વડાપ્રધાન મોદીએ નોટબંધીની જાહેરાત આરબીઆઈની મંજૂર વગર કરી હતી? ડેક્કન હેરાલ્ડમાં છપાયેલા એક રિપોર્ટના જણાવ્યા પ્રમાણે, આરટીઆઈમાંથી મળેલી માહિતીથી આ સમગ્ર વાત પ્રકાશમાં આવી છે. આ માહિતી પ્રમાણે નોટબંધીની જાહેરાતના અઢી કલાક પહેલા સાંજે 5.30 વાગે આરબીઆઈની બેઠક થઈ હતી. પરંતુ વડાપ્રધાને બોર્ડની મંજૂરી લીધા વગર જ નોટબંધીની જાહેરાત કરી હતી. આરબીઆઈએ 16 ડિસેમ્બર 2016એ સરકારના પ્રસ્તાવની મંજૂરી મોકલાવી હતી, એટલે કે 38 દિવસ બાદ આરબીઆઈએ આ મંજૂરી મોકલાવી હતી.

