અમેરિકાની સેનાએ ઘેર્યો તો બગદાદીએ પોતાને ઉડાવી દીધો, તેના ત્રણ દીકરા પણ માર્યા ગયા છે- ડોનાલ્ડ ટ્રમ્પ

અમેરિકાની સેનાના હુમલામાં આતંકવાદી સંગઠન ઇસ્લામિક સ્ટેટ (ISIS)નો ચીફ અબુ બકર અલ-બગદાદી માર્યો ગયો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટીવી પર લાઇવ પ્રસારણ દરમિયાન તેની ખરાઇ કરી. ટ્રમ્પે ઓપરેશનમાં સામેલ અમેરિકાના સૈનિકોના વખાણ કરતા કહ્યું કે અમારું મિશન શાનદાર રીતે પૂર્ણ થયું. બગદાદી અમેરિકાની તાકાત સામે ડરતો અને બૂમ બરાડા પાડતો માર્યો ગયો. તેની સાથે […]

Continue Reading

ઇરાકમાં સરકાર વિરોધી દેખાવો અને હિંસામાં 42ના મોત

ઇરાકમાં ફરી એક વખત સરકાર વિરુદ્ધ હિંસક પ્રદર્શન થઇ રહ્યા છે. દેખરેખ સમૂહ અને સુરક્ષા સૂત્રોના જણાવ્યા મુજબ, આ વિરોધ પ્રદર્શનમાં શુક્રવારે 42 લોકોના મોત થયા છે. અગાઉ ઓક્ટોબરની શરૂઆતમાં થયેલા પ્રદર્શનોમાં 150થી વધુ લોકોના મોત થયા હતા. ગુરુવારે સાંજ સુધી પ્રદર્નકારીઓ સુરક્ષાદળોને ફૂલ આપતા દેખાયા હતા પરંતુ શુક્રવારે સાંજ સુધી પ્રદર્શને હિંસક રૂપ ધારણ […]

Continue Reading

અયોધ્યામાં 5.51 લાખ દીવડાં પ્રગટાવવાનો વર્લ્ડ રેકોર્ડ બન્યો, યોગી બોલ્યા- મોદી સૌને બરાબરનો હક આપીને રામરાજ્ય લાવ્યા

ભગવાન રામનું શહેર અયોધ્યામાં દીપોત્સવના મુખ્ય કાર્યક્રમમાં ભાગ લેવા શનિવારે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પહોંચી ગયા છે. અહીં તેમણે રામ-સીતાની આરતી ઉતારી હતી. રામ વનવાસથી પરત આવ્યાની ખુશીમાં શહેરમાં 14 જગ્યાએ દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું છે. રામ મંદિરની જગ્યા છે ત્યાં 4 લાખ દીપ પ્રગટાવીને ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ બનાવવાની તૈયારી કરવામાં આવી હતી. બાકીના દીવડા […]

Continue Reading

કાશ્મીર: શોપિયાં ખાતે સફરજન લેવા ગયેલા બે ટ્ર્ક ડ્રાઇવરની આતંકીઓએ હત્યા કરી

જમ્મુ-કાશ્મીરમાં આતંકી સફરજનના વેપારીઓથી જોડાયેલા ટ્ર્ક ડ્રાઇવરોને નિશાનો બનાવી રહ્યા છે. આતંકીઓએ ગુરુવાર રાત્રે શોપિયાં ખાતે બે ટ્રક ડ્રાઇવરોની ગોળી મારી હત્યા કરી નાંખી છે. બંને ટ્રક ડ્રાઇવર રાજસ્થાન અને હરિયાણાથી સફરજનની જથ્થો લેવા માટે કાશ્મીર ગયા હતા. આ પહેલા ગત સપ્તાહમાં આતંકીઓએ પંજાબના એક વેપારીની હત્યા કરી નાંખી હતી. શોપિયાંમાં 10 દિવસમાં સફરજનના વેપાર […]

Continue Reading

“ભાવી સીએમ આદિત્ય ઠાકરેને અભિનંદન” શિવસેનાએ લગાવ્યા પોસ્ટરો

મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં શિવસેના અને ભાજપના ગઠબંધનને બહુમતી તો મળી છે પણ ધાર્યા પ્રમાણે બેઠકો જીતવામાં બંને પક્ષો સફળ થયા નથી. જોકે શિવસેના આ વખતે કશું જતુ કરવાના મૂડમાં નથી. હજી તો સરકાર બનવાની કવાયત શરૂ થઈ નથી ત્યાં તો મુંબઈમાં આદિત્ય ઠાકરને સીએમ બનાવવાની માંગ સાથેના પોસ્ટરો પણ લાગવા માંડયા છે. પોસ્ટરમાં લખવામાં આવ્યુ […]

Continue Reading

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગુજરાત પ્રવાસ ટૂંકાવ્યો, દિલ્હી રવાના થયા

આજે સવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બે દિવસની ગુજરાત મુલાકાતે આવ્યા હતા. પરંતુ એક જ દિવસમાં પ્રવાસ ટૂંકાવીને સાંજે દિલ્હી પરત રવાના થયા હતા. સરકીટ હાઉસ ખાતે અમિત શાહે સીએમ રૂપાણી સાથે બંધ બારણે બેઠક કરી હતી. ત્યારબાદ ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચ્યા હતા. કાર્યક્રમ મુજબ મહાત્મા મંદિર ખાતે વિકાસના વિવિધ કાર્યનું […]

Continue Reading

નવાઝ શરીફની તબિયત વધારે લથડી, દીકરીને સાથે રહેવાની મંજૂરી મળી; વિદેશમાં સારવાર માટે ચર્ચા ચાલુ

પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફની તબિયત વધારે લથડી ગઈ છે. તેમની સજા સસ્પેન્ડ કરવા માટે પાર્ટી પીએમએલ-એનએ ઈસ્લામાબાદ હાઈકોર્ટમાં અરજી કરી છે. આ વિશે સુનાવણી દરમિયાન સરકારી હોસ્પિટલના નિર્દેશકે નવાઝ શરીફની હેલ્થનું અપડેટ આપ્યું છે. બીજી બાજુ પૂર્વ વડાપ્રધાનની દીકરી મરિયમને હોસ્પિટલમાં તેમની સાથે રહેવાની મંજૂરી આપવામાં આવી છે. ગુરુવારે સરકારે આ વિશે ઈનકાર કર્યો […]

Continue Reading

ટેલીકોમ કંપનીઓને સુપ્રીમ કોર્ટે આપ્યો ઝટકો, 92 હજાર કરોડની બાકી રકમ આપવી પડશે

ટેલીકોમ કંપનીઓને સુપ્રીમ કોર્ટથી જબરદસ્ત ઝટકો લાગ્યો છે. DoTની અરજીને લઈને સુપ્રીમ કોર્ટે મંજુરી આપી દીધી છે. ટેલીકોમ કંપનીઓને DoTનો 92 હજાર કરોડ રૂપિયાથી વધુનો દંડ ભરવો પડશે. સુપ્રીમ કોર્ટે નિર્ણયમાં કહ્યું કે આ દંડ કેટલાં સમયમાં નાખવામાં આવશે તે કોર્ટ નક્કી કરશે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે AGR એટલે કે સમાયોજિત કુલ આવકમાં લાઈસેન્સ ફી […]

Continue Reading

ઘાસ સાથે માટીનું સેવન કરવાથી હાથિયોમાં ફેલાઈ અજીબો ગરીબ બિમારી, બે મહિનામાં 100ની મોત

1,30,000 હાથીઓ સાથેનો વિશ્વનો સૌથી મોટો આફ્રિકન દેશ બોત્સ્વાનામાં એક ગંભીર ચેપી રોગ ફેલાયો છે જેનાથી માત્ર બે મહિનામાં જ 100 હાથીઓની મોત થઈ ગઈ છે. આ માહિતી મંગળવારે બોત્સ્વાના સરકારે આપી હતી. વન્યપ્રાણી અને રાષ્ટ્રીય ઉદ્યાન વિભાગે એક નિવેદનમાં જણાવ્યું છે કે પ્રારંભિક તપાસમાં સૂચવે છે કે હાથીઓ એન્થ્રેક્સથી મરી રહ્યા છે જ્યારે કેટલાક […]

Continue Reading

રેલવે સ્ટેશનની સાથે ટ્રેનની મુસાફરીમાં પણ લોકોને મળશે વાઈ ફાઈની સુવિધા

રેલવે દ્વારા નજીકના ભવિષ્યમાં ટ્રેનની મુસાફરી દરમિયાન લોકોને મફત વાઈફાઈની સુવિધા આપવામાં આવશે. રેલવે દ્વારા આ યોજના પર કામ શરૂ કરાયુ છે. રેલવે મંત્રી પિયુષ ગોયેલે એક સમાચાર એજન્સી સાથેની વાતચીતમાં કહ્યુ હતું કે, હાલમાં દેશના 5150 રેલવે સ્ટેશનો પર વીના મુલ્યે વાઈ ફાઈની સુવિધા ઉપલબ્ધ છે. આ વર્ષના અંત સુધીમાં દેશના તમામ 6500 રેલવે […]

Continue Reading