જાસૂસી મામલે કેન્દ્ર સરકારે વોટ્સએપને કહ્યું, 4 નવેમ્બરના સુધી આપો જવાબ

કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે વોટ્સએપની જાસૂસી મામલે નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું,ભારતના નાગરિકોની વોટ્સએપની ગોપનીયતાના ઉલ્લંઘનને લઈને સરકાર ચિંતિત છે. અમે આ અંગે વોટ્સએપ સાથે વાત કરી હતી અને પૂછ્યું હતું કે તેઓ લખો ભારતીયોની ગોપનીયતાની સુરક્ષાને લઈને શું કરી રહ્યા છે? રવિશંકરે કહ્યું હતું, સરકાર દરેક ભારતીય નાગરિકોની ગોપનીયતાની રક્ષા કરવા માટે પ્રતિબદ્ધ […]

Continue Reading

અમેરિકાએ બગદાદીના ઉત્તરાધિકારીને પણ ઠાર કર્યો : ટ્રમ્પ

આઈએસના આકા અબુ બકર અલ બગદાદીને ઠાર કર્યા બાદ હવે અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે તેના ઉત્તરાધિકારી અને બગદાદી પછી આઈએસના નંબર વન અધિકારીને ઠાર કર્યો હોવાની જાહેરાત કરી છે. ટ્રમ્પે પોતાના ટ્વિટર હેન્ડલ પરથી ટ્વીટ કરીને આ અંગેની સત્તાવાર જાહેરાત કરી હતી. એવું માનવામાં આવી રહ્યું છે કે બગદાદી બાદ આતંકી સંગઠનની કમાન અબ્દુલ્લાહ કાર્દશ પાસે […]

Continue Reading

અમેરિકા: કેલિફોર્નિયામાં ભીષણ આગ લાગી, VIPના કરોડો ડૉલરના ઘર બળીને ખાખ

એમેઝોનના જંગલો બાદ હવે અમેરિકાના જંગલ આગથી ભભૂકી રહ્યા છે. બુધવારે આ ભીષણ આગ અમેરિકાના રાજ્ય કેલિફોર્નિયાના જંગલોમાં લાગી હતી, જે હવે મશહૂર શહેર લૉસ એન્જલિસ સુધી પહોંચી ચૂકી છે.   કેટલાક VIPને પોતાના ઘર ખાલી કરીને જીવ બચાવીને ભાગવુ પડ્યુ છે. હાલ આગથી ત્રણ લોકોના મોત નીપજ્યા હોવાના સમાચાર છે. કેલિફોર્નિયાની સોનોમાં કાઉન્ટી આગથી સૌથી […]

Continue Reading

વડોદરામાં વન્ડર લેન્ડ થીમ પાર્કની 10 ફૂટ ઊંડી અંડર ગ્રાઉન્ડ ટાંકીમાં ડૂબી જતા 12 વર્ષના બાળકનું મોત

વડોદરા નજીક આજવા ખાતે આવેલા આતાપી વન્ડર લેન્ડ થીમ પાર્કની 10 ફૂટ ઊંડી અંડર ગ્રાઉન્ડ ટાંકીમાં ડૂબી જતા 12 વર્ષના બાળકનું મોત નીપજ્યું છે. ઘટનાની જાણ થતાં જ વાઘોડિયા પોલીસ સ્થળ પર દોડી ગઇ છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. બાળક કપડા બદલી રહ્યો હતો, ત્યારે ટાંકીમાં પડી ગયો ખેડા જિલ્લાના નડિયાદ […]

Continue Reading

અમેરિકન વાયુસેનાનું રહસ્યમય સ્પેસક્રાફ્ટ પૃથ્વીની કક્ષામાં 780 દિવસની પરિક્રમા બાદ પાછું ફર્યું

અમેરિકન વાયુસેનાનું સ્પેસક્રાફ્ટ એક્સ-37B રવિવારે ઓર્બિટની 780 દિવસની પરિક્રમા બાદ પૃથ્વી પર પાછું ફર્યું છે. આ રહસ્યમય મિલેટ્રી ટેસ્ટ પ્રોગ્રામના ઈતિહાસનું સૌથી લાંબુ મિશન છે. વાયુસેનાના જણાવ્યા પ્રમાણે, માનવરહિત સ્પેસ વિામન નાના અંતરિક્ષ જેવું જ લાગે છે. તેનો ઉપયોગ કરવામાં આવે છે, જેને ફરીથી ધરતી પર તપાસ કરવા માટે લાવી શકાય છે. અવકાશમાં આવનારા પડકારો […]

Continue Reading

દિવાળી-નવા વર્ષના તહેવારમાં સફાઈના કારણે 400 મેટ્રીક ટન કચરામાં વધારો થયો

દિવાળી-નવા વર્ષના તહેવાર દરમિયાન પાણીના વપરાશ સાથે લોકોએ ઘર-ઓફિસની પણ સફાઈ કરતાં પાલિકા દ્વારા ઉલેચાતા કચરાના જથ્થામાં પણ વધારો થાય છે. દિવાળી-નવા વર્ષના તહેવારના કારણે છેલ્લા બે દિવસમાં પાલિકાએ વધારાનો 400 મેટ્રીક ટન કચરો ઉલેચ્યો હતો. કચરાનું પ્રમાણ વધીને 2600 મેટ્રીક ટન થઈ ગયું પાલિકા શહેરમાંથી પ્રતિરોજ 2200 મેટ્રીક ટન કચરો ઉઠાવે છે અને તેનો […]

Continue Reading

RBIએ બંધન બેન્ક પર રૂ. 1 કરોડનો દંડ લગાવ્યો, પ્રમોટર હોલ્ડિંગ ઓછી ન કરવાથી કાર્યવાહી કરાઈ

રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા(RBI)એ બંધન બેન્ક લિમિટેડ પર 1 કરોડ રૂપિયાનો દંડ લગાવ્યો છે. લાઈસન્સ મેળવવા માટેના દરેક નિયમોનું પાલન ન કરાતા બંધન બેન્ક સામે કાર્યવાહી કરવામાં આવી છે. બેન્ક નક્કી કરેલા સમય સુધી તેમનું પ્રમોટર હોલ્ડિંગ ઓછું કરી શકી નહતી. આ સિવાય આરબીઆઈએ જનતા સહકારી બેન્ક પર 1 કરોડ અને જલગાંવ પીપુલ્સ સહકારી બેન્ક […]

Continue Reading

‘ક્યાર’ વાવાઝોડાની ઉત્તર ગુજરાત સહિત રાજ્યભરમાં અસર, મોડી રાતથી સવાર સુધી વરસાદ પડ્યો

અરબી સમુદ્રમાં સર્જાયેલા ‘ક્યાર’ વાવાઝોડાની અસરને કારણે ઉત્તર ગુજરાત, મધ્યગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના વાતાવરણ પલટો આવ્યો હતો. મંગળવારે મોડી રાત્રે ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લી, ગાંધીનગર, સાબરકાંઠા સહિતના જિલ્લામાં વરસાદી ઝાપટાં પડ્યાં હતા. હિંમતનગરમાં સહિત આસપાસના વિસ્તારોમાં મોડી રાતથી શરૂ થયેલો વરસાદ વહેલી સવાર સહિત પડ્યો હતો. ખેડૂતોના પાકને મોટા પ્રમાણમાં નુકસાન […]

Continue Reading

શિવસેના સાથે ખેંચતાણ પછી ભાજપના ધારાસભ્યોની આજે બેઠક, ફડણવીસ નેતા ચૂંટાય તેવી શક્યતા

મહારાષ્ટ્રમાં સરકાર ગઠન વિશે ભાજપ અને શિવસેના વચ્ચે ખેંચતાણ ચાલી રહી છે. શિવસેના અઢી વર્ષ માટે તેમના મુખ્યમંત્રી બનાવવાની વાત પર અડગ છે. જોકે દેવેન્દ્ર ફડણવીસે મંગળવારે સ્પષ્ટ કહ્યું હતું કે, 5 વર્ષ સુધી તેઓ જ મુખ્યમંત્રી બનશે. બુધવારે ભાજપ ધારાસભ્ય પક્ષની બેઠક થવાની છે. તેમાં ફડણવીસ ફરી ધારાસભ્ય પક્ષના નેતા ચૂંટાય તેવી શક્યતા છે. […]

Continue Reading

પહેલાં ગ્રૂપમાં મનમોહન અને અમરિંદર સામેલ, ભારતે 575 શ્રદ્ધાળુઓની યાદી પાકિસ્તાનને સોંપી

કરતારપુર કોરિડોરથી પાકિસ્તાનમાં આવેલા ગુરુદ્ધારા દરબાર સાહિબ જનારા પહેલા ભારતીય ગ્રૂપમાં પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ પણ સામેલ હશે. કેન્દ્ર સરકારના સૂત્રોના જણાવ્યા પ્રમાણે,પહેલા જૂથમાં પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ, કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરી, કેન્દ્રીય મંત્રી હરસિરત કૌર બાદલ અને પંજાબના સાંસદ-ધારાસભ્ય પણ સામેલ થયા છે. ભારતે મંગળવારે ગુરુદ્વારા દરબાર સાહિબ જનારા 575 લોકોની યાદી […]

Continue Reading