સિંગાપુરથી દિલ્હી આવી રહેલ સિંગાપુર એરલાયન્સની ફ્લાઈટું બુધવારે દિલ્હી એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરાવવાાં આવ્યું. રાહતની વાત એ છે કે વિમાન સુરક્ષિત ઉતરી ગયું છે. વિમાનમાં 228 લોકો સવાર હતા. સિંગાપુરથીદિલ્હી માટે ઉડાણ ભરનાર સિંગાપુર એરલાયન્સની ફ્લાઈટ SQ406માં ફુલ ઈમરજન્સી ઘોષિત કરવામાં આવી હતી. જેથી ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. વિમાને દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટના રનવે નંબર 28 પર લેન્ડિંગ કર્યું. સુરક્ષિત લેન્ડિંગ બાદ એરપોર્ટ કર્મચારીઓ અને વિમાનના ક્રૂએ પણ રાહતનો શ્વાસ લીધો. તમામ યાત્રીઓ અને ક્રૂ મેમ્બર્સને સુરક્ષિત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા છે.
