PM શ્રી નરેન્દ્ર મોદી ની હાજરીમાં વિશ્વ ઉમિયાધામનું મહા ભૂમિપૂજન

ગુજરાત ધર્મદર્શન રાજકીય

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં વિશ્વ ઉમિયાધામનું મહા ભૂમિપૂજન આગામી તા.૪ માર્ચે મહાશિવરાત્રિના પવિત્ર દિવસે એસ.જી. હાઈવે ખાતે વૈષ્ણોદેવી સર્કલ નજીક જાસપુર ગામ પાસે થશે. આ અંગેની વિગતો પત્રકારોને આપતાં વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના મુખ્ય સંયોજક સી.કે. પટેલે જણાવ્યું કે પાટીદારોનાં વૈશ્વિક મથક એવા અમદાવાદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં વિશ્વ ઉમિયાધામનું મહા ભૂમિપૂજન થશે. આ પ્રસંગે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ, સ્વામી સચ્ચિદાનંદજી મહારાજ-દંતાલી, જગન્નાથજી મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ ઉપસ્થિત રહેશે. સાથે જ વિદેશથી NRI, અન્ય રાજ્યોમાંથી પણ પાટીદારો આવશે. આ મહોત્સવમાં ઉપસ્થિત રહેવા માટે પાંચ લાખ કરતાં વધુ આમંત્રણ પત્રિકા પાઠવવામાં આવી છે.

મહા ભૂમિપૂજનની વિશેષતાઓ
– એક કરોડ ૭૦ લાખ ચો. ફૂટ વિસ્તારમાં સમગ્ર કાર્યક્રમનું આયોજન
– ૧૧,૦૦૦ યજમાનો મા ઉમિયાની મહાપૂજા કરશે.
– ૨૦,૦૦૦ સ્વયંસેવક ખડે-પગે સેવા આપશે.
– ૫,૦૦૦ મહિલા પાંચ લાખ લોકોને પ્રસાદી ભોજન કરાવશે.
– ૩,૦૦૦થી વધુ બસોમાં લોકો રાજ્યભરમાંથી આવશે
– એક કરોડ ૧૦ લાખ ચો.ફૂટ વિસ્તારમાં ૭૫,૦૦૦ કાર અને બસોનું પાર્કિંગ