રોહિત કોહલી નહીં પણ આ ખોલાડી છે ટીમ ઈન્ડિયાની હાર માટે જવાબદાર: હરભજન

ખેલ-જગત મુખ્ય સમાચાર

ન્યૂઝીલેન્ડે વર્લ્ડકપ 2019 સેમિ-ફાઇનલમાં 18 રનથી ભારતને હરાવ્યું. આ સાથે, માન્ચેસ્ટરમાં બુધવારે ટીમ ઇન્ડિયાનું ત્રીજી વખત વર્લ્ડ ચેમ્પિયન બનવાનુ સ્વપન તુટી ગયુ છે. અત્યાર સુધીમાં ભારતીય સ્પિનર ​​હરભજનસિંહે ભારતની હાર માટેના કારણોની ગણતરી કરી હતી.

હરભજન સિંહે કહ્યું, ‘ધવન અને અંબાતી રાયડુ જેવા બેટ્સમેનની જગ્યાએ કે.એલ. રાહુલ અને દિનેશ કાર્તિકને ખુબ જ આશાઓ સાથે ટીમમાં લીધો હતો પરંતુ બંને મોટી મેચમાં પિચ પર બોલનો સામનો ન કરી શક્યો. આ ખેલાડીઓએ વિચારવું જોઈએ કે ટીમમાં તેમનું સ્થાન જેમની જગ્યાએ પસંદ કરવામાં આવ્યું છે તેમાં પણ કોઈ કમી ન હતી. આમ કહીને ભજજીએ રાયડુની પસંદગી ન કરવા તરફ ધ્યાન દોર્યું.