દુષ્કર્મના આરોપી બસપા સાંસદ અતુલ રાય કોર્ટમાં સરન્ડર, 14 દિવસ માટે જેલમાં મોકલવામાં આવ્યા

મુખ્ય સમાચાર રાજકીય

ઉતરપ્રદેશના ઘોસીના બસપા સાંસદ અને દુષ્કર્મના આરોપી અતુલ રાયે શનિવારે વારાણસી કોર્ટમાં આત્મસમર્પણ કર્યું હતું. કોર્ટે તેમને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધા. તે લોકસભા ચૂંટણી પ્રચારના સમયે ફરાર રહ્યાં હતા. અતુલે વચગાળાના જામીન માટે સુપ્રીમ કોર્ટેમાં અરજી કરી હતી. ત્યાંથી રાહત ન મળવા પર તેમના વકીલે સરન્ડર માટે અરજી કરી હતી.

લોકસભા ચૂંટણીમાં બસપ નેતા અતુલ રાય ઘોસી સીટ પરથી ગઠબંધનના ઉમેદવાર હતા. 1 મેએ એક વિદ્યાર્થીનીએ વારાણસીના લંકા પોલીસ સ્ટેશનમાં તેમની વિરુદ્ધ બંધક બનાવીને દુષ્કર્મ કરવાનો કેસ કર્યો હતો. ત્યારથી રાય ફરાર હતા અને પ્રચાર અભિયાન દરમિયાન અન્ડરગ્રાઉન્ડ હતા. જોકે તેમના વોટ માંગવાના વીડિયો વાયરલ થતા રહ્યાં. રાયે ભાજપના હરિનારાયણ રાજભરને 1 લાખ 22 હજાર વોટોથી હરાવ્યા. અતુલ થોડા દિવસ અગાઉ લોકસભામાં સાંસદ પદનું શપથ લઈ શકયા ન હતા.

જીત બાદ વીડિયોમાં લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો

અતુલ મતદાન અને પરિણામના દિવસે ગુમ હતા. તે 24 મે સુધી ફેસબુક પર સક્રિયા રહ્યાં હતા. તેમણે પોતાના છેલ્લા વીડિયોમાં જીત માટે લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો. રાયે એક વીડિયોમાં કહ્યું હતું કે તે ઝડપથી વોકોની વચ્ચે આવશે. જનતાની કોર્ટ સૌથી મોટી હોય છે અને જનતાએ મને નિર્દોષ કરાર આપ્યો છે. ઝડપથી કાયદાકીય કાર્યવાહીથી મુક્ત થઈ જઈશ.