સાક્ષી મહારાજ : આ છેલ્લી ચૂંટણી, લાગે છે હવે 2024માં ચૂંટણી નહીં થાય

દેશ-વિદેશ મુખ્ય સમાચાર રાજકીય

સમાચાર એજન્સી એએનઆઈના જણાવ્યા પ્રમાણે ઉત્તર પ્રદેશમાંથી ઉન્નાવના સાંસદ સાક્ષી મહારાજે કહ્યું છે કે 2019ની લોકસભા ચૂંટણી બાદ દેશમાં ચૂંટણીની જરૂરિયાત નહીં પડે, આ માટે તેમણે મોદીને ધન્યવાદ આપ્યા હતા. ઉન્નાવમાં તેમણે કહ્યું, “મોદી એક સુનામી છે. દેશમાં જાગૃતિ આવી છે. મને લાગે કે આ ચૂંટણી બાદ 2024માં ચૂંટણીની જરૂરિયાત નહીં પડે. કેવળ આ જ ચૂંટણી છે. આ દેશ માટે ઉમેદવારોને જીતાડવાનું કામ કરો. કૉંગ્રેસના પ્રવક્તા જીશાન હૈદરે બીબીસીને કહ્યું કે સાક્ષી મહારાજે ભાજપની ઇચ્છા સામે લાવી દીધી છે. તેમણે કહ્યું, “જેવી રીતે નરેન્દ્ર મોદી અને અમિત શાહ આજે ભાજપને ચલાવી રહ્યા છે.” “તમામ સંસ્થાઓને ખતમ કરી દીધી છે. સાક્ષી મહારાજે હવે સાફ કરી દીધું છે કે જો ભાજપ ફરી સત્તામાં આવ્યો તો આ દેશમાં તાનાશાહી હશે.”