વેસ્ટ ઇન્ડીઝ સામેની મૅચમાં મહેન્દ્રસિંહ ધોનીએ બે છગ્ગા અને એક ચોગ્ગાની મદદથી 56 રન બનાવ્યા હતા. તેમની ઇનિંગની મદદથી ભારત સાત વિકેટે 268 રનનો સન્માનજનક જુમલો ખડકવામાં સફળ રહ્યું હતું.
આ પીચ ઉપર બેટિંગ કરવી સરળ ન હતી, તે અન્ય કોઈ સ્કોર કરતાં ઓછો સ્કોર ન હતો છતાં ભારતને વેસ્ટ ઇન્ડીઝને 125 રને વિજય મળ્યો.
આમ છતાં મૅચ બાદ મીડિયા તથા સોશિયલ મીડિયામાં ચર્ચા શરૂ થઈ ગઈ કે ધોનીએ ખૂબ જ ધીમી ઇનિંગ રમી અને તેમણે ધૂંઆધાર બૅટિંગ કરવાની જરૂર હતી.
માત્ર બેટિંગ માટે જ નહીં, પરંતુ માર્ગદર્શન માટે પણ ટીમને તેમની જરૂર છે.
કૅપ્ટન બાઉન્ડ્રી લાઇન પાસે રહીને ફિલ્ડિંગ કરે, એવું કેટલી વાર જોવા મળે? પરંતુ ભારતીય ટીમમાં લગભગ દરવખતે આ બાબત જોવા મળે છે, કારણ કે કોહલી જાણે છે કે ધોની વિકેટ પાછળથી સતતપણે બૉલર્સ સાથે વાતચીત કરતા રહે છે અને જરૂર પડ્યે ફિલ્ડિંગમાં પણ ફેરફાર કરવાની સૂચના આપે છે.
સ્પિનર્સ યુજવેન્દ્ર ચહલ તથા કુલદીપ યાદવની સફળતામાં ધોનીના પ્રદાનને નકારી ન શકાય.
ધોની ગેમ તથા બૅટ્સમૅનને માપી લેવાની કળા જાણે છે. બલ્લેબાજ શું કરવા માગે છે, તે તેઓ પારખી લે છે અને તેના આધારે બૉલર્સને સલાહ આપે છે, જેનો તેમને લાભ મળે છે.

