ખેડૂતોને સમયસર પાક વીમાની રકમ ના ચૂકવાતા સરકારે આ કંપનીને કરી દીધી બ્લેકલિસ્ટ

ખેડૂતોને સમયસર પાક વીમાની રકમ ના ચૂકવાતા રાજ્યના કૃષિ વિભાગે એસબીઆઈ જનરલ ઈન્સ્યોરન્સ કંપનીને બ્લેક લિસ્ટ કરી છે.વર્ષ 2017માં બનાસકાંઠાના પીડિત ખેડૂતોને સમયસર પાક વીમાની રકમ ચૂકવાઈ નહોતી. આ મામલે ભારત સરકારે પણ મધ્યસ્થી કરી વીમા કંપનીને રકમ ચૂકવી દેવા જાણ કરી..પરંતુ કંપની દ્વારા બિનજરૂરી પુરાવાઓ અને દલીલો કરીને રકમ ચૂકવવામાં આનાકાની કરાતી હતી. આખરે […]

Continue Reading

અમેરિકી સાંસદો સામે ભારતે કાશ્મીર પર પાકિસ્તાનનાં જૂઠનો કર્યો પર્દાફાશ, આપ્યો મજબૂત જવાબ

કાશ્મીરનાં મુદ્દા પર ભારતે પાકિસ્તાનનાં તમામ પ્રોપગેંડાને ધ્વસ્ત કરી દીધા છે, પરંતુ પાકિસ્તાન હજુ પણ પોતાની કરતૂતો છોડતુ નથી. પાકિસ્તાનનો દાવો છે કે ભારત મુસ્લિમ બહુમતીવાળા કાશ્મીરમાં હવે ‘હિંદુ ગીત’ ગાઈ રહ્યું છે. આ વાત અમેરિકી સાંસદોએ ભારતીય રાજદ્વારીનાં એક પ્રતિનિધિમંડળને કહી છે. અમેરિકામાં ભારતનાં રાજદૂત હર્ષ વર્ધન શ્રીંગલાનાં નેતૃત્વમાં ભારતીય પ્રતિનિધિંડળે અમેરિકી સાંસદો સાથે […]

Continue Reading

INX મીડિયા કેસ: પી.ચિદમ્બરમની મુશ્કેલીઓનો અંત નથી! 24 ઓક્ટોબર સુધી રહેશે કસ્ટડીમાં

પ્રાપ્ત માહિતી મુજબ કોર્ટે તેમને વેસ્ટર્ન ટોઈલેટ વાપરવાની તથા ઘેર બનેલું ભોજન ખાવાની મંજૂરી આપી છે. દિલ્હી કોર્ટના આદેશાનુસાર ઈડીએ તિહાડ જેલમાંથી ચિદમ્બરને કસ્ટડીમાં લીધા હતા. 21 ઓગસ્ટે સીબીઆઈ દ્વારા ધરપકડ થયા બાદ ચિદમ્બરમને તિહાડ જેલમાં રાખવામાં આવ્યાં હતા. આ પહેલા દિલ્હી કોર્ટના આદેશાનુસાર ઈડીએ ચિદમ્બરમ્ની બે કલાકની પૂછપરછ કરીને ધરપકડ કરી હતી. ચિદમ્બરમ્ની પૂછપરછ […]

Continue Reading

અયોધ્યા કેસના ચુકાદા પહેલા ચીફ જસ્ટીસે રદ કરી વિદેશયાત્રા

અયોધ્યામાં રામ જન્મભૂમિના મુદ્દે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી પુરી થઈ ગઈ છે. આ મામલાનો ચુકાદો 4 થી 17 નવેમ્બરની વચ્ચે આવશે તેવી અટકળો વચ્ચે ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ પોતાની વિદેશયાત્રા રદ કરી છે. સૂત્રોના કહેવા પ્રમાણે અયોધ્યા વિવાદમાં સુનાવણી કરનાર બેન્ચનુ નેતૃત્વ પણ ગોગોઈ કરી રહ્યા છે. 17 નવેમ્બરે તેઓ નિવૃત્ત થઈ રહ્યા છે. તે પહેલા […]

Continue Reading

લંડનમાં રહેતા દંપતિએ 11 વર્ષના દતક પુત્રને ગુજરાતમાં મરાવી નાખ્યો જેથી સવા કરોડનો વીમો મળે

લંડનમાં રહેતા એક ભારતીય મૂળના દંપતિ પર આરોપ છે કે તેમણે તેમના દત્તક પુત્રની હત્યાનું કાવતરું રચ્યું હતું જેથી તેની મોત બાદ 1.3 કરોડ રૂપિયાની વીમાની રકમ મેળવી શકે. આરોપ 55 વર્ષીય આરતી ધીર અને 30 વર્ષના કવલ રાયજાદા પર છે જે પશ્વિમ લંડનના હેનવેલ વિસ્તારમાં રહે છે. દંપત્તિએ પોલીસના આરોપનો ઇનકાર કર્યો છે. તેમના […]

Continue Reading

મેડિકલમાં પ્રવેશ માટે NEETની પરીક્ષા ફરજિયાત, કોલેજો પ્રવેશને લઈ મનમાની નહીં કરી શકે: હાઈકોર્ટ

મેડિકલમાં ખાલી પડેલી જગ્યાઓમાં પ્રવેશને લઇને આજે ગુજરાત હાઈકોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. હવે મેડિકલમાં પ્રવેશ માટે કોલેજો મનમાની કરી શકશે નહીં.જે વિદ્યાર્થીએ NEETની પરીક્ષા પાસ કરી હશે તેને જ મેડિકલમાં પ્રવેશ મળશે. હાઈકોર્ટે પારૂલ યુનિવર્સિટીના MBBSના 15 વિદ્યાર્થીઓને ચાલુ અભ્યાસમાંથી ડિસ્ચાર્જ કરવાનો આદેશ કર્યો છે. સંસ્થાઓ વિદ્યાર્થીઓની કારર્કીદીને નુકસાન થશે તેવા બહાના કરી છટકી […]

Continue Reading

પદમા નદીમાં ભારત-બાંગ્લા સરહદ વિસ્તારમાં બાંગ્લાદેશના સુરક્ષા બળોએ ફાયરિંગ કર્યું, ભારતનો એક જવાન શહીદ

બાંગ્લાદેશ સરહદ સુરક્ષા બળના જવાનોએ ગુરુવારે પદમા નદીમાં ભારત-બાંગ્લાદેશ સરહદમાં ભારતીય સુરક્ષા બળના જવાનો પર એકાએક ફાયરિંગ શરૂ કરી દીધું હતું. ભારતીય જવાનો નદીમાં માછીમારોની શોધખોળ કરવા માટે ગયા હતા. આ ફાયરિંગમાં હેડ કોન્સ્ટેબલ વિજય ભાન સિંહને માથાના ભાગે ગોળી વાગી હતી જ્યારે તેમના સાથીઓને હાથના ભાગે ગોળી વાગી હતી. બન્ને દેશો વચ્ચેના તણાવમાં વધારો […]

Continue Reading

ATCની ગફલત: સ્પાઈસજેટના વિમાનને પાકિસ્તાનના F-16એ ઘેર્યું, પાયલટોએ ઉડાન દરમિયાન પૂછપરછ કરી

સ્પાઈસજેટના વિમાનને પાકિસ્તાનના F-16 વિમાનો દ્વારા ઘેરવાની વાત ગુરૂવારે બહાર આવી છે. રિપોર્ટ મુજબ, બે પાકિસ્તાની એફ-16 વિમાનના પાયલટે સ્પાઈસજેટના પાયલટ સાથે ઉડાન દરમિયાન જ પૂછપરછ કરી હતી. તેમણે પાયલટ પાસેથી ફલાઈટની માહિતી માંગી અને અલ્ટીટ્યુડ નીચે કરવાના નિર્દેશ પણ આપ્યા. આ ઘટના 23 સપ્ટેમ્બરની છે. ન્યુઝ એજન્સીના જણાવ્યા અનુસાર, સ્પાઈસ જેટના વિમાન એસજી-21એ દિલ્હીથી […]

Continue Reading

બ્રાયન લારાએ કહ્યું- ભારતની ફાસ્ટ બોલિંગ અવિશ્વસનીય, તે જૂની વેસ્ટઈન્ડિઝ ટીમની યાદ અપાવે છે

વેસ્ટઈન્ડિઝના પૂર્વ કેપ્ટન બ્રાયન લારાએ ટીમ ઈન્ડિયાની પ્રશંશા કરી છે. લારાએ કહ્યું કે ઇન્ડિયન ટીમની અત્યારની બોલિંગનું આક્રમણ તેમને જૂની વેસ્ટઈન્ડિઝ ટીમની યાદ અપાવે છે. લારાએ જસપ્રીત બુમરાહ, ઈશાંત શર્મા અને મોહમ્મદ શમીને શાનદાર કહ્યા. આ બોલર્સે 2018માં રેકોર્ડ 142 ટેસ્ટ વિકેટ લીધી છે. રિઝર્વ બોલર ટીમની ક્ષમતાનું વિશ્લેષણ કરવા માટે જરૂરી લારાને જ્યારે પૂછવામાં […]

Continue Reading

પ્રાંતિજ: હિંમતનગર થી અમદાવાદ ખાતે દોડાવવામાં આવશે રેલ્વે ટ્રેન

હિંમતનગર, પ્રાંતિજ, તલોદ અમદાવાદ સુધીનો રેલ્વે ટ્રેક બ્રોડગેજમાં રૂપાંતરિત કરવામાં આવ્યો છે જેમાં આજે સાબરકાંઠા- અરવલ્લી સાંસદ દિપસિહ રાઠોડ, પ્રાંતિજ-તલોદ ના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર તથા પૂર્વ કાયદામંત્રી વી ડી ઝાલા, રણજીતસિંહ રાઠોડ દ્વારા રેલ્વે ની મુસાફરી કરી હતી ત્યારે સાંસદ દિપસિહ રાઠોડ હિંમતનગર થી પ્રાંતિજ સુધી મુસાફરી કરી તો પ્રાંતિજ રેલ્વે સ્ટેશન ખાતે સાંસદ દિપસિહ […]

Continue Reading