રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે અમિતાભ બચ્ચનને આજે (29 ડિસેમ્બર) રાષ્ટ્રપતિ ભવન ખાતે 50મા દાદા સાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કર્યાં હતાં. 77 વર્ષીય અમિતાભને વિશ્વ સિનેમામાં આપેલા પ્રદાન બદલ આ એવોર્ડ આપવામાં આવ્યો છે. 23 ડિસેમ્બરે 66મા નેશનલ એવોર્ડનું વિતરણ થયું હતું પરંતુ તે સમયે અમિતાભ બચ્ચનની તબિયત સારી ના હોવાથી તેઓ આવી શક્યા નહોતાં. તે સમયે ઉપ-રાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ એવોર્ડનું વિતરણ કર્યું હતું.

