાના સંત સમાજમાં ફાટફૂટ

અયોધ્યામાં રામ મંદિર નિર્માણનો રસ્તો તો સાફ થઈ ગયો છે પણ મંદિર બનાવવા માટેના ટ્રસ્ટને લઈને સાધુ સંતો વચ્ચે વિખવાદ શરુ થઈ ગયો છે. આ બાબતે સંત સમાજ વચ્ચે મતભેદો સર્જાયા છે.અયોધ્યાની તપસ્વી છાવણીના મહંત સર્વેશ્વર દાસે પરમહંસ દાસનો બહિષ્કાર કરી દીધો છે.તેમનુ કહેવુ છે કે, પરમહંસ દાસને ઉત્તરાધીકારી બનાવ્યા હતા પણ તેમનુ આચરણ યોગ્ય […]

Continue Reading

ફડનવીસને હજી પણ ભરોસો, કહ્યું કે સરકાર તો ભાજપની જ બનશે

મહારાષ્ટ્રમાં અત્યારના સંજોગોને જોતા તો શિવસેના, એનસીપી અને કોંગ્રેસની સરકાર બને તેમ લાગી રહ્યુ છે. જોકે ભાજપ પણ પોતાને રેસમાં દાવેદાર ગણાવે છે.શનિવારે ભાજપના મુબંઈ કાર્યાલયમાં થયેલી બેઠકમાં પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસ સહિતના પાર્ટીના વરિષ્ઠ નેતાઓ હાજર રહ્યા હતા. ભાજપના મહારાષ્ટ્ર અધ્યક્ષ ચંદ્રકાન્ત પાટીલે કહ્યુ હતુ કે, ભાજપે વિધાનસભા ચૂંટણીમાં સારી એવી સંખ્યામાં બેઠકો જીતી […]

Continue Reading

અયોધ્યાનો ચુકાદો આપનાર રંજન ગોગોઈ માટે ઝેડ પ્લસ કેટેગરીનુ સુરક્ષા કવચ

સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ તરીકે નિવૃત્ત થયેલા ચીફ જસ્ટિસ રંજન ગોગોઈને આસામમાં ઝેડ પ્લસ કેટેગરીની સુરક્ષા વ્યવસ્થા આપવામાં આવશે. રંજન ગોગોઈએ તાજેતરમાં જ અયોધ્યા પરનો ચુકાદો આપ્યો છે અને તેને ધ્યાનમાં રાખીને સરકારે તેમને ઝેડ પ્લસ કેટેગરીની સુરક્ષા આપવાનુ નક્કી કર્યુ છે.જજ ગોગોઈ નિવૃત્ત થયા બાદ આસામમાં રરેહવાના છે.ગયા સપ્તાહે અયોધ્યા ચુકાદા બાદ ગોગોઈની સાથે […]

Continue Reading

ગોવામાં ભારતીય નૌસેનાનુ મિગ-29 ફાઈટર જેટ તુડી પડ્યુ, પાયલોટ સુરક્ષિત

ગોવામાં ભારતીય નૌસેનાનુ મિગ 29 કે ફાઈટર જેટ દુર્ઘટનાગ્રસ્ત થયુ છે. આ વિમાને ઉડાન ભરી તેની ગણતરીની મિનિટોમાં જ તુટી પડ્યુ હતુ.જોકે વિમાનમાં બેઠેલા બંને પાયલોટોએ પેરાશૂટ વડે કુદી પડીને પોતાનો જીવ બચાવ્યો હતો.મિગ 29 કેનુ આ ટ્રેઈનિંગ વર્ઝન વિમાન હતુ અને બંને પાયલોટ ટ્રેનિંગ મિશન પર હતા. નૌસેનાના પ્રવક્તા કમાન્ડર વિવેક માધવાલે કહ્યુ હતુ […]

Continue Reading

સુરતથી મુંબઈની સ્પાઈસજેટની ફ્લાઇટમાં ચાર મહિનાની બાળકીનું રહસ્યમય મોત

શનિવારે સુરતથી મુંબઈ જતી સ્પાઈસજેટની ફ્લાઈટમાં ચાર વર્ષની બાળકીનું રહસ્યમય સંજોગોમાં મોત થયું હતું. બાળકી રિયા જિંદાલ સુરતથી બેઠી અને ત્યારબાદ વિમાનમાં સુઈ ગઈ હશે તેમ માનીને પરિવારે તેને ઉઠાડી ન હતી. મુંબઈ એરપોર્ટ ઉપર તેને ઉતારવા જતા તે ઉઠી ન હતી. વિમાનના ક્રૂ મેમ્બર્સને એરપોર્ટ અધુરી પાસે તબીબી મદદ માંગી પરંતુ તેણીને મૃત જાહેર […]

Continue Reading

ગાંધી પરિવારની રૂ. 100 કરોડના ઈન્કમ ટેક્સની ફાઈલ ખુલે તેવી શક્યતા

ગાંધી પરિવારને ઈન્કમ ટેક્ષ વિભાગ તરફથી મોટો ફટકો લાગી શકે છે. સૂત્રો દ્વારા મળેલી જાણકારી પ્રમાણે કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી વિરુદ્ધ 100 કરોડ રૂપિયાના ટેક્સની ફાઈલ ખુલી શકે છે. યંગ ઈન્ડિયનને નોન પ્રોફિટ સંસ્થા ગણાવનારા ગાંધી પરિવારના દાવાને ટેક્સ ટ્રિબ્યૂનલે ફગાવી દીધો છે. કોંગ્રેસે યંગ ઈન્ડિયનને લોન આપી હતી. હવે કોંગ્રેસને […]

Continue Reading

બાંગ્લાદેશ સામે પ્રથમ ટેસ્ટમાં ભારતનો ઈનિંગ અને 130 રને વિજય, સીરિઝમાં 1-0ની લીડ

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ઈન્દોરના હોલ્કર ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતે બાંગ્લાદેશને ઈનિંગ અને 130 રનથી હરાવીને સીરિઝમાં 1-0ની લીડ મેળવી લીધી છે. ભારતીય ટીમે બેટિંગ તેમજ બોલિંગ અને ફિલ્ડિંગ એમ તમામ ક્ષેત્રે દમદાર પ્રદર્શન દ્વારા પ્રવાસી બાંગ્લાદેશની ટીમ વિરુદ્ધ સરળતાથી વિજય મેળવી લીધો છે. ભારત તરફથી બોલર મોહમ્મદ શમીએ ચાર વિકેટ ઝડપી […]

Continue Reading

ભારતમાં પાંચ લાખથી વધુ લોકોના મોત વાયુ પ્રદૂષણથી થયાઃ રિપોર્ટ

દેશની રાજધાની દિલ્હીના લોકો વાયુ પ્રદૂષણની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. આ સાથે એક ચોંકવનારી રિપોર્ટ આવી છે. ભારતમાં 2016માં પાંચ લાખથી વધુ લોકોના મોત વાયુ પ્રદૂષણના ખતરનાક સ્તરના કારણે થયા છે, જે પૈકી 97 હજારથી વધુ લોકોના મોત કોલસો સળગાવવાથી નીકળેલા ધુમાડાના કારણે થયા છે. ગુરુવારે આવેલી એક નવી રિપોર્ટમાં આ ઘટસ્ફોટ થયો છે.હેલ્થ […]

Continue Reading

શ્રીનગરમાં સરકારી ક્વાર્ટરમાં શિફ્ટ થઇ મહેબૂબા મુફ્તી,દીકરીએ કરી હતી માંગણી

જમ્મુ અને કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવ્યા બાદ કસ્ટડી અને નજરબંધીમાં રહેલા પૂર્વ મુખ્યમંત્રી અને પીડીપી પ્રમુખ મહેબૂબા મુફ્તીને શુક્રવારના રોજ સરકારી ક્વાર્ટરમાં મોકલી આપવામાં આવ્યા છે. અધિકારીઓના જણાવ્યા મુજબ મહેબૂબા મુફ્તીને અત્યાર સુધી શહેરની બહાર રાખવામાં આવ્યા હતા પરંતુ શુક્રવારના રોજ તેમને શહેરની અંદર આવેલા સરકારી કવોટર્સમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા.  મહેબૂબા મુફ્તીની દીકરી ઈલ્તીજા મુફ્તીએ […]

Continue Reading

મહારાષ્ટ્ર ત્રણ પાર્ટીની સરકારમાં મુખ્યમંત્રી શિવસેનાનો હશેઃએનસીપી

મહારાષ્ટ્રમાં એનસીપી, કોંગ્રેસ અને શિવસેના એમ ત્રણેય પાર્ટી સાથે મળીને સરકાર બનાવવા જઈ રહી છે, ત્યારે આ સરકારમાં મુખ્યમંત્રી પદ શિવસેના પાસે રહશે, તેમ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી(એનસીપી)ના પ્રવક્તા નવાબ મલિકે જણાવ્યું છે. એનસીપી પ્રવક્તાએ વધુમાં કહ્યું કે, ‘મુખ્યમંત્રી તો શિવસેનાનો હશે. કેમ કે મુખ્યમંત્રીના મુદ્દા પર શિવસેના ‘મહા-ગઠબંધન’(એનડીએ સાથેના)થી અલગ થઈ છે. હવે શિવસેનાની ભાવનાનું […]

Continue Reading