આજે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ રાજીવ ગાંધી ખેલ રત્ન ઍવૉર્ડ તથા અર્જુને ઍવૉર્ડ એનાયત કરશે.
ગુજરાતના જાણીતા ક્રિકેટર રવીન્દ્ર જાડેજાને અર્જુન ઍવૉર્ડ એનાયત થશે.
આ ઉપરાંત પહેલવાન બજરંગ પુનિયા અને ઍથ્લિટ દીપા મલિકને રાજીવ ગાંધી ખેલ રત્ન ઍવૉર્ડ એનાયત થશે.
આજે રાષ્ટ્રીય ખેલ દિવસ નિમિત્તે વડા પ્રધાન નરેન્દ્ર મોદી ફિટ ઇન્ડિયા અભિયાન શરૂ કરશે.
આ અભિયાનનો હેતુ લોકોને સ્વાસ્થ્ય બાબતે લોકોને જાગૃત કરવાનો છે.