2020માં ગુજરાતમાં 34,000 સરકારી જગ્યાઓમાં ભરતી કરાશે : વિજય રૂપાણી

ગુજરાતમાં 2020ના નવા શરૂ થયેલા વર્ષમાં 34,000 સરકારી જગ્યાઓ ભરતી કરવામાં આવશે તેમ રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું છે. સીએમ રૂપાણીએ યુવાનો અને વિદ્યાર્થીઓને તેમના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકાર પર વિશ્વાય કાયમ રાખવાની અપીલ પણ કરી છે. નવા વર્ષના આગમનને વધાવતા સીએમ રૂપાણીએ કોંગ્રેસ પર નિશાન સાધ્યું હતું. રૂપાણીએ જણાવ્યું કે, ‘વિપક્ષ કોંગ્રેસ રાજકીય લાભ […]

Continue Reading

સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થાંમાં 5 ટકાનો વધારો, પાક નુકસાનીની સહાય માટે ખેડૂતો 14 જાન્યુ. સુધી અરજી કરી શકશે

રાજ્ય સરકારની આજે મળેલી કેબિનેટની બેઠકમાં રાજ્ય સરકારના કર્મચારીઓ અને પેન્શનર્સના મોંઘવારી ભથ્થામાં 5 ટકાનો વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.જે જાન્યુઆરી 2020ના પગાર સાથે ચૂકવવામાં આવશે. આ નિર્ણય સાથે રાજ્ય સરકારે સરકારી કર્મચારીઓ અને પેન્શનર્સને નવા વર્ષની ભેટ આપી છે.રાજ્યના નાણાંમંત્રી નીતિન પટેલે કહ્યું કે, આ વધારો 1 જુલાઈ 2019થી અમલમાં આવશે અને જુલાઈ […]

Continue Reading

ભાજપના સાંસદ જ ગુજરાત પોલીસ પર બગડ્યા, સોશિયલ મીડિયા પર રોષ વ્યક્ત કર્યો

ભરૂચમાં હેડક્વાર્ટર નજીક આદિવાસીઓના ઝુંપડા તોડાતા સાંસદ મનસુખ વસાવાએ પોલીસ સમક્ષ પોતાનો રોષ વ્યક્ત કર્યો છે. જેમાં એસપી અને પીઆઈ એ એવા આક્ષેપ કર્યા છે કે તેમને ધાક ધમકી આપવામાં આવી છે. સાંસદ મનસુખ વસાવા એટલા માટે રોષે ભરાયા કારણકે વૈકલ્પિક વ્યવસ્થા વગરજ ગરીબ આદિવાસીઓના ઝુંપડા તોડવામાં આવ્યા હતા. સાંસદ મનસુખ વસાવા પોલીસ વિભાગ સામે […]

Continue Reading

ધો.10 અને 12ની પરીક્ષાઓ 5 માર્ચે શરૂ થશે અને 21 માર્ચે પૂર્ણ થશે, પેપર લીક થતું રોકવા સેન્ટર પર પહોંચે ત્યારે ફોટો પડાશે

માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષા સમિતિની આજે બેઠક યોજાઈ હતી. જેમાં ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષાની તારીખો જાહેર કરવામાં આવી છે. ધોરણ 10 અને 12ની પરીક્ષા 5 માર્ચથી શરૂ થશે અને 21 માર્ચ સુધીમાં પૂર્ણ થઈ જશે. ધોરણ 10ની પરીક્ષા 17 માર્ચે જ્યારે ધોરણ 12 સાયન્સની પરીક્ષા 16 માર્ચ સુધી ચાલશે. તેમજ […]

Continue Reading

અમદાવાદઃ ડૉકટરના અપહરણનો મામલો, બેદરકાર બે પોલીસકર્મીઓ સસ્પેન્ડ

અમદાવાદના (Ahmedabad) આંબાવાડીમાં આવેલી નવકાર મેટરનીટી હોસ્પિટલમાંથી (hospital) ડોક્ટરનું અપહરણ (Doctor’s kidnapping) કરવાના કેસમાં બે પોલીસકર્મીને (police) બેદરકારી દાખવવા બદલ સસ્પેન્ડ કરાયા છે. કન્ટ્રોલ રૂમનો મેસેજ હોવા છતાં બેદરકારી દાખવતા અપહરણ થયું હોવાનું સામે આવતા સસ્પેન્ડ કરાયા છે. આંબાવાડી માં નવકાર હોસ્પિટલ આવેલી છે. અહીં એક મહિલાનું સારવાર દરમિયાન મોત થતા હોબાળો મચી ગયો હતો. […]

Continue Reading

મજૂરી કરતા 134 બાળકોને મુક્ત કરાવવાનો મામલો, 70 બાળકો માતા કે પિતા વિનાના

રવિવારે વહેલી સવારે સુરતના પુણા વિસ્તારમાં સુરત અને રાજસ્થાન પોલીસ તથા એક એનજીઓના 80થી વધુ કર્મચારીએ દરોડા પાડી ઘરમાં સાડી પર સ્ટોન, જરી લગાવવાનું તેમજ ફોલ્ડિંગનું કામ કરતા 134 બાળકોને મુક્ત કરાવ્યાં હતાં. આમ આંતર રાજ્ય બાળકોની ગેરકાયદે હેરાફેરી કરીને બાળમજૂરી કરાવવાના સૌથી મોટા રેકેટનો પર્દાફાશ થયો હતો. ત્યાર બાદ આ બાળકોને છોડાવીને તેમને પરત […]

Continue Reading

અમદાવાદમાં 346 બાળકોને હ્રદય રોગ, 194ને કીડનીના રોગ અને 33ને કેન્સર હોવાનો ખુલાસો

રાજ્ય સરકારના શાળા આરોગ્ય કાર્યક્રમ હેઠળ AMC વિસ્તારની તમામ આંગણવાડીના, તમામ ખાનગી તથા મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાના બાળકો, નવજાત શિશુઓ અને શાળાએ ન જતા 18 વર્ષ સુધીના બાળકોની આરોગ્ય તપાસ કરવામાં આવી રહી છે. 25 નવેમ્બર 2019થી 28 ડિસેમ્બર સુધી કરવામાં આવેલી આ આરોગ્ય તપાસ દરમિયાન 346 બાળકોને હ્રદય રોગ, […]

Continue Reading

થર્ટી ફર્સ્ટ માટે અમદાવાદમાં દસ હજાર પોલીસ જવાનો સજ્જ

ક્રિસમસની શરૂઆત થાય ત્યારે પોલીસ એક્શન મોડમાં આવી જાય છે અને બુટલેગરો બેફામ બની જાય છે. એક તરફ રાજ્યના પોલીસવડા શિવાનંદ ઝાએ તમામ પોલીસને બુટલેગરો પર લગામ લગાવવા માટે અને રોજેરોજ દારૂની ડ્રાઇવ આયોજન કરવા માટેના આદેશ આપી દીધા છે. તો થર્ટી ફર્સ્ટને લઈને અમદાવાદ પોલીસે પણ ચુસ્તબંદોબસ્ત ગોઠવી દીધો છે. 31 ડિસેમ્બરની રાતે અમદાવાદમાં […]

Continue Reading

કોર્ટનો આદેશ, ગૃહરાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજા વિરૂદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરો

ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાની મુશ્કેલીઓ વધી ગઇ છે, વર્ષ 2007માં અમદાવાદના આસરવા વિધાનસભા ચૂંટણી વખતે કેટલીક પત્રિકાઓ છપાવી હતી, આ મામલે અમદાવાદની મેટ્રો કોર્ટે આચારસંહિતાના ભંગનો આરોપ માન્ય રાખ્યો છે અને સ્થાનિક પોલીસને ફરિયાદ દાખલ કરવા આદેશ કર્યો છે. તત્કાલિન શહેર કોંગ્રેસ પ્રમુખ પંકજ શાહે ક્લેકટર કચેરીમાં ફરિયાદ કરી હતી. સાથે જ નવરાત્રિમાં પ્રદિપસિંહ દ્વારા […]

Continue Reading

સોલા સિવિલમાં ફ્યુમિગેશનની વરાળ ICUમાં પ્રસરતાં વોર્ડ ખાલી કરી 4 દર્દી ખસેડવા પડ્યા, ત્રણ કલાક પછી એકનું મોત

સોલા સિવિલ હોસ્પિટલમાં રવિવારે પોસ્ટ ઓપરેટિવ વોર્ડને જંતુમુક્ત કરવાની પ્રક્રિયા દરમિયાન ફ્યુમિગેશનનું પ્રવાહી વધુ પડી જતા તેની જલદ વરાળ આઈસીયુ સહિતના વોર્ડમાં ફેલાતા દર્દીઓ સહિત તબીબોમાં ભારે નાસભાગ મચી ગઈ હતી. બપોરે સાડા ચાર વાગ્યે બનેલી આ ગંભીર ઘટનામાં તબીબો સહિત દર્દીઓને આંખોમાં બળતરા અને શ્વાસ રૂંધાવા લાગતા તબીબો સહિત પેરામેડિકલ સ્ટાફે દર્દીઓને રીતસર રઝળતા […]

Continue Reading