દિલ્હી વિધાનસભાના સ્પીકર રામ નિવાસ ગોયલને 6 માસની જેલની સજા

દિલ્હીની એક કોર્ટે દિલ્હી વિધાનસભાના સ્પીકર રામ નિવાસ ગોયલને એક બિલ્ડરના ઘરમાં ઘુસણખોરી કરવા મામલે છ માસની જેલ સજા ફટકારી છે. કોર્ટે ગયા શુક્રવારે ગોયલે આ મામલે દોષી જાહેર કર્યા છે. મુખ્ય મેટ્રોપોલિટન મજિસ્ટ્રેટ સમર વિશાલે ગોયલ અને ચાર અન્યને આ મામલે દોષી જાહેર કરતા જણાવ્યું હતું કે, રામ નિવાસ ગોયલ, સુમિત ગોયલ, હિતેશ ખન્ના, […]

Continue Reading

કાબુલના નંગરહાર પ્રાંતમાં આવેલી મસ્જિદમાં શુક્રવારની નમાઝ દરમિયાન બે બ્લાસ્ટ; 62ના મોત, 36ને ઈજા

નંગરહાર પ્રાંતમાં શુક્રવારે બે બોમ્બ બ્લાસ્ટ થયા હતા. તેમાં 62 લોકોના મોત થયા હતા, જ્યારે 36 લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ બ્લાસ્ટ એક મસ્જિદમાં થયો હતો. ધડાકા સમયે મોટી સંખ્યામાં લોકો નમાઝ માટે મસ્જિદમાં હાજર હતા. ધડાકાથી મસ્જિદની છત તૂટીને લોકો પર પડી હતી. આ ઘટના લગભગ બપોરે 2 વાગે બની હતી. સ્થાનિક પ્રશાસનના પ્રવકતા […]

Continue Reading

અમેરિકી સાંસદો સામે ભારતે કાશ્મીર પર પાકિસ્તાનનાં જૂઠનો કર્યો પર્દાફાશ, આપ્યો મજબૂત જવાબ

કાશ્મીરનાં મુદ્દા પર ભારતે પાકિસ્તાનનાં તમામ પ્રોપગેંડાને ધ્વસ્ત કરી દીધા છે, પરંતુ પાકિસ્તાન હજુ પણ પોતાની કરતૂતો છોડતુ નથી. પાકિસ્તાનનો દાવો છે કે ભારત મુસ્લિમ બહુમતીવાળા કાશ્મીરમાં હવે ‘હિંદુ ગીત’ ગાઈ રહ્યું છે. આ વાત અમેરિકી સાંસદોએ ભારતીય રાજદ્વારીનાં એક પ્રતિનિધિમંડળને કહી છે. અમેરિકામાં ભારતનાં રાજદૂત હર્ષ વર્ધન શ્રીંગલાનાં નેતૃત્વમાં ભારતીય પ્રતિનિધિંડળે અમેરિકી સાંસદો સાથે […]

Continue Reading

અયોધ્યા કેસના ચુકાદા પહેલા ચીફ જસ્ટીસે રદ કરી વિદેશયાત્રા

અયોધ્યામાં રામ જન્મભૂમિના મુદ્દે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી પુરી થઈ ગઈ છે. આ મામલાનો ચુકાદો 4 થી 17 નવેમ્બરની વચ્ચે આવશે તેવી અટકળો વચ્ચે ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ પોતાની વિદેશયાત્રા રદ કરી છે. સૂત્રોના કહેવા પ્રમાણે અયોધ્યા વિવાદમાં સુનાવણી કરનાર બેન્ચનુ નેતૃત્વ પણ ગોગોઈ કરી રહ્યા છે. 17 નવેમ્બરે તેઓ નિવૃત્ત થઈ રહ્યા છે. તે પહેલા […]

Continue Reading

લંડનમાં રહેતા દંપતિએ 11 વર્ષના દતક પુત્રને ગુજરાતમાં મરાવી નાખ્યો જેથી સવા કરોડનો વીમો મળે

લંડનમાં રહેતા એક ભારતીય મૂળના દંપતિ પર આરોપ છે કે તેમણે તેમના દત્તક પુત્રની હત્યાનું કાવતરું રચ્યું હતું જેથી તેની મોત બાદ 1.3 કરોડ રૂપિયાની વીમાની રકમ મેળવી શકે. આરોપ 55 વર્ષીય આરતી ધીર અને 30 વર્ષના કવલ રાયજાદા પર છે જે પશ્વિમ લંડનના હેનવેલ વિસ્તારમાં રહે છે. દંપત્તિએ પોલીસના આરોપનો ઇનકાર કર્યો છે. તેમના […]

Continue Reading

પદમા નદીમાં ભારત-બાંગ્લા સરહદ વિસ્તારમાં બાંગ્લાદેશના સુરક્ષા બળોએ ફાયરિંગ કર્યું, ભારતનો એક જવાન શહીદ

બાંગ્લાદેશ સરહદ સુરક્ષા બળના જવાનોએ ગુરુવારે પદમા નદીમાં ભારત-બાંગ્લાદેશ સરહદમાં ભારતીય સુરક્ષા બળના જવાનો પર એકાએક ફાયરિંગ શરૂ કરી દીધું હતું. ભારતીય જવાનો નદીમાં માછીમારોની શોધખોળ કરવા માટે ગયા હતા. આ ફાયરિંગમાં હેડ કોન્સ્ટેબલ વિજય ભાન સિંહને માથાના ભાગે ગોળી વાગી હતી જ્યારે તેમના સાથીઓને હાથના ભાગે ગોળી વાગી હતી. બન્ને દેશો વચ્ચેના તણાવમાં વધારો […]

Continue Reading

ATCની ગફલત: સ્પાઈસજેટના વિમાનને પાકિસ્તાનના F-16એ ઘેર્યું, પાયલટોએ ઉડાન દરમિયાન પૂછપરછ કરી

સ્પાઈસજેટના વિમાનને પાકિસ્તાનના F-16 વિમાનો દ્વારા ઘેરવાની વાત ગુરૂવારે બહાર આવી છે. રિપોર્ટ મુજબ, બે પાકિસ્તાની એફ-16 વિમાનના પાયલટે સ્પાઈસજેટના પાયલટ સાથે ઉડાન દરમિયાન જ પૂછપરછ કરી હતી. તેમણે પાયલટ પાસેથી ફલાઈટની માહિતી માંગી અને અલ્ટીટ્યુડ નીચે કરવાના નિર્દેશ પણ આપ્યા. આ ઘટના 23 સપ્ટેમ્બરની છે. ન્યુઝ એજન્સીના જણાવ્યા અનુસાર, સ્પાઈસ જેટના વિમાન એસજી-21એ દિલ્હીથી […]

Continue Reading

આંધ્રપ્રદેશમાં પત્રકારનું ગળુ દબાવીને કરી હત્યા, પહેલા પણ થયો હતો હુમલો

આંધ્ર પ્રદેશમાં તેલુગૂ પેપર માટે કામ કરી રહેલા એક પત્રકારની ગળુ દબાવીને હત્યા કરી દેવામાં આવી છે. આ ઘટનાથી રાજ્યના પત્રકારોમાં ખૂબ જ રોષ છે. સીએમ જગમોહને ઘટનાની તપાસના આદેશ આપ્યા છે. પત્રકાર પર આ હુમલો પૂર્વી ગોદાવરીના ટૂની વિસ્તારમાં થયો છે. પત્રકાર ટી સત્યનારાયણ એક તેલુગૂ સમાચાર પત્રમાં રિપોર્ટર તરીકે કામ કરતા હતા. આ […]

Continue Reading

અયોધ્યા મામલે નવા વળાંકની સંભાવના, સુન્ની વક્ફ બોર્ડ જમીનનો દાવો છોડવા તૈયાર: સૂત્રો

અયોધ્યા મામલે સુનાવણી પૂરી થતાની સાથે જ આ કેસમાં નવો વળાંક આવતો જોઇ શકાય છે. સૂત્રો મુજબ મધ્યસ્થતા પેનલે સુપ્રીમ કોર્ટમાં રિપોર્ટ સોંપી દીધો છે, જેમાં સુન્ની વક્ફ બોર્ડ અને હિન્દુ મહાસભાના હસ્તાક્ષર છે. માનવામાં આવી રહ્યું છે કે, બોર્ડ આ વાતે સહમત છે કે જો વિવાદીત જમીનને સરકાર હસ્તકે લે તો કોઇ જ વાંધો […]

Continue Reading

‘Bajaj ચેતક ઈલેક્ટ્રિક’ નવા અવતારમાં રજૂ, ઈકો મોડ પર 95 કિમી સુધી રેન્જ આપશે

‘બજાજ ઓટો’એ પોતાના લેજન્ડરી સ્કૂટર ‘બજાજ ચેતક’ને એક નવા અવતારમાં રજૂ કર્યું છે. નવું ચેતક કંપનીનું પહેલું ઈલેક્ટ્રિક સ્કૂટર છે. બુધવારે આયોજિત ‘હમારા બજાજ’ ઈવેન્ટમાં પોતાની ‘Urbanite’ બ્રાન્ડ અંતર્ગત ચેતક ઈલેક્ટ્રિક સ્કૂટર રજૂ કરવામાં આવ્યું છે. ઈન્ડિયન માર્કેટમાં ઈલેક્ટ્રિક સ્કૂટર ચેતકની ટક્કર Ather 450 અને Okinawa Praise સાથે થશે. ઈકો મોડમાં 95 કિલોમીટર સુધી રેન્જ […]

Continue Reading