કોંગ્રેસની વર્કિંગ કમિટીમાં ભાગ લેવા માટે સૌ પ્રથમ વખત ગાંધી આશ્રમ અને ગુજરાતની મુલાકાતે આવેલા પ્રિયંકા ગાંધીએ જનસંકલ્પ રેલીમાં આપેલા વક્તવ્ય દરમિયાન દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું નામ પણ ન લીધું. પરંતુ આકરા રાજકીય પ્રહાર કરતા જણાવ્યું હતું કે આગામી દિવસોમાં અનેક મુદ્દાઓ ઉછળશે પરંતુ આ સંજોગોમાં આપની દેશભક્તિ મતદાનમાં પ્રગટ થવી જોઈએ. તમે જાગરુક થાવો એ જ દેશભક્તિ છે. આજે દેશમાં જે કઈ પણ થઈ રહ્યું છે ત્યારે આ વખતે વિચારીને મત આપવા જજો. તમારો વોટ એક હથિયાર છે.

