વિશેષ કોર્ટે દેશદ્રોહના મામલે પરવેઝ મુશર્રફને ફાંસીની સજા સંભળાવી, 4 વર્ષથી દુબઈમાં રહે છે

પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફને પાકિસ્તાનની વિશેષ કોર્ટે ફાંસીની સજા સંભળાવી છે. પાકિસ્તાનના ઈતિહાસમાં પહેલી વખત પેશાવર હાઈકોર્ટના ચીફ જસ્ટિસ વકાર અહેમદ સેઠની અધ્યક્ષતામાં વિશેષ કોર્ટની ત્રણ સભ્યોની બેંચે મંગળવારે આ નિર્ણય કર્યો છે. હાલ પરવેઝ મુશર્રફ દુબઈમાં છે. 3જી નવેમ્બર, 2007ના રોજ કટોકટીની સ્થિતી માટે પરવેઝ મુશર્રફ પર ડિસેમ્બર 2013માં દેશદ્રોહનો કેસ કરાયો હતો. […]

Continue Reading

માઉન્ટ આબુમાં શિયાળો જામ્યો, પ્રવાસન સ્થળ ખાતે વાહનો પર બરફના થર જામ્યા

પાડોશી રાજ્ય રાજસ્થાનમાં આવેલા અને બનાસકાંઠાને અડીને આવેલા હિલ સ્ટેશન માઉન્ટ આબુ ખાતે શિયાળો જામ્યો છે. અહીં ઠંડીનું મોજું ફરી વળ્યું છે અને પ્રવાસીઓએ પાર્ક કરેલા વાહનો પર બરફ જામી ગયો છે. પ્રવાસન સ્થળ પર પહોંચેલા પ્રવાસીઓ વાહનો પરના બરફને ઉખાડી રહ્યા છે અને તેનાથી બાળકો રમી રહ્યા છે. અહીં તાપમાન શૂન્યની નજીક પહોંચી ગયું […]

Continue Reading

નાગરિકતા બિલ વિરૂદ્ધ IIM પાસે પ્રદર્શન, 60ની અટકાયત, પોલીસે પ્રદર્શનકારીઓની ટીંગાટોળી કરી

હાલ CAB(સિટિઝનશિપ એમેન્ડમેન્ટ બિલ)ના વિરોધમાં જામિયા યુનિવર્સિટીથી લઈ દેશના અનેક રાજ્યોમાં ઉગ્ર પ્રદર્શન થઈ રહ્યું છે. તેની સાથે સાથે આજે અમદાવાદમાં પણ બિલના વિરોધમાં અલ્પસંખ્યક અધિકાર મંચ દ્વારા પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેને પગલે ક્રાઈમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. ત્યાર બાદ પોલીસે અમદાવાદ આઈઆઈએમ પાસે વિરોધ કરી રહેલા 15 જેટલા […]

Continue Reading

એક વર્ષમાં 4 વાર સરકારી ભરતી પરીક્ષાઓ રદ, LRD-બિનસચિવાલય અને TATની પરીક્ષા પેપરલીક થતા રદ કરવી પડી

રાજ્યમાં છેલ્લા એક વર્ષમાં પરીક્ષાઓમાં ગેરરીતિથી લઈ કોઈને કોઈ કારણોસર પરીક્ષાઓ રદ થવી સામાન્ય બની ગઈ છે. આજે રાજ્ય સરકારે બિન સચિવાલય ક્લાર્કની ભરતી પરીક્ષા રદ કરી દીધી છે. ખાસ કરી ઓક્ટોબર, 2018થી ડિસેમ્બર, 2019 સુધીમાં LRDથી લઈ બિન સચિવાલય ક્લાર્ક(બે વાર પરીક્ષા લીધા બાદ રદ)સહિતની ચાર વાર સરકારી ભરતી પરીક્ષાઓ રદ થઈ છે. જેમાં […]

Continue Reading

બિન-સચિવાલય ક્લાર્કની પરીક્ષા રદઃ આંદોલન કરનારા પરીક્ષાર્થીઓની જીત, ગેરરીતિ થયાનું સરકારે કબૂલ્યું

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ગત 17 નવેમ્બરે લેવાયેલી બિન સચિવાલય ક્લાર્કની ભરતી પરીક્ષાને અંતે રાજ્ય સરકારે રદ કરી દીધી છે. આ પરીક્ષાઓમાં વ્યાપક ગેરરીતિઓ થઇ હોવાના છ લાખથી વધુ ઉમેદવારોના આક્ષેપોનો SITએ સ્વીકાર કર્યો છે. એટલું જ નહીં, પરીક્ષાર્થીઓએ સરકારને ગેરરીતિના જે પુરાવા આપ્યા હતા તે બધાં જ પ્રમાણિત હોવાની FSL દ્વારા પુષ્ટિ […]

Continue Reading

ગૃહમંત્રીની હિમ્મત નથી કે તેઓ પૂર્વોત્તર રાજ્યોની મુલાકાત લે: સોનિયા ગાંધી

નાગરિકતા કાયદા વિરુદ્ધ દેશના પૂર્વોત્તર રાજ્યો સહિત અન્ય કેટલાક ભાગોમાં થઇ રહેલા હિંસક પ્રદર્શનો અને દિલ્હી જામિયા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ પર દિલ્હી પોલીસની કડક કાર્યવાહી પર આકરી પ્રતિક્રિયા આપતાં કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ મોદી સરકાર સત્તા નહીં સંભાળી શકવાના આરોપ લગાવ્યા છે. એક પત્રકાર પરિષદ દરમિયાન કોંગ્રેસ અધ્યક્ષે જણાવ્યું કે, મોદી સરકાર હિંસા અને ભાગલા નીતિ […]

Continue Reading

ખોટી ઉંમર બતાવતા આઝમ ખાનના દીકરા અબ્દુલ્લાનું સભ્યપદ રદ્દ

અલ્હાબાદ હાઈકોર્ટે સમાજવાદી પાર્ટીના નેતા આઝમ ખાન તેમજ તેમના પરિવારને મોટો ફટકો આપ્યો છે. આઝમ ખાનના દીકરા અને રામપુરની સ્વાર બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવેલા અબ્દુલ્લાએ પોતાનું ધારાસભ્ય પદ છોડવું પડશે. હાઈકોર્ટે ચૂંટણી સમયે ખોટી ઉંમર બતાવવાના કારણે તેમનું સભ્યપદ રદ્દ કરી દીધું છે.  નોંધનીય છે કે સમાજવાદી પાર્ટીના વરિષ્ઠ નેતા આઝમ ખાનના દીકરા […]

Continue Reading

નાગરિકતા બિલના વિરોધમાં લખનઉની કોલેજમાં પણ વિદ્યાર્થીઓ અને પોલીસ સામ-સામે

નાગરિકતા સુધારણા બિલ વિરુદ્ધ જામિયા અને અલીગઢ યૂનિવર્સિટી બાદ હવે લખનઉની નાદવા કોલેજમાં પણ ઉગ્ર પ્રદર્શન થયા છે. દારુલ નદવાતુલ ઉલામા (નદવા કોલેજ)ના મુખ્ય ગેટ પર વિદ્યાર્થીઓ અને પોલીસમાં હિંસક અથડામણ જોવા મળી છે. પોલીસે કોલેજના ગેટને બંધ કરી દીધો છે. અંદરથી હજારો વિદ્યાર્થીઓ જામિયાના વિદ્યાર્થીઓને સમર્થન આપવા માટે નારેબાજી કરી રહ્યા છે.  આ ઉપરાંત […]

Continue Reading

અયોધ્યામાં ચાર મહિનામાં ભવ્યાતિભવ્ય ગગનચૂંબી રામ મંદિર બનશે: અમિત શાહ

ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે ઝારખંડ વિધાનસભા ચૂંટણીના કારણે પાકુડમાં જનસભાનું સંબોધન કર્યું હતું. સભાને સંબોધતા તેમણે અયોધ્યામાં રામ મંદિર નિર્માણ પર મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે જનસભામાં કહ્યું કે હવે રામ મંદિરના નિર્માણનો સમય આવી ગયો છે. ચાર મહિનાની અંદર-અંદર અયોધ્યામાં ભવ્યાતિભવ્ય ગગનચૂંબી રામ મંદિર બનવા જઈ રહ્યું છે.  અમિત શાહે જનસભાને […]

Continue Reading

ઉન્નાવ ગેંગરેપ કેસ: ભાજપના પૂર્વ ધારસભ્ય કુલદીપ સેંગરને કોર્ટે દોષીત જાહેર કર્યો

ઉન્નાવ ગેંગરેપ કેસમાં દિલ્હીની તીસ હજારી કોર્ટે ભાજપના પૂર્વ ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગરને દોષીત જાહેર કર્યો છે. કોર્ટે સહ આરોપી મહિલા શશિ સિંહ નોકરી અપાવવાના બહાને પીડિતાને કુલદીપ સેંગર પાસે લઈ ગઈ હતી. ત્યારબાદ સેંગરે પીડિતા પર બળાત્કાર ગુજાર્યો હતો. સેંગરની સજા પર 19 ડિસેમ્બરના રોજ ચર્ચા થશે.  તીસ હજારી કોર્ટે તપાસ એજન્સી સીબીઆઈને ઠપકો […]

Continue Reading