બાળકો પાસે ભીખ મંગાવવા અને ચોરી કરાવવાના રેકેટનો પર્દાફાશ, 17 બાળકોને રેસ્ક્યુ કરાયા

અમદાવાદ: શહેરના જુદા-જુદા વિસ્તારમાં બાળકો પાસે ભીખ મંગાવતી અને ચોરી કરાવતી મહિલા સહિત 2 લોકોની મહિલા ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. પોલીસે વટવા વિસ્તારમાં આવેલા એક મકાનમાં દરોડો પાડી 17 બાળકોને રેસ્કયુ કરાવ્યા હતા. બાળકોને અલગ અલગ સંસ્થાઓમાં મોકલી આપવામાં આવ્યા છે જ્યારે મહિલા આરોપી અને તેના સાગરીતની પૂછપરછ શરૂ કરવામાં આવી છે. ચાર-પાંચ લોકોની ગેંગ […]

Continue Reading

મોલ-મલ્ટીપ્લેક્સ હવે પાર્કિંગ ચાર્જ નહીં વસૂલી શકે : ગુજરાત હાઇકોર્ટ

ગુજરાત હાઇકોર્ટે મોલ અને મલ્ટીપ્લેક્સ મામલે મહત્વનો નિર્ણય આવ્યો છે. આ મામલે ડિવિઝન બેન્ચે જણાવ્યું છે કે, ‘હવેથી મોલ મલ્ટીપ્લેક્સ પાર્કિંગ ચાર્જ લઇ શકશે નહીં. જો આવું કરશે તો તેમની સામે કોર્પોરેશન અને પોલીસ કાયદેસરની કાર્યવાહી કરી શકે છે.’ આ મામલો થોડો સમયથી ઘણો વિવાદમાં ચાલી રહ્યો હતો. ગત વર્ષે ઓક્ટોબરમાં મોલ અને મલ્ટિપ્લેક્સમાં પાર્કિંગ […]

Continue Reading

માંડલના વરમોરમાં દલિત યુવકની થયેલી હત્યાનો પડઘો લોકસભામાં પડયો

આંતરજ્ઞાતીય લગ્ન કરનાર દલિત યુવક હરેશ સોલંકીની માંડલના વરમોરમાં થયેલી હત્યાનો પડઘો બુધવારે લોકસભામાં પડયો હતો. કેરળથી કોંગ્રેસના સાંસદ કે. સુરેશે ગુજરાતમાં માનવ અધિકારના હનન મુદ્દે સરકારની જવાબદેહિતા મુદ્દે સભા મોકૂફ કરવાના પ્રસ્તાવની નોટિસ આપી છે. જેના પર લોકસભા અધ્યક્ષ નિર્ણય કરશે. સમાનતા, અહિંસા જેવા મૂલ્યોની ગાંધીના ગુજરાતમાં જ હત્યા થઈ રહી છે. મંગળવારે હરેશની […]

Continue Reading

પેન્શનર્સ માટે ખુશ ખબરઃ સ્કેલ ટુ સ્કેલનો લાભ આપવા હાઈકોર્ટનો હુકમ

ગુજરાત રાજ્યના લાખો પેન્શનર્સ માટે ખુશીના સમાચાર આવ્યા છે. અત્યાર સુધી તેમને સ્કેલ ટુ સ્કેલનો લાભ આપવામાં આવતો ન હતો. હાઈકોર્ટે તમામ પેન્શનર્સને સ્કેલ ટુ સ્કેલનો લાભ આપવામાં આવે તેનો નિર્ણય કરતા રાજ્ય સરકારને મોટો ઝાટકો પહોંચ્યો છે. જે પેન્શનર ધારકોએ હાઈકોર્ટમાં અરજી ન કરી હોય તેમને નોશનલ બેનિફિટ આપવા અંગે સરકારે 2018માં ઠરાવ કર્યો […]

Continue Reading

રોહિત કોહલી નહીં પણ આ ખોલાડી છે ટીમ ઈન્ડિયાની હાર માટે જવાબદાર: હરભજન

ન્યૂઝીલેન્ડે વર્લ્ડકપ 2019 સેમિ-ફાઇનલમાં 18 રનથી ભારતને હરાવ્યું. આ સાથે, માન્ચેસ્ટરમાં બુધવારે ટીમ ઇન્ડિયાનું ત્રીજી વખત વર્લ્ડ ચેમ્પિયન બનવાનુ સ્વપન તુટી ગયુ છે. અત્યાર સુધીમાં ભારતીય સ્પિનર ​​હરભજનસિંહે ભારતની હાર માટેના કારણોની ગણતરી કરી હતી. હરભજન સિંહે કહ્યું, ‘ધવન અને અંબાતી રાયડુ જેવા બેટ્સમેનની જગ્યાએ કે.એલ. રાહુલ અને દિનેશ કાર્તિકને ખુબ જ આશાઓ સાથે ટીમમાં […]

Continue Reading

પ્રથમ 45 મિનિટની રમતે ટીમને વર્લ્ડ કપની બહાર કરી દીધી: વિરાટ કોહલી

ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ સેમિફાઇનલમાં ન્યૂઝીલેન્ડ સામે18 રનથી હાર્યા પછી કહ્યું કે, ટ્રેન્ટ બોલ્ટ અને મેટ હેનરીના શરૂઆતી સ્પેલના લીધે ટીમ વર્લ્ડ કપની બહાર થઇ હતી. તેણે કહ્યું કે તે બંનેએ ફાસ્ટ બોલિંગનો શ્રેષ્ઠ સ્પેલ નાખ્યો હતો. તેમણે અમને ભૂલ કરવા મજબૂર કર્યા હતા. 6 રનમાં 3 વિકેટ ગુમાવ્યા પછી કોઈ પણ ટીમ માટે […]

Continue Reading

ભારત વર્લ્ડ કપમાંથી બહાર, ભારે રોમાંચ બાદ કિવિ સામે ભારતનો 18 રનથી પરાજય

વર્લ્ડ કપમાં સૌથી વધુ રન ફટકારનારો રોહિત શર્મા અને કેપ્ટન વિરાટ કોહલી નિષ્ફળ જતાં ભારત વન-ડે ક્રિકેટ વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગયું છે. ન્યૂઝીલેન્ડ સામે રમાયેલી સેમિફાઇનમાં ભારત 18 રનથી હારી ગયું હતું. રવીન્દ્ર જાડેજાએ લડાયક રમત દાખવી હતી. તેણે ધોની સાથે મળીને ભારતને વિજયની નજીક લાવી દીધું હતું પરંતુ ભારે રોમાંચ અને વારંવાર મેચનું […]

Continue Reading

PM મોદીએ ટ્વીટ કરીને કહ્યું, હાર અને જીત જીવનનો એક ભાગ

ન્યૂઝીલેન્ડે ભારતને ઇંગ્લેન્ડના ઓલ્ડ ટ્રેફર્ડ મેદાનમાં રમવામાં આવેલી સેમિફાઇનલ મેચમાં 18 રનથી હરાવીને ફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો છે સાથે જ ભારતની વિશ્વકપમાં સફરનો અંત આવ્યો છે. ટીમ ઇન્ડિયાની મેચ હારવા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને તેમના શાનદાર પ્રદર્શન બદલ તેમને શુભકામનાઓ પાઠવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લખ્યું, હાર-જીત એ એક જીવનનો ભાગ છે, અમે […]

Continue Reading

કર્ણાટક પછી ગોવામાં પણ કોંગ્રેસના 10 ધારાસભ્યોના રાજીનામા પડ્યા: રિપોર્ટ

દેશભરમાં હાલ કર્ણાટકનું રાજકીય નાટક ચર્ચાનો વિષય બન્યો છે. કર્ણાટકમાં હાલ કોંગ્રેસનું અસ્તિત્વ જોખમાયું છે, તેના મોટાભાગના નેતાઓ સતત રાજીનામા આપી રહ્યા છે. તો બીજી તરફ કર્ણાટક ભાજપા હવે સરકાર રચવા માટે દાવો કરી રહી છે. કોંગ્રેસ માટે આ કપરા સમયમાં દેશના ગોવા રાજ્યમાંથી પણ ખરાબ સમાચાર આવી રહ્યા છે. તાજેતરના એક રિપોર્ટ મુજબ ગોવા […]

Continue Reading

64 ગીર ગાયોનું ગેરકાયદેસર સ્થળાંતર છતાં સરકારનું મૌન…

ગુજરાતમાંથી ગીર ગાયોનું ગેરકાયદેસર રીતે સ્થળાંતર કરાઈ રહ્યું છે. સોમનાથના કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ આ અંગે પ્રશ્ન પૂછ્યો હતો. જેમાં જણાવ્યું હતું કે રાજ્યમાંથી ગેરકાયદેસર રીતે 64 ગાયોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. આ બાબતની જાણ થયા બાદ સરકારે જવાબદાર ગણાતા તમામ ઉચ્ચ અધિકારીઓની સામે કાર્યવાહી કરવાનો આદેશ પણ આપ્યો હતો. જુનાગઢ તથા રાજકોટના જિલ્લા કલેકટર […]

Continue Reading