હેમંત સોરેન બન્યા ઝારખંડના CM, કોંગ્રેસના 2, RJDના 1 MLAએ લીધા મંત્રી પદના શપથ

JMMના કાર્યકારી ચીફ હેમંત સોરેને રવિવારે ઝારખંડના 11માં મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. હેમંત સોરેને ઝારખંડના રાજ્યપાલ દ્રૌપદી મુર્મૂએ પદ અને ગોપનીયતાના શપથ લેવડાયા. સીએમની સાથે જ ત્રણ અન્ય નેતાઓએ પણ મંત્રી પદના શપથ લીધા.  સીએમ હેમંત સોરેનની સાથે કોંગ્રેસ ધારાસભ્ય મંડળ દળના નેતા આલમગીર આલમ, ઝારખંડ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ રામેશ્વર ઉરાંવ અને RJDના નેતા સત્યાનંદ […]

Continue Reading

શીત લહેર: દિલ્હીમાં પારો બે ડિગ્રી, યૂપીમાં 57 મોત, છ રાજ્યોમાં રેડ એલર્ટ

ઉત્તર ભારતના ઉપરી વિસ્તારોમાં ભારે સ્નોફોલ, ઠંડી પવનો અને ભારે ધુમ્મસને કારણે રાજધાની દિલ્હી સહિત સમગ્ર ઉત્તર ભારત ભયાનક ઠંડીથી ધ્રુજી ઉઠ્યું છે. શનિવારે દિલ્હી-એનસીઆર, ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા, રાજસ્થાન, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, મધ્ય પ્રદેશથી લઇને કેન્દ્ર શાસિત પ્રદેશ લદાખના દ્રાસ અને જમ્મુ-કાશ્મીરના શ્રીનગર સુધી હાડ થીજાવતી શીત લહેરે જીનજીવન થંભાવી દીધુ છે. ઠંડીનો પારો […]

Continue Reading

યુપી હિંસાઃ ફાયરિંગ કરનાર 6 પોલીસ કર્મીઓ સામે હત્યાનો કેસ

નાગરિકતા સંશોધન કાયદા સામે યુપીના બીજા શહેરોની જેમ બિજનોરમાં થયેલી હિંસા દરમિયાન પોલીસ ફાયરિંગમાં એક વ્યક્તિનુ મોત થયુ હતુ. આ ઘટનામાં છ પોલીસ કર્મીઓ સામે હત્યાનો કેસ કરાયો છે. બિજનોરના નહટોર વિસતારમાં થયેલા હિંસક પ્રદર્શનને કાબૂમાં લેવા માટે પોલીસે ફાયરિંગ કર્યુ હતુ. જેમાં સુલેમાન નામના એક વ્યક્તિનુ મોત થયુ હતુ. સુલેમાનના ભાઈ શોએબે પોતાના ભાઈની […]

Continue Reading

અમિત શાહે કહ્યું- પેરામિલિટરી ફોર્સના દરેક જવાનને પરિવાર સાથે સમય વિતાવવા માટે 100 દિવસ મળશે

કેન્દ્ર સરકાર પેરામિલિટરી ફોર્સના જવાનોને તેમના પરિવાર સાથે સમય વિતાવવા માટે વર્ષમાં ઓછામાં ઓછા 100 દિવસ આપશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રવિવારે તેની જાહેરાત કરી. તેમણે કહ્યું,“અમે એક એવી યોજના લાવીશું જે અંતર્ગત દરેક જવાનને વર્ષમાં તેમના પરિવાર સાથે સમય વિતાવવાનો મોકો મળશે. કેન્દ્ર સરકાર દેશની સેવામાં લાગેલા જવાનો અને તેમના પરિવારનું ધ્યાન રાખવા માટે […]

Continue Reading

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે અમિતાભ બચ્ચનને દાદા સાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કર્યા

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે અમિતાભ બચ્ચનને આજે (29 ડિસેમ્બર) રાષ્ટ્રપતિ ભવન ખાતે 50મા દાદા સાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કર્યાં હતાં. 77 વર્ષીય અમિતાભને વિશ્વ સિનેમામાં આપેલા પ્રદાન બદલ આ એવોર્ડ આપવામાં આવ્યો છે. 23 ડિસેમ્બરે 66મા નેશનલ એવોર્ડનું વિતરણ થયું હતું પરંતુ તે સમયે અમિતાભ બચ્ચનની તબિયત સારી ના હોવાથી તેઓ આવી શક્યા નહોતાં. તે સમયે […]

Continue Reading

સોલા સિવિલમાં ફ્યુમિગેશનની વરાળ ICUમાં પ્રસરતાં વોર્ડ ખાલી કરી 4 દર્દી ખસેડવા પડ્યા, ત્રણ કલાક પછી એકનું મોત

સોલા સિવિલ હોસ્પિટલમાં રવિવારે પોસ્ટ ઓપરેટિવ વોર્ડને જંતુમુક્ત કરવાની પ્રક્રિયા દરમિયાન ફ્યુમિગેશનનું પ્રવાહી વધુ પડી જતા તેની જલદ વરાળ આઈસીયુ સહિતના વોર્ડમાં ફેલાતા દર્દીઓ સહિત તબીબોમાં ભારે નાસભાગ મચી ગઈ હતી. બપોરે સાડા ચાર વાગ્યે બનેલી આ ગંભીર ઘટનામાં તબીબો સહિત દર્દીઓને આંખોમાં બળતરા અને શ્વાસ રૂંધાવા લાગતા તબીબો સહિત પેરામેડિકલ સ્ટાફે દર્દીઓને રીતસર રઝળતા […]

Continue Reading

પ્રિયંકા ગાંધીને લઈ જતા કોંગ્રેસના નેતાની સ્કૂટીને ટ્રાફિક પોલીસે 6100 રૂપિયાનું ચલણ આપ્યું

કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીને શનિવારે સાંજે સ્કૂટી પર બેસાડીને નિવૃત્ત IPS અધિકારી દારાપુરીના ઘરે લઈ ગયા હતા તેમને લખનઉ ટ્રાફિક પોલીસે રૂપિયા 6100નું ચલણ આપ્યું છે. આ સ્કૂટી રાજસ્થાનના કોંગ્રેસ ધારાસભ્ય ધિરજ ગુર્જર ચલાવી રહ્યા હતા. પોલીસના મતે ડ્રાઈવિંગ લાઈસન્સ ન હોવાથી રૂપિયા 2500, હેલમેટ વગર ગાડી ચલાવવા બદલ રૂપિયા 500, ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરવા […]

Continue Reading

સરકારે નિયમ બદલ્યો, ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ મહત્તમ 65 વર્ષની વય સુધી પદ પર રહી શકશે

ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (સીડીએસ) મહત્તમ 65 વર્ષની વય સુધી પોતાના પદ પર રહી શકે છે. સુરક્ષા મંત્રાલયે નેવી, એરફોર્સ અને આર્મીના સર્વિસ રૂલમાં આ ફેરફાર કર્યો છે. પહેલાના નિયમ અનુસાર 62 વર્ષ સુધી કે ત્રણ વર્ષના કાર્યકાળ (બંનેમાંથી જે પહેલા હોય) ત્યાં સુધી પોતાના પદ પર રહી શકતા હતા. કોઇપણ સેના પ્રમુખને સીડીએસ બનવામાં […]

Continue Reading

અમદાવાદ: બિન સચિવાલય ક્લાર્કનાં આરોપીઓને સાથે રાખી કૌભાંડી શાળામાં તપાસનો ધમધમાટ

બહુવિવાદિત બિનસચિવાલય પરીક્ષા પેપરલીકકાંડમાં ગાંધીનગર પોલીસ અને સીટ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. 6 આરોપીઓની ધરપકડ કરવામાં આવી ચુકી છે. ત્યારે આ તમામ આરોપીઓને સાથે રાખીને જ પોલીસ દ્વારા જ્યાં કૌભાંડ આચરવામાં આવ્યું હતું તે શાળા ખાતે રિકન્સ્ટ્રક્શન અને તપાસ કરવામાં આવી હતી. દાણીલીમડા ખાતે આવેલી એમ.એસ પબ્લિક સ્કૂલમાં તપાસના ધમધમાટનાં પગલે સ્થાનિક […]

Continue Reading

અમદાવાદ / 800 કરોડનું કૌભાંડઃ જગન્નાથજી મંદિરને ગૌ સેવા માટે મળેલી જમીન બિલ્ડર યાસિન ઘાંચીને પધરાવી દીધી

અમદાવાદમાં આવેલ જગન્નાથજી મંદિર તેની રથયાત્રા માટે જાણીતું છે. પરંતુ મંદિર દ્વારા જમીનનું રૂપિયા 800 કરોડનું કૌભાંડ કરવામાં આવ્યું હોવાનો આક્ષેપ કરાઈ રહ્યો છે. મંદિરને મળેલી જમીન મંદિર ટ્રસ્ટએ અન્યને વેચી દીધી છે. આ અંગેની વિગત એવી છે કે AMCએ 1992માં બહેરામપુરાના સર્વે નંબર 138ની 1.27 લાખ ચો.મી. જમીન જગન્નાથ મંદિરના નરસિંહદાસજી ગૌ સેવા ટ્રસ્ટને ગાયો […]

Continue Reading