ટેસ્ટિંગ વધારી દેવાતા પોઝિટિવ કેસો વધ્યાં, 24 કલાકમાં 1788 ટેસ્ટ કર્યાં, હજી પણ વધુ કેસો બહાર આવી શકેઃ જયંતિ રવિ

રાજ્યમા ચિંતાજનક રીતે સતત કોરોના પોઝિટિવ કેસોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. આજે નવા 55 જેટલા પોઝિટિવ દર્દીઓ નોંધાયા છે. જેમાંથી 50 જેટલા કેસ ખાલી અમદાવાદમાંથી નોંધાયા છે. સતત વધી રહેલા કેસો અંગે આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું છેકે, અમદાવાદમાં જે નવા 50 કેસો નોંધાયા છે અને એકસાથે આટલા બધા પોઝિટિવ કેસો આવી રહ્યાં […]

Continue Reading

વડોદરામાં લોકલ ટ્રાન્સમિશનથી વધુ 4 કોરોના પોઝિટવ કેસ નોંધાયા, પોઝિટિવ કેસની સંખ્યા 22 ઉપર પહોંચી, તાંદલજામાં સેનેટાઇઝની કામગીરી પૂરજોશમાં

વડોદરા શહેરમાં વધુ 4 કોરોના પોઝિટવ કેસ નોંધાયા છે. અત્યાર સુધી પોઝિટિવ કેસની સંખ્યા 22 ઉપર પહોંચી ગઇ છે. કોરોનાના 4 નવા કેસ પૈકી નાગરવાડા વિસ્તારમાંથી 3 અને આર.વી.દેસાઈ રોડ ઉપર 1  પોઝિટિવ કેસ નોંધાયો છે. વડોદરા જિલ્લા કલેક્ટર શાલિની અગ્રવાલે જણાવ્યું હતું કે, માસ સેમ્પલ લેવાની કામગીરીના પગલે 4 નવા કોરોના પોઝિટિવ કેસ મળી આવ્યા છે. નાગરવાડાના […]

Continue Reading

કોટ વિસ્તારમાં 1 લાખ ઘરોમાં મેગા સર્વે, ઘરે ઘરે જઈને કોરોનાના ટેસ્ટ કરાશે, આગામી દિવસોમાં કેસો વધી શકે:વિજય નહેરા

મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ આજે  કોરોના પોઝિટિવ કેસોને સામેથી શોધવાની મ્યુનિસિપલ કોર્પોરેશનની રણનીતિની માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, હજુ 1000થી વધુ સેમ્પલ લઈને મોકલ્યા છે. એટલે 100, 200 જેટલા કેસો સામે આવવાની શક્યતા છે. સર્વે અને કેસો શોધતા અનેક મોત અટકાવી શક્યા છીએ. 982 આરોગ્યની ટીમોમાં 1900 કર્મચારીઓ અને 74 UHCના સ્ટાફની મદદથી […]

Continue Reading

રાજ્ય સરકારનો મધ્યમ વર્ગ માટે મફત અનાજ આપવાનો મહત્વનો નિર્ણય

રાજ્યમાં ગરીબ લોકોને ભુખ્યા રહેવાની નોબત ન સર્જાય અને તમામ પરિવારોને પુરતું અનાજ મળી રહે તેવો નિર્ણય આજે રાજ્ય સરકારે કેબિનેટની બેઠકમાં લીધો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની વિડીયો કોન્ફરન્સીંગ બેઠકમાં રાજ્યના ૬૦ લાખથી વધુ APL-1 રેશનકાર્ડ ધારકો મફત અનાજ વિતરણ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ નિર્ણયની જાહેરાત કરતાં […]

Continue Reading

ગાંધીનગર ગ્રામ્ય વિસ્તારોમાં સ્વયંભૂ સોશિયલ ડિસ્ટન્સ, લોક ડાઉન અસરકારક

ગાંધીનગર શહેર સહિત જિલ્લાના ગામડાઓમાં પણ લોકડાઉન અમલીકરણ અસરકારક જોવા મળી રહ્યું છે. ગ્રામ્ય વિસ્તારોમાં નોવેલ કોરોના વાયરસની બિમારી અંગેનો ભય કે જાગૃત્તિ જે હોય, તેમ છતાં શહેર કરતાં પણ ખૂબ જાગૃત્તા સાથે ગ્રામજનો લોક ડાઉનની અમલવારી કરી રહ્યાં છે. નોવેલ કોરોના વાયરસના કારણે સમગ્ર દેશમાં તા. ૨૪મી માર્ચથી લોકડાઉન અમલી બનાવવામાં આવ્યું હતું. લોક […]

Continue Reading

કોરોનાની દવા શોધવામાં ભારતીય કંપની પણ સક્રિય, ઝાયડસ કેડિલાએ વેક્સિન માટે પ્રાણીઓ પર પ્રયોગ કરવાનું શરુ કર્યું

કોરોના જયારે વિશ્વભરમાં મહામારીનું સ્વરૂપ ધારણ કર્યું છે અને દુનિયાભરની દવા બનાવતી કંપનીઓ તેની વેક્સિન બનાવવા માટે મેદાનમાં છે ત્યારે ભારતની અગ્રણી દવા કંપની ઝાયડસ કેડિલાએ આ દિશામાં કામ શરુ કર્યું છે. કંપનીના મેનેજીંગ ડિરેક્ટર શર્વિલ પટેલે આ વાતની પુષ્ટી કરી હતી અને Divya Bhaskarને જણાવ્યું હતું કે, અમે કોવિડ-19ની વેક્સિન પર કામ કરી રહ્યા […]

Continue Reading

જીવરાજ મહેતા હોસ્પિટલના દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવતા તમામ કર્મચારીઓ શંકાના ઘેરામાં

અમદાવાદની જીવરાજ મહેતા હોસ્પિટલના એક દર્દીને કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્ર હરકતમાં આવ્યું છે. હોસ્પિટલના 139 સ્ટાફનું ચેકિંગ કરાશે. જોકે આ મુદ્દે હોસ્પિટલ પર હોબાળો મચી ગયો છે. અમદાવાદમાં કોરોનાનો હાહાકાર વધતો જાય છે ત્યારે આજે જીવરાજ મહેતા હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ડાયાબિટીસના દર્દીને એસ.વી.પી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ દર્દીનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો […]

Continue Reading

અમદાવાદમાં હાહાકાર : 24 કલાકમાં 20 કેસ

અમદાવાદમાં કોરોનાના કેસોની વધી રહેલી અસામાન્ય સંખ્યાએ ભયાવહ સ્થિતિ પેદા કરી છે. આજે વધુ ૨૦ દર્દીઓ સાથે કુલ આંક ૮૪નો થયો છે. બીજી તરફ કલસ્ટર ક્વોરેન્ટાઇના આકરા નિર્ણય બાદ આજે પૂર્વ અને પશ્ચિમને જોડતા મહત્વના નહેરૂબ્રિજને અનિશ્ચિત મુદત સુધી આવ-જા માટે સંપૂર્ણપણે બંધ કરી દેવાનો અભૂતપૂર્વ નિર્ણય લેવાયો છે. આ ઉપરાંત કાલુપુરની શાક અને ફ્રુટ […]

Continue Reading

અમદાવાદમાં કૂદકેને ભૂસકે વધી રહ્યાં છે કોરોનાના કેસ, લેવાયા મોટા નિર્ણય, ખાસ જાણો

રાજ્યમાં ધીરે ધીરે કોરોનાનો કેર વધી રહ્યો છે. એમા પણ ખાસ કરીને અમદાવાદમાં કોરોના બેકાબુ બની રહ્યો છે. કોટ વિસ્તાર અને ખાસ કરીને મુસ્લિમ બહુમતીવાળા વિસ્તારમાં આ રોગ ઝડપથી ફેલાઇ રહ્યો છે. અત્યાર સુધીમાં કોરોનાના 83 કેસ પોઝિટિવ આવી ચુક્યા છે. જેમાંથી 5ના મોત થયા છે. જેને લઈને એએમસીએ સમગ્ર કોટ વિસ્તારને બફર ઝોન તરીકે […]

Continue Reading

મહેસાણા : ડ્રાઇવરોને નોકરીમાંથી કાઢી મુક્યા, હાથમાં ક્વૉરન્ટાઇનના સીલ સાથે બે યુવકો ગુરગાંવ પહોંચ્યા

હાલ કોરોના વાયરસનાં (coronavirus) કારણે આખા દેશમાં લૉકડાઉન (lockdown) છે. ગુજરાતમાં (Gujarat) પણ ચુસ્ત બંદોબસ્ત છે. ત્યારે મહેસાણા જિલ્લાનાં બે ડ્રાઇવર કે જેમના હાથમાં ક્વૉરન્ટાઇનનું સીલ (Quarantine seal) હતું તેઓ લિફ્ટ લઇને ટ્રકમાં ગુરગાંવ સુધી પહોંચી ગયા હતાં. ગામના સરપંચે પોલીસને જાણ કરાતા હાલ બંન્નેને ઝડપી લેવામાં આવ્યાં છે. આ મામલે મળતી માહિતી પ્રમાણે, મહેસાણા […]

Continue Reading