કોરોના વાયરસને પગલે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજીને રાજ્યમાં આરોગ્ય સંલગ્ન સ્થિતિની સમીક્ષા કરી હતી. આ બેઠકમાં રાજ્યમાં શાળા કોલેજો, શૈક્ષણિક સંસ્થાઓમાં શૈક્ષણિક કાર્ય આવતીકાલને 16 માર્ચથી બે અઠવાડીયા એટલે કે 31 માર્ચ સુધી બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. જ્યારે બોર્ડ પરીક્ષાઓ યથાવત્ રહેશે.
સીએમ વિજય રૂપાણી અને ડે.સીએમ નીતિન પટેલે કેટલાક મહત્વના નિર્ણયો કર્યા છે. જેમાં રાજ્યમાં શાળા કોલેજો શૈક્ષણિક સંસ્થાઓમાં શૈક્ષણિક કાર્ય આવતી કાલથી બે અઠવાડિયા માટે બંધ રહેશે. હાલ માં જે બોર્ડ પરીક્ષાઓ ચાલી રહી છે તે યથાવત રહેશે. રાજ્યના સિનેમાઘરો સ્વિમિંગ પુલ પણ બંધ રહેશે. રાજ્યમાં જાહેર સ્થળોએ થુકવા પર પ્રતિબંધ લાગુ કરવામાં આવ્યો છે. એટલું જ નહિ જો કોઈ વ્યક્તિ આ પ્રતિબંધ નો ભંગ કરશે તો 500 રૂપિયા નો દંડ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ દ્વારા કરવામાં આવશે.
રાજ્ય સરકારે તમામ ધાર્મિક સંસ્થાઓ સંપ્રદાયોને પોતાના મેળાવડાઓ ધર્મ કાર્યક્રમો આગામી બે સપ્તાહ સુધીના યોજવા પણ અનુરોધ કર્યો છે. મુખ્ય સચિવ અનિલ મૂકિમ અને આરોગ્ય અગ્ર સચિવ ડો.જયંતિ રવિ એ જણાવ્યુ કે ગુજરાતમાં કોરોના વાયરસ સામે તકેદારી અને સાવચેતીના આગોતરા પગલાં રૂપે રાજ્ય સરકારે આ મહત્વના નિર્ણયો કર્યા છે.