દિવાળી-નવા વર્ષના તહેવારમાં સફાઈના કારણે 400 મેટ્રીક ટન કચરામાં વધારો થયો

દિવાળી-નવા વર્ષના તહેવાર દરમિયાન પાણીના વપરાશ સાથે લોકોએ ઘર-ઓફિસની પણ સફાઈ કરતાં પાલિકા દ્વારા ઉલેચાતા કચરાના જથ્થામાં પણ વધારો થાય છે. દિવાળી-નવા વર્ષના તહેવારના કારણે છેલ્લા બે દિવસમાં પાલિકાએ વધારાનો 400 મેટ્રીક ટન કચરો ઉલેચ્યો હતો. કચરાનું પ્રમાણ વધીને 2600 મેટ્રીક ટન થઈ ગયું પાલિકા શહેરમાંથી પ્રતિરોજ 2200 મેટ્રીક ટન કચરો ઉઠાવે છે અને તેનો […]

Continue Reading

‘ક્યાર’ વાવાઝોડાની ઉત્તર ગુજરાત સહિત રાજ્યભરમાં અસર, મોડી રાતથી સવાર સુધી વરસાદ પડ્યો

અરબી સમુદ્રમાં સર્જાયેલા ‘ક્યાર’ વાવાઝોડાની અસરને કારણે ઉત્તર ગુજરાત, મધ્યગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના વાતાવરણ પલટો આવ્યો હતો. મંગળવારે મોડી રાત્રે ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લી, ગાંધીનગર, સાબરકાંઠા સહિતના જિલ્લામાં વરસાદી ઝાપટાં પડ્યાં હતા. હિંમતનગરમાં સહિત આસપાસના વિસ્તારોમાં મોડી રાતથી શરૂ થયેલો વરસાદ વહેલી સવાર સહિત પડ્યો હતો. ખેડૂતોના પાકને મોટા પ્રમાણમાં નુકસાન […]

Continue Reading

ગુજરાતમાં કમોસમી વરસાદથી કરોડોનો પાક ધોવાયો, મગફળી, કપાસ અને ડાંગરના પાકને ભારે નુકસાન

ગુજરાતમાં આ વર્ષે 145 ટકા વરસાદ ખાબકતા 20થી વધુ જિલ્લામાં અતિવૃષ્ટિની સ્થિતિ સર્જાઈ હતી. ત્યારે ચોમાસાની વિદાય બાદ પણ સાયક્લોનની અસર વચ્ચે વધુ એક સિસ્ટમ સક્રિય થતા ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જેથી ખેડૂતોની સ્થિતિ વધુ ગંભીર બની છે. કમોસમી વરસાદને કારણે ખેડૂતોનાં ઊભા પાકને કરોડોનું નુકસાન થયું છે. સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને અમદાવાદ જિલ્લાના […]

Continue Reading

કારતકમાં ‘ક્યાર’ના કારણે કમોસમી વરસાદથી ખેડૂતોના પાકને મોટા પાયે નુકસાનની ભીતી

ક્યાર વાવાઝોડાની અસરે સૌરાષ્ટ્રમાં અનેક પંથકોમાં માવઠું થયું છે. રાજકોટ શહેર અને ગ્રામ્ય વિસ્તારના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. રાજકોટમાં દોઢ ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. સૌથી વધુ વરસાદ જેતપુર તાલુકામાં નોંધાયો હતો. જેતપુરમાં 37 મિલીમીટર, પડધરીમાં 10 મિલીમીટર અને જામકંડોરણામાં 8 મિલીમીટર વરસાદ નોંધાયો હતો. જામકંડોરણામા આઠ મિલીમીટર વરસાદ પડયો હતો. આ વરસાદથી કપાસ […]

Continue Reading

અમિત શાહે રાજ્યોને પત્ર લખીને કહ્યું, સરદાર જયંતિ પર થાય વિશેષ કાર્યક્રમોનું આયોજન

સરદાર પટેલ જયંતિ એટલે કે રાષ્ટ્રીય એકતા દિવસની ખાસ ઉજવણી કરવા માટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રાજ્યોને પત્ર લખ્યો છે. શાહે પત્ર લખીને એકતા દિવસ મનાવવાનું કહ્યું છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને લખેલા એક પત્રમાં અમિત શાહે લખ્યું કે, રાષ્ટ્રીય એકતા દિવસનું આ વર્ષે ખાસ મહત્વ છે, કારણ કે કલમ 370ને રદ્દ કરીને જમ્મૂ-કશ્મીર અને […]

Continue Reading

ગુજરાત પેટાચૂંટણી : અલ્પેશ ઠાકોરને ઠાકોરસેના કેમ જિતાડી ન શકી?

ગત અઠવાડિયે ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણીમાં અલ્પેશ ઠાકોરનો પરાજય થયો. જેઓ ભાજપના નેતાની સાથે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના આગેવાન પણ છે. ઠાકોરસેના અને ભાજપના સંગઠનનું પીઠબળ હોવા છતાં રાધનપુર વિધાનસભા બેઠક પર અલ્પેશ ઠાકોરના પરાજયે ભલભલાને ચોંકાવી દીધા હતા. ઠાકોરસેના અને ભાજપે પૂરું જોર લગાવી દીધું, એ છતાં પણ અલ્પેશ ઠાકોરને હરાવવા માટે કયાં પરિબળોએ ભાગ […]

Continue Reading

સુરતના વાતાવરણમાં પલ્ટો, અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડતા પાણી ભરાયા

અરબી સમુદ્રમાં સર્જાયેલા ક્યાર વાવાઝોડાની ચેતવણીને પગલે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિત રાજ્યભરમાં વાતાવરણમાં પલ્ટો આવ્યો છે. ત્યારે સુરતમાં સમી સાંજે ધોધમાર વરસાદ શરૂ થયો હતો. સુરતના યોગીચોક, વરાછા, કાપોદ્રા, અશ્વિનીકુમાર અને કતારગામ વિસ્તારમાં પાણી ભરાયા હતા. તો બીજી તરફ વડોદરામાં પણ સામાન્ય વરસાદ પડ્યો હતો. જેથી ફરવા અને દર્શન માટે નીકળેલા લોકો અટવાયા હતા.

Continue Reading

બેસતા વર્ષના દિવસે વધુ એક વાર ગોંડલમાં ભૂકંપનો આંચકો અનુભવાયો

ગોંડલ તાલુકામાં ભૂકંપનો આંચકો અનુભવાયો. ભૂકંપને કારણે ગોંડલ તાલુકાના પાટિયાળી, હડમતાળા ગામમાં લોકો ઘરની બહાર નીકળ્યા. ગોંડલ તાલુકાના 10થી વધુ ગામોમાં 6 સેકન્ડ સુધી ધરતીમાં ધ્રુજારી અનુભવાઈ. સમી સાંજે 6.49 મિનિટે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ઉલ્લેખનીય છે કે સવારે 8.47 વાગ્યે અરડોઈ અને પીપળીયા સહિત આસપાસના ગામોમાં આંચકો 2.4ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો.

Continue Reading

આગામી 5 દિવસ ગુજરાતમાં સામાન્ય વરસાદની હવામાન વિભાગની આગાહી

આગામી પાંચ દિવસ સુધી સમગ્ર રાજ્યમાં સામાન્ય વરસાદ પડે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. આ ઉપરાંત હવામાન વિભાગે જણાવ્યું છે કે, સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં છૂટોછવાયો વરસાદ પડશે. તેમાં ખાસ કરીને દ્વારકા અને કચ્છમાં વરસાદ પડે તેવી શક્યતા છે. અરબી સમુદ્રમાં સર્જાયેલા ક્યાર વાવાઝોડાની ચેતવણીને પગલે અને દિવાળીના જ દિવસે ભારે પવન ફૂંકાવાની શક્યતા હોવાથી […]

Continue Reading

IAS,IPS,IFS પરિવારે નર્મદામાં ઉજવી દિવાળી, 100 સ્થાનિક બાળકોને દત્તક લીધા

નર્મદા જિલ્લાની દિવાળી આ વખતે અનોકી રહી હતી. હાલ નર્મદા જિલ્લામાં 200 જેટલા આઇએએસ, આઇપીએસ અને આઇએફએસ દિક્ષાંત પરેડના આયોજન માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી સંકુલ ખાતે આવેલા છે. જો કે પરેડ 31મી તારીખે આયોજીત થવાનો છે. તે અગાઉ દિવાળીની ઉજવણીનું આયોજન નાંદોદના વડિયા અને તિલકવાડાના વોરા ગામ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. આ તમામ સનદી […]

Continue Reading