દક્ષિણ ગુજરાતમાં વરસાદનો તાંડવ, ઉમરગામમાં 13 ઇંચ વરસાદ હાઇવે જામ, નદીઓ ગાંડીતુર

વલસાડ જિલ્લામાં મેઘરાજાની તોફાની બેટીંગે આખા જિલ્લાને ઘમરોળી નાંખ્યો છે, ઉમરગામ, વલસાડ, વાપી પારડી, કપરાડા ભારે વરસાદને કારણે જળબંબાકાર થઇ ગયા હતા, હાઇવે પર પાણી ભરાવાને કારણે રવિવારે સવારથી બપોરે સુધી લાંબો જામ લાગ્યો હતો. રેલવે ટ્રેક પર પાણી ભરાવાને કારણે રેલ વ્યવહાર પર અસર પડી હતી. મોટાભાગની ટ્રેન 2થી 3 કલાક મોડી ચાલતી હતી. […]

Continue Reading

ઓઢવ લઠ્ઠાકાંડ કેસ : 6 દોષિતોને સાડા ત્રણ વર્ષથી 10 વર્ષ સુધીની સજા

વર્ષ 2009માં અમદાવાદના ઓઢવમાં લઠ્ઠાકાંડ થયો હતો. જેમાં 123 લોકોના મોત નીપજ્યા હતા જ્યારે 200 લોકોને શારીરિક નુકસાન થયું હતું. આ કેસમાં સ્પેશિયલ સેશન્સ કોર્ટનો ચૂકાદો જાહેર કર્યો છે. જેમાં 39માંથી 6 આરોપીઓને દોષિત જાહેર કર્યા છે જ્યારે બાકીના આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે. કોર્ટે ત્રણ પુરુષ દોષિતોને 10 વર્ષની અને ત્રણ મહિલાઓને સાડા ત્રણ […]

Continue Reading

ટેકનિકલ ખામીને કારણે અમદાવાદ મેટ્રો બંધ, શરૂ થયાના 4 મહિનામાં ત્રણવાર ખોટકાઈ

આજે વધુ એકવાર અમદાવાદ મેટ્રોમાં ટેકનિકલ ક્ષતિ ઉભી થવાને કારણે બોપરના 1 વાગ્યાથી મેટ્રો બંધ રહી હતી. જેને પગલે એપરલ પાર્ક સ્ટેશન પર ટ્રેક અને ટ્રેનનો ટેકનિકલ પ્રોબ્લેમ શોધવાની કવાયત હાથ ધરવામાં આવી હતી. તેમજ સમગ્ર દિવસ માટે મેટ્રો સેવા બંધ કરવામાં આવી હતી. મેટ્રોની ટેકનિકલ ખામી પાછળ બહારના કોઈ મટિરીયલને કારણે પાવર સપ્લાયને અસર […]

Continue Reading

નયા ભારતના નિર્માણની નીંવ સમાન કેન્દ્રીય બજેટ : વિજય રુપાણી

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સિતારમણે લોકસભામાં રજૂ કરેલા 2019-20ના અંદાજપત્રને નયા ભારતના નિર્માણની નીંવ મુકનારૂં બજેટ ગણાવતા વધાવ્યું હતું. વિજય રૂપાણીએ બજેટ અંગેના પ્રતિભાવો આપતાં કહ્યું કે, દેશના પહેલા મહિલા નાણાં મંત્રી તરીકે નિર્મલાજીએ પ્રસ્તુત કરેલા આ બજેટમાં ઇન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટ માટે વધુ નાણાં ફાળવણી, સાથે-સાથે પાણી અને રિન્યુએબલ એનર્જી પર વિશેષ ઝોક […]

Continue Reading

ઓઢવમાં લઠ્ઠાકાંડ મામલે આજે આવી શકે છે ચુકાદો

અમદાવાદમાં વર્ષ 2009માં ત્રણ વિસ્તારમાં લઠ્ઠાકાંડની ઘટના બની હતી. અમદાવાદના કાગડાપીઠના મજૂર ગામ અને ઓઢવમાં લઠ્ઠાકાંડની ઘટના બની હતી. ત્યારે ઓઢવ લઠ્ઠાકાંડ મામલે આજે સેશન્સ કોર્ટમાં ચુકાદો આવી શકે છે. તો ગત ચુકાદા દરમિયાન પોલીસ જાપ્તો ના મળવાથી મુદ્દત પડી હતી. વર્ષ 209માં થયેલા લઠ્ઠાકાંડમાં ઓઢવમાં 123થી વધુ લોકોનાં મોત થયા હતા. કાગડાપીઠના મજૂરગામમાં 23 લોકોનાં […]

Continue Reading

રાજ્યસભા / આજે બે બેઠક માટે યોજાશે મતદાન

રાજ્યસભામાં ગુજરાતની બે બેઠક માટે આજે ચૂંટણી યોજાશે. તો બીજી તરફ કોંગ્રેસના તમામ ધારાસભ્યો હજુ બાલારામ રિસોર્ટમાં જ છે અને આ તમામ ધારાસભ્યો રિસોર્ટથી સીધા સ્વર્ણિમ સંકુલ મતદાન કરવા માટે પહોંચશે. ક્રોસ વોટિંગના ડરે કોંગ્રેસના તમામ ધારાસભ્યોને બાલારામ રિસોર્ટ લઈ જવાયા હતા. જોકે અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા કોંગ્રેસની આ શિબિરમાં નહોતા ગયા. બાલારામમાં ગઈકાલે મોકપોલ […]

Continue Reading

ભગવાન જગન્નાથના રથ નિજ મંદિર પહોંચ્યા, શાંતિપૂર્ણ માહોલમાં રથયાત્રા સંપન્ન

ભગવાન જગન્નાથજી ગુરુવારે અત્યંત શુભ એવા ‘ગુરુપુષ્ય’ યોગમાં ભક્તોનાં ખબર-અંતર પૂછવા માટે નગરચર્યાએ રજવાડી શણગાર સજીને નીકળ્યા છે. ૧૪૨મી રથયાત્રાનો પ્રારંભ સવારે ૭.૦૦ વાગ્યે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે સોનાની સાવરણીથી માર્ગ સ્વચ્છ કરીને ‘પહિંદ વિધિ’ કરાવીને રથ ખેંચીને કરાવ્યો હતો. સવાર સવારમાં જ મંગળા આરતી દરમિયાન વરૂણદેવ પણ રાજી થયા હતા […]

Continue Reading

ગુજરાત માટે આગામી 3 દિવસ ખુબ જ ભારે, આ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

આગામી 3 દિવસ દરમિયાન રાજ્યમાં કચ્છને આંશિક રીતે બાદ કરતા વિવિધ વિસ્તારોમાં વરસાદની આગાહી છે. 3 જૂલાઇએ રાજ્યમાં વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, ડાંગ, તાપી સુરત, આણંદ, અમદાવાદ, અરવલ્લી, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, જૂનાગઢ, સંઘ પ્રદેશ દીવમાં હળવા વરસાદની આગાહી છે. આગામી પાંચ દિવસ દરમિયાન સાઉથ ગુજરાત, સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે. જેમાં […]

Continue Reading

અમિત શાહે રાજ્યમાં પગ મૂકતાં જ કોંગ્રેસનાં ધારાસભ્યો બસમાં બેસી છૂમંતર

ગૃહમંત્રી બન્યા બાદ અમિત શાહ આજે પહેલી વાર ગુજરાતની મુલાકાતે આવ્યા છે. સાંજે 4.30 વાગ્યે અમિત શાહનું અમદાવાદ એરપોર્ટ પર આગમન થઈ ગયું હતું. અને મજાની વાત તો એ છે કે, જેવું જ અમિત શાહનું અમદાવાદમાં આગમન થયું તેની થોડી જ ક્ષણો બાદ ગુજરાત કોંગ્રેસ પોતાના ધારાસભ્યોને ખાનગી લક્ઝરી બસમાં બેસાડીને રવાના થઈ ગઈ હતી. […]

Continue Reading

ગુજરાત પધાર્યા ગૃહમંત્રી અમિત શાહ, ઈન્ક્મ ટેક્સ ફ્લાય ઓવરનું કર્યું લોકાર્પણ

બુધવારના રોજ અમિત શાહ દેશના ગૃહમંત્રી બન્યા બાદ તેઓ પહેલીવાર આવ્યા છે. અમિત શાહનું એરપોર્ટ પર ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી, ગુજરાત ભાજપ અધ્યક્ષ જીતુ વાઘાણી,આઇ.કે જાડેજા, ભીખુભાઇ દલસાણીયા સહિતના નેતાઓએ સ્વાગત કર્યું હતું. અમિત શાહને આવકારવા માટે એરપોર્ટથી એરપોર્ટ સર્કલ સુધી રોડની બંને બાજુ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ એરપોર્ટ થી અમિત શાહ […]

Continue Reading