લોકસભા ચૂંટણી જેમજેમ નજીક આવી રહી છે તેમતેમ પાર્ટીઓનો પ્રચાર પ્રસાર પણ ચરમ પર છે. એક તરફ જ્યાં પીએમ નરેન્દ્ર મોદીએ ‘મે ભી ચોકીદાર’નો નારો આપ્યો ત્યાં બીજી તરફ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ‘ચોકીદાર ચોર છે’નો નારો આપી દીધો. એવામાં હવે એક ટ્રેનમાં ચાના કપ પર પણ ‘મે ભી ચોકીદાર’ નો નારો જોઈને એક વ્યક્તિએ ફરિયાદ કરી દીધી તો હોબાળો મચી ગયો. વાસ્તવમાં કાઠગોદામ શતાબ્દી એક્સપ્રેસમાં મળેલી આ ચાના કપનો ફોટો વાયરલ થઈ રહ્યો છે. આનાથી વિવાદ ઉભો થયો.
આ કપ પર શું કહ્યુ ચૂંટણી કમિશને?
ચાના કપ પર નારાને ઘણા લોકો ચૂંટણીની આચાર સંહિતાનું ઉલ્લંઘન ગણાવી રહ્યા છે પરંતુ ચૂંટણી કમિશનનું કહેવુ છે કે આ કપનું કોઈ રાજકીય પાર્ટી સાથે કોઈ લેવાદેવા નથી કારણકે આ સંકલ્પ ફાઉન્ડેશન સાથે જોડાયેલો કપ છે. એટલા માટે આ અંગે કોઈ રાજકીય પક્ષ પર કોઈ પ્રકારની કોઈ કાર્યવાહી નહિ થાય.
શતાબ્દી ટ્રેનમાં ‘મે ભી ચોકીદાર’ કપમાં ચા પીરસાતા થયો હોબાળો
ઠેકેદાર સામે થશે કડક કાર્યવાહી
મુસાફરની ફરિયાદ બાદ રેલવેએ તરત જ આ કપને હટાવી લીધો છે અને ઠેકેદાર સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. રેલવેએ કહ્યુ કે આ ઉપરાંત સુપરવાઈઝર પર પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે. તમને જણાવી દઈએ કે ચૂંટણી આચાર સંહિતા લાગુ થયા બાદ આ રીતના પ્રચારને આચાર સંહિતાનું ઉલ્લંઘન માનવામાં આવે છે જેના પર કડક કાર્યવાહી થઈ શકે છે.

