સુરત : મુથૂટ ફાઇનાન્સની ઓફીસમાં ઘરફોડ ચોરી કરવા જતાં 3 ચોરોને ઝડપી પડતી ક્રાઈમ બ્રાન્ચ

સૂરત શહેરમાં છેલ્લા દિવસોમાં ઘરફોડ ચોરી બનાવ બન્યા હતા. જેના લીધે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તે ગુનાઓને તપાસ કરવા માટે તપાસ દરમિયાન મોટી રાત્રે મુથૂટ ફાઇનાન્સ ની ઓફીસમાં ઘરફોડ ચોરી કરવા જતાં 3 ચોરો ને ઝડપી પાડ્યા .પોલિસ પુછપરક માં નેપાળી ગેગના સભ્યો હોવાનું જાણવા મળ્યું છે. સુરત શહેરમાં સુરક્ષાને ધ્યાનમાં લઇ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા અલગ અલગ […]

Continue Reading

મહારાષ્ટ્ર : નાસિકના તોરંગા ઘાટ પાસે બસ ખીણમાં ખાબકતાં : 6ના મોત, 45 ઇજાગ્રસ્ત

મહારાષ્ટ્રના નાસિક જવાહર રોડ પર એક બસને અકસ્માત નડ્યો હતો.આ બસ અકસ્માતમાં 6 લોકોના મોત થયા છે. જ્યારે 45થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. આ બસમાં સુરતના રહેવાસી હોવાનું સામે આવી રહ્યું છે. વલસાડમાં સાઇ ભક્તોની બસને અકસ્માત નડ્યો હતો. બસ નાસિકના તોરંગા ઘાટ પાસે આવેલી ખાઇમાં ખાબકતા 6ના મોત થયા છે, જ્યારે 45 લોકો […]

Continue Reading

અમદાવાદ રિવરફ્રન્ટમાં વિજાપુરના પ્રેમી પંખીડાઓએ કર્યો આપઘાત

કહેવાય છે પ્રેમ આંધળો છે, વ્યક્તિ એક વાર પ્રેમમાં પડ્યા પછી તેને દુનિયાદારીની કોઇ પરવા હોતી નથી. આજકાલ યંગસ્ટર્સ પ્રેમ તો પડી જાય છે, પરંતુ જ્યારે પ્રેમમાં નિષ્ફળતા મળે કે સમાજ વાંધો ઉઠાવે ત્યારે સંઘર્ષ કરવાના બદલે તેઓ જીવન ટૂંકાવવાનો નિર્ણય લે છે. આવો એક કેસ આજે અમદાવાદમાં નોંધાયો છે. આજે સવારે અમદાવાદના એનઆઈડી રિવરફ્રન્ટમાંથી એક […]

Continue Reading

ગર્ભવતી મહિલાને પોલીસ કર્મચારીઓએ લાત મારીઃ હોસ્પિટલમાં દાખલ કરાઈ

શહેરના વાડજ વિસ્તારમાં આવેલ રામાપીરના ટેકરામાં રહેતા એક યુવક અને તેની ગર્ભવતી પત્નીને વાડજ પોલીસ સ્ટેશનમાં પોલીસ કર્મચારીઓએ માર માર્યો હોવાનો આક્ષેપ થતા ચકચાર મચી ગઇ છે. વાડજ વિસ્તારમાં આવેલ રામાપીરના ટેકરામાં રહેતા જશોદાબહેન મણિભાઇ પરમારે વાડજ પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓ પર પુત્ર અને ગર્ભવતી પુત્રવધૂને માર માર્યો હોવાનો આક્ષેપ કર્યો છે. જશોદાબહેનના આક્ષેપ પ્રમાણે રામાપીરના […]

Continue Reading

સુરત: દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન તાપી નદીની હાલત બની ખૂબ જ દયનિય

સુરત શહેર ની જનતા માટે એક માત્ર પીવાના પાણી સ્ત્રોત તાપી નદી માં જલકુંભી ની ચાદર પથરાય જતા પાણી પ્રદુષિત થઈ રહ્યું છે. પાલિકા દ્વારા વારંવાર તાપી સફાઈ અભિયાન ચલાવવામાં આવે છે પરંતુ યોગ્ય આયોજનના અભાવે જલકુંભી સામે પાલિકાનું સફાઈ અભિયાન વામણું પુરવાર થઈ રહ્યું છે. સુરત શહેર નજીક થી પસાર થતી અને દક્ષિણ ગુજરાતની જીવાદોરી […]

Continue Reading

યુનિ.એ ચૂંટણીના બહાને ‘શહીદોને શ્રદ્ધાંજલિ’ કાર્યક્રમ પર રોક લગાવી

ગુજરાત યુનિવર્સિટીની લાઈબ્રેરીની સામે આવતીકાલ તા.૨૩મી માર્ચે શહીદ ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુના ૮૮મી શહીદદિનની ઉજવણી કરવાનું નક્કી કરાયું છે. મહત્વની વાત એ કે દરવર્ષે આ પ્રકારે ભારતના આ શહીદોને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ યોજવામાં આવે છે. પરંતુ આ વર્ષે યુનિવર્સિટીએ ઇલેક્શનના બહાના હેઠળ આ કાર્યક્રમ યોજવા મનાઇ ફરમાવી દીધી છે. જોકે, આમ છતાં આ કાર્યક્રમ યોજવામાં […]

Continue Reading

યુકે-યુએસએના સિનિયર સિટિઝનો સાથે છેતરપિંડી કરવાના આંતરરાષ્ટ્રીય કૌભાંડ માટે અમદાવાદ મોકળું મેદાન

વિદેશી નાગરિકો અને તેમાં પણ ખાસ કરીને યુકે-યુએસએના સિનિયર સિટિઝનો સાથે છેતરપિંડી કરવાના આંતરરાષ્ટ્રીય કૌભાંડ માટે અમદાવાદ મોકળું મેદાન બની રહ્યું છે. અમદાવાદ અને રાજ્યના અન્ય સ્થળોના લવરમૂછિયા યુવકો, ઉચ્ચ પોલીસ અધિકારીઓ, પોલીસપુત્રો અને રાજકીય નેતાઓ સહિતના મોટા માથા ભેગા મળી સુવ્યવસ્થિત રીતે કોલ સેન્ટર શરૂ કરીને વિદેશી નાગરિકોને લૂંટી રહ્યા છે. અમદાવાદમાં એકાદ નહીં […]

Continue Reading

સુર્વણ યુવતી સાથે અફેયરના શકમાં દલિત યુવકની મારપીટ, 12માં પરીક્ષા પણ ન આપવા દીધી

ઉત્તરી ગુજરાતના મેહસાણામાં કક્ષા 12માના એક 17 વર્ષીય દલિત છાત્રનો અભ્યાસ સામે આવી છે. કથિત રૂપમાં 18 માર્ચની બપોરે બે લોકોએ વિદ્યાર્થીને ઝાડ સાથે બાંધી દીધો નએ નિર્દયતાપૂર્વક તેને ઢોર માર માર્યો. વિદ્યાર્થીને માર માર્યા પછી તેના ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. આ તસ્વીરોમાં તેના શરીર પર મારના નિશાન છે. બીજી બાજુ […]

Continue Reading

વડોદરા પાતરવેણી ગામની બાળકીના અપહરણ બાદ ઝડપાયેલા આરોપીને લોકોએ માર મારતા થયું મોત

વડોદરા જિલ્લાના પોર નજીક પાતરવેણી ગામમાં એક બાળકીના અપહરણ બાદ ઝડપાયેલા આરોપીને લોકોએ ઢોર માર મારતા તેનું મોત થતા પોર પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી છે. પ્રાપ્ત માહિતી અનુસાર પાતરવેણી ગામમાં રહેતા અજય ભાઈની પુત્રી રેણુકા ઉ.વર્ષ ૪ ધુળેટીના દિવસે રાત્રે 7.30 વાગ્યાના અરસામાં પોતાના આંગણમાં રમતી હતી. ત્યારે રેણુકાને પટાવી ફોસલાવીને તે જ […]

Continue Reading

અમિત શાહના નામની ગાંધીનગર બેઠક માટે ઘોષણા સાથે ભાજપનું સેન્સ લેવાનું કામ નોનસેન્સ સાબિત થયું

ગત એકાદ અઠવાડિયાથી ભાજપમાં સેન્સ લેવાની પ્રક્રિયા ચાલી રહી હતી. જેમાં ગુજરાતભરમાં ત્રણ દિવસો સુધી કાર્યકરો અને બાદમાં ત્રણ દિવસ પ્રદેશ નેતાઓ દ્વારા કઈ સીટ માટે કોણ ઉમેદવાર યોગ્ય છે. તેનું લીસ્ટ તૈયાર કરવામાં આવ્યું હતું. આ પ્રક્રિયાથી ભાજપા દ્વારા કહેવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો કે, પાર્ટીમાં ઉમેદવારોનું ચયન લોકશાહી પરંપરાથી થાય છે. જેમાં સેન્સ […]

Continue Reading