COVID 19: રેલવેનો મહત્વનો નિર્ણય મહારાષ્ટ્રથી દોડતી 23 ટ્રેનો રદ્દ

દેશમાં ઘણા શહેરોમાં કોરોના વાયરસનાં  પગલે જાહેર સેવાઓ બંધ કરવામાં આવી છે,મંગળવારે કોરોના વાયરસનાં ચેપનાં  જોખમને જોતા સેન્ટ્રલ રેલવે દ્વારા મોટી સંખ્યામાં ટ્રેનો રદ્દ કરવામાં આવી છે. મહારાષ્ટ્રથી આવનારી અને રદ્દ કરવામાં આવેલી ટ્રેનોની સંખ્યા 23 છે, તેમાંથી કેટલીકને માર્ચનાં અંત સુંધી તો કેટલીકને એપ્રિલ સુંધી રદ્દ કરવામાં આવી છે. મળેલી માહિતી મુંજબ મંગળવારે મહારાષ્ટ્રમાં […]

Continue Reading

અત્યાર સુધી 141 કેસઃ મહારાષ્ટ્રમાં 41 કેસ, ઉદ્ધવે કહ્યું સરકારી ઓફિસ બંધ રહેવાની વાતો અફવા, લોકલ ટ્રેન પણ ચાલુ

દેશમાં કોરોના વાઈરસથી ત્રણ લોકોએ જીવ ગુમાવ્યા છે અને 141 કેસ સામે આવી ચૂક્યા છે. 17 માર્ચે જ પાંચ નવા કેસ સામે આવ્યા છે.લદ્દાખમાં વધુ ત્રણ લોકોના ટેસ્ટ પોઝિટિવ આવ્યા છે. જેમાં બે કેસ લેહ અને 1 કારગિલ જિલ્લાનો છે. 10 માર્ચે દેશમાં કુલ 50 સંક્રમિત હતા. કુલ સંક્રમિતોમાં 17 વિદેશી નાગરિકો પણ સામેલ છે. […]

Continue Reading

દેશભરમાં 138 કેસ,5700 લોકો સર્વેલન્સ હેઠળ,મહારાષ્ટ્રમાં સૌથી વધું કેસની પુષ્ટી

દેશભરમાં કોરોના વાયરસના સંક્રમણના અત્યાર સુધી 138 મામલા સામે આવી ચુક્યા છે. તેમાંથી 114 ભારતીય અને 24 વિદેશી નાગરિક છે. મુંબઈ અને પિંપરી-ચિંચવાડમાં મંગળવારે 1-1 યુવકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. બંન્ને યુવક અમેરિકાથી પરત આવ્યા હતા. રાજ્યમાં પીડિતોનો આંકડો હવે 41 થઈ ગયો છે. તો દેશમાં ત્રણ લોકોના મોત થયા છે. મુંબઈમાં મંગળવારે 64 વર્ષના […]

Continue Reading

હવે ખાનગી લેબને પણ કોરોના વાઈરસની તપાસની મંજુરી આપવાનો નિર્ણય

કોરોના વાઈરસથી સંક્રમિત લોકોની જલ્દી ઓળખ માટે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે ખાનગી પેથોલોજી લેબને કોરોનાની તપાસ કરવાની મંજુરી આપવાનો નિર્ણય કર્યો છે. મંત્રાલયના અધિકારીએ જણાવ્યું કે હજુ માત્ર સરકારી લેબને જ કોરોના વાઈરસની તપાસ કરવાની મંજુરી છે. પરંતુ ખાનગી લેબને તેની મંજુરી આપીને તપાસના કાર્યમાં બે ગણી ઝડપ લાવવાના પ્રયાસ કરવામાં આવી રહ્યાં છે. મંત્રાલયે જણાવ્યું […]

Continue Reading

કોરોનાથી દેશમાં વધુ એક મોત: પોઝિટિવ કેસો વધીને ૧૩૭ થઇ

ભારતમાં કોરોના વાયરસને કારણે એક ૫૩ વર્ષીય પુરુષનું મોત થયું છે. આની સાથે જ દેશમાં આ બીમારીને કારણે મૃત્યુઆંક વધીને ત્રણ થયો છે તેમજ કોરોનાના પોઝિટિવ કેસોની સંખ્યા પણ વધીને ૧૩૭એ પહોંચી ગયો છે. આ બીમારીના પ્રસારને અટકાવવા માટે દેશના વધુ ભાગો બંધ કરી દેવાયા છે તેમ આરોગ્ય વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું. સરકારે અફઘાનિસ્તાન, ફિલીપાઇન્સ […]

Continue Reading

ઈટલીનું લોમ્બાર્ડી વિશ્વનું નવું વુહાન બન્યું, અહીં અત્યાર સુધીમાં 1200થી વધુના મોત, એમબ્યુલન્સ ઓછી પડી

ચીનના વુહાનથી શરૂ થયેલા કોરોનાવાઈરસે સમગ્ર વિશ્વમાં કહેર મચાવ્યો છે. એક સમય એવા હતો કે જ્યારે વુહાનમાં સૌથ વધુ મોત થતા હતા. રોજ 150થી 200 લોકો મૃત્યુ પામતા હતા. એકલા વુહાનમાં જ અત્યાર સુધીમાં 2600થી વધુ સંક્રમિતોના મોત થયા છે. હાલ જ્યારે ત્યાં સ્થિતિ કાબુમાં છે તો ઈટલીના લોમ્બાર્ડી શહેર વિશ્વનું નવું વુહાન બની રહ્યું […]

Continue Reading

સમગ્ર વિશ્વમાં તાળાબંધી : 24 કલાકમાં ઇટાલીમાં રેકોર્ડબ્રેક 368નાં મોતથી હાહાકાર

સમગ્ર વિશ્વ દિવસે ને દિવસે કોરોના વાઇરસના ભરડામાં વધુ ને વધુ જકડાઈ રહ્યું છે. ચીન પછી કોરોનાનું એપી સેન્ટર બનેલા ઈટાલીમાં કોરોનાના કારણે 1,441 લોકોનાં મોત નીપજ્યાં છે જ્યારે સ્પેનમાં છેલ્લા 24 ક્લાકમાં 100 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 291 થઈ ગયો છે. વિશ્વના 134 દેશો કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. સમગ્ર વિશ્વમાં સરકારી તંત્રો […]

Continue Reading

શેર બજાર પર કોરોનાનો પ્રકોપ યથાવત: સેન્સેક્સમાં 2000નો પ્રચંડ કડાકો

દુનિયાભરના શેર બજારો પર કોરોના વાયરસનો પ્રકોપ આજે પણ યથાવત્ રહ્યો છે. જેના કારણે સોમવારે ભારતીય બજાર ખુલવાની સાથે જ સેન્સેક્સમાં પ્રચંડ કડાકો જોવા મળ્યો છે. બોમ્બે સ્ટોર એક્સચેન્જનો સેન્સેક્સ લગભગ 1000 પોઈન્ટના કડાકા સાથે 33,103.24 પોઈન્ટ પર ખુલ્યું હતું. આ રીતે જ નેશનલ સ્ટોક એક્સચેન્જની નિફ્ટી પણ 9,587.80 પર ખુલી હતી. થોડા જ સમયમાં […]

Continue Reading

બાંગ્લાદેશ: હિન્દુ પુજારીની હત્યાના કેસમાં આરોપી ચાર આતંકીઓને ફાંસીની સજા

બાંગ્લાદેશમાં પ્રતિબંધિત ઇસ્લામિક આતંકી સંગઠન જમાત ઉલ મુજાહિદીન બાંગ્લાદેશ સાથે જોડાયેલા ચાર વ્યક્તિઓને હિન્દુ પુજારીની હત્યાના કેસમાં ફાંસીની સજા સંભળાવવામાં આવી છે. આ ચારે વ્યક્તિને હિન્દુ પુજારી જગનેશ્વર રોયી હત્યાના કેસમાં આરોપી ઠેરવતા સજા ફટકારવામાં આવી હતી.  રાજશાહીના ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચાલી રહેલી સુનવણી દરમિયાન ચારે આરોપીઓને સજા ફટકારવામાં આવી હતી.  ઉલ્લેખનીય છે કે 50 […]

Continue Reading

ભાજપ ડરી ગઇ હોવાથી કોંગ્રેસના ધારાસભ્યોને બંધક બનાવી રાખ્યા છે: કમલનાથ

મધ્ય પ્રદેશના રાજકારણમાં નાટકીય ઘટનાક્રમ પછી આવતી કાલે કમલનાથ સરકારનું બહુમતી પરીક્ષણ થાય એવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. પરંતુ આ મુદ્દે સીએમ કમલનાથ નિશ્ચિત મુદ્રામાં જોવા મળ્યા હતા. મીડિયા સાથે વાતચીત કરતા તેમણે દાવો કર્યો હતો કે એમની સરકારને કોઇ ખતરો નથી અને જો ફ્લોર ટેસ્ટ થાય છે તો તેમની સરકાર ખરી ઉતરશે. […]

Continue Reading