કાશ્મીર મુદ્દે પાકિસ્તાનને UNમાં પણ મળી નિષ્ફ્ળતા, હસ્તક્ષેપ કરવાનો સ્પષ્ટ ઇનકાર

જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 હટાવાયા બાદથી પાકિસ્તાન બરાબર ધૂંધવાયું છે અને કાશ્મીર મુદ્દાના આંતરરાષ્ટ્રીકરણ પર ઉતરી આવ્યું છે. પરંતુ સંયુક્ત રાષ્ટ્રએ તેને મોટો આંચકો આપ્યો છે. સંયુક્ત રાષ્ટ્રએ કાશ્મીર મુદ્દે કોઈ પણ પ્રકારની મધ્યસ્થતા કરવાની ના પાડી દીધી છે. યુએનનું કહેવું છે કે બંને દેશો પરસ્પર વાતચીતથી સમસ્યાનો ઉકેલ લાવે. સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો […]

Continue Reading

ચંદ્રયાન-2: NASAએ લેન્ડિંગ સાઈટની તસવીરો લીધી, મળી શકે છે સારા સમાચાર

ચંદ્રયાનના લેન્ડર વિક્રમની ચંદ્રની સપાટી પર સોફ્ટ લેન્ડિંગ નહી થવાને કારણે જેમ જેમ દિવસો પસાર થઈ રહ્યાં છે તેમ-તેમ સંપર્કની આશા પણ ખતમ થઈ રહી છે પરંતુ નાસાના એક પ્રયાસે આશા જગાવી છે. અમેરીકન અંતરિક્ષ એજન્સી નાસાએ પોતાના ચંદ્રના ઓર્બિર્ટર દ્વારા ચંદ્રની તે સપાટીની તસવીર ખેંચી છે જ્યાં લેન્ડરે સોફ્ટ લેન્ડિંગનો પ્રયાસ કર્યો હતો. નાસા […]

Continue Reading

બજરંગ પૂનિયાની ઓલંપિકમાં એન્ટ્રી, ટોક્યો ઓલંપિક માટે થયા ક્વોલિફાય

દુનિયાના નં. 1 ભારતીય પહેલવાન બજરંગ પૂનિયા (65 કિગ્રા) અને રવિ કુમાર દહિયા(57 કિગ્રા)એ આગામી વર્ષે યોજાનારા ટોક્યો ઓલંપિક માટે ક્વોલિફાય થયા છે. નૂર-સુલ્તાન(કજાકિસ્તા)માં ચાલી રહેલી કુશ્તી ચેમ્પિયનશીપના ક્વાર્ટર ફાઈનલ મુકાબલો જીતવાની સાથે જ ભારતીય પહેલવાને આ ઉપલબ્ધી હાંસલ કરી, પરંતુ બંન્ને સેમીફાઈનલમાં હારી ગયા. ગઈ વખતે વર્લ્ડ ચેમ્પિયનશીપમાં સિલ્વર મેડલ જીતનારા બજરંગ પુનિયા ક્વાર્ટર […]

Continue Reading

બુલેટ ટ્રેન માટે જમીન સંપાદનને હાઈકોર્ટની લીલીઝંડી, 4 ગણું વળતર આપવાની ખેડૂતોની માંગ ફગાવી, ખેડૂતો સુપ્રીમમાં જશે

અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે જમીન સંપાદનને ગુજરાત હાઈકોર્ટે લીલીઝંડી આપી દીધી છે. હાઈકોર્ટે ખેડૂતો દ્વારા કરવામાં આવેલી 4 ગણું વળતર આપવાની માગ ફગાવી દીધી છે. આ મામલે જસ્ટિસ અનંત દવે અને બિરેન વૈષ્ણવની ખંડપીઠે ચુકાદો આપ્યો છે. તેમજ વળતરનો મુદ્દો કોર્ટે ખુલ્લો રાખ્યો છે. હાઈકોર્ટે આંતરરાજ્ય પ્રોજેકટ હોવા છતાં પણ કેન્દ્ર સરકારને ઓથોરિટી ગણાવી […]

Continue Reading

5 વર્ષથી ઓછી ફરજ બજાવનારા PSI ડ્યુટી સિવાય હથિયાર સાથે નહિં રાખી શકે

રાજ્યમાં પોલીસકર્મીઓ દ્વારા સર્વિસ રિવોલ્વરથી આત્મહત્યાના બનાવો વધી રહ્યા છે. જેને ધ્યાનમાં રાખી રાજ્ય પોલીસ વડા શિવાનંદ ઝાએ 5 વર્ષથી ઓછી ફરજ બજાવનારા PSIએ ફરજ સિવાયના સમયમાં પોલીસ સ્ટેશનમાં હથિયાર જમા કરાવવાનું રહેશે. PSI સાથે રિવોલ્વર રાખી શકશે નહીં. તાલીમમાં રહેલા પોલીસ અધિકારીને પણ રિવોલ્વર માત્ર પરેડ અને ફાયરીગ પ્રેક્ટિસ સમયે જ સાથે રાખવા જણાવ્યું […]

Continue Reading

એર વાઈસ ચીફ માર્શલ આરકેએસ ભદૌરિયા વાયુસેનાના નવા પ્રમુખ બનશે

રક્ષા મંત્રાલયના પ્રમુખ સચિવે ગુરુવારે જણાવ્યું કે, એર વાઈસ ચીફ માર્શલ આરકેએસ ભદૌરિયા નવા ચીફ ઓફ એરસ્ટાફ હશે. બીએસ ધનોઆ 30 સપ્ટેમ્બરે ચીફ ઓફ એર સ્ટાફના પદ પરથી રિટાર્યડ થઈ રહ્યા છે. એર વાઈસ ચીફ એર માર્શલ આરકેએસ ભદૌરિયા ભારતીય વાયુસેનાના સૌથી શ્રેષ્ઠ પાયલટમાંથી એક છે. તેઓ અત્યાર સુધી 27થી વધુ પ્રકારના ફાઈટર અને પરિવહન […]

Continue Reading

ચિદમ્બરમે તિહાડમાં વજન ઘટતા સપ્લીમેન્ટ્રી ડાયટ માંગ્યું, કોર્ટે જ્યુડિશિયલ કસ્ટડી 3 ઓક્ટોબર સુધી વધારી દીધી

પૂર્વ નાણામંત્રી પી ચિદમ્બરમની જ્યુડિશિયલ કસ્ટડી આજે 19 સપ્ટેમ્બરે ખતમ થઈ હતી. આજે ફરી એકવાર તેમને રાઉઝ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટે તેમની જ્યુડિશિયલ કસ્ટડી 3 ઓક્ટોબર સુધી વધારી દીધી છે. જસ્ટિસ અજય કુમાર કુહરેએ ફરી વખત ચિદમ્બરમના 14 દિવસના કસ્ટડી વધારી દીધા છે. ચિદમ્બમરના વકીલ કપિલ સિબ્બલે સીબીઆઈની આ માંગણીનો વિરોધ કર્યો છે. […]

Continue Reading

નાસિકની સભામાં કરાઈ એવી તૈયારી કે વરસાદ પડે તો પણ પ્રધાનમંત્રીની સભાને ઉણી આંચ નહીં આવે

મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ગત પાંચ વર્ષમાં સરકારે કરેલી ઉપલબ્ધીઓને જનતા સુધી પહોંચાડવા મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે શરૂ કરેલી મહાજનાદેશ યાત્રાની ત્રીજા તબક્કાનું સમાપન આવતીકાલે ગુરુવાર તા. ૧૯ સપ્ટેમ્બરના રોજ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરાશે. અને તપોવનમાં જાહેરસભા વડા પ્રધાન સંબોધવાના છે. આથી નાશિકના રસ્તા સાફ સુથરા, અને ખાડાથી મુક્ત કરાયા છે. તેમજ […]

Continue Reading

પાક. સૈન્યનો ઘૂસણખોરીનો પ્રયાસ સરહદના ગામો પર ભારે તોપમારો

પાકિસ્તાન દ્વારા સરહદના ગ્રામ્ય વિસ્તારોને નિશાન બનાવીને ગોળીબાર કરવામાં આવ્યો હતો. જેને પગલે અનેક ગામડાઓમાં મકાનોને ભારે નુકસાન થયું છે. સાથે જ લોકોમાં એક ભયનો પણ માહોલ જોવા મળી રહ્યો છે. પાકિસ્તાને સાંબા અને કઠુઆને ફરી નિશાન બનાવ્યા હતા. જોકે અનેક મકાનોને નુકસાનની સાથે પશુઓને પણ ઇજા પહોંચી છે. દરમિયાન પાકિસ્તાન સૈન્ય દ્વારા સરહદ પાર […]

Continue Reading

જો સાવરકર દેશના પહેલા વડાપ્રધાન હોત તો પાક.નો જન્મ જ ના થયો હોત : ઠાકરે

શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ મંગળવારે મુંબઇમાં વિનાયક દામોદર સાવરકરને ભારત રત્ન આપવાની માગણી કરી હતી. તેમણે જણાવ્યું કે, જો તેઓ દેશના પહેલા વડાપ્રધાન બન્યા હોત તો પાકિસ્તાન ક્યારે અસ્તિત્વમાં જ આવ્યું નહોત. અમે ગાંધી અને નહેરૂના કામોથી ઇનકાર નથી કરતા. એ કહેવું વધારે યોગ્ય હશે કે મહાત્મા ગાંધી અને જવાહરલાલ નહેરૂએ દેશ માટે યોગદાન આપ્યું, […]

Continue Reading