અમદાવાદ: બિન સચિવાલય ક્લાર્કનાં આરોપીઓને સાથે રાખી કૌભાંડી શાળામાં તપાસનો ધમધમાટ

બહુવિવાદિત બિનસચિવાલય પરીક્ષા પેપરલીકકાંડમાં ગાંધીનગર પોલીસ અને સીટ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. 6 આરોપીઓની ધરપકડ કરવામાં આવી ચુકી છે. ત્યારે આ તમામ આરોપીઓને સાથે રાખીને જ પોલીસ દ્વારા જ્યાં કૌભાંડ આચરવામાં આવ્યું હતું તે શાળા ખાતે રિકન્સ્ટ્રક્શન અને તપાસ કરવામાં આવી હતી. દાણીલીમડા ખાતે આવેલી એમ.એસ પબ્લિક સ્કૂલમાં તપાસના ધમધમાટનાં પગલે સ્થાનિક […]

Continue Reading

સિવિલમાં સુપર સ્પે. બિલ્ડિંગ, લોકાર્પણની તૈયારી

રાજકોટમાં પ્રધાનમંત્રી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના અંતર્ગત તૈયાર થયેલી સુપર સ્પેશિયાલિટી બ્લોક હોસ્પિટલના લોકાર્પણની તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. ૧પ૦ કરોડના ખર્ચે તૈયાર થયેલી આ હોસ્પિટલનું શનિવારે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી, કેન્દ્રિય આરોગ્ય મંત્રી ડો.હર્ષવર્ધન અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા લોકાર્પણ કરવામાં આવશે. આ અંગે યોજાયેલી પત્રકાર પરિષદમાં સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડો.મનિષ મહેતાએ વિગત આપતાં જણાવ્યું […]

Continue Reading

સમર્થ એપાર્ટમેન્ટમાં આગ, ઈલેક્ટ્રિક રૂમમાં રહેતા નેપાળી પરિવારના બે બાળકના મોત, એપાર્ટમેન્ટવાસીઓ નાસી છૂટ્યા

બિગ બજારની પાછળ આવેલા સમર્થ એપાર્ટમેન્ટમાં આગ લાગી હતી. જેમાં નેપાળી પરિવારના ત્રણ વર્ષના બાળક આયુષચંદ અને 6 વર્ષની બાળકી શ્રીસ્ટી શેરબહાદુર ચંદના મોત થયા છે. જેમાંથી બાળકી 95 ટકા દાઝી ગઈ હતી, જેનું સારવાર દરમિયાન મોત થયું છે. એપાર્ટમેન્ટના બિલ્ડરે નેપાળી પરિવારને ઇલેક્ટ્રિક રૂમમાં રહેવાની વ્યવસ્થા કરી આપી હતી. આ દુર્ઘટનાને પગલે એપાર્ટમેન્ટમાં રહેતા […]

Continue Reading

સુરતમાં બાળકી પર બળાત્કાર બાદ હત્યાના આરોપીની ફાંસીની સજા હાઈકોર્ટે યથાવત રાખી

લિંબાયતમાં ત્રણ વર્ષની બાળકી પર બળાત્કાર ગુજાર્યા બાદ તેની હત્યાના આરોપી અનિલ યાદવની ફાંસીની સજા હાઈકોર્ટે યથાવત્ રાખી છે. ઘરની નજીકમાં જ રહેતી ત્રણ વર્ષની બાળકી પર બળાત્કાર બાદ તેની હત્યા બદલ 31 જુલાઈના સેશન્સ કોર્ટના જજ પી એસ કાલાની કોર્ટે ફાંસીની સજા ફટકારી હતી. આ ચુકાદાને આરોપી અનિલ યાદવે હાઈકોર્ટમાં પડકારતી અરજી કરી હતી. […]

Continue Reading

બનાસકાંઠા : તીડ આક્રમણગ્રસ્ત વિસ્તારોમાં 45 ટીમ દ્વારા દવા છાંટી નાશ કરાયો

રાજ્યના બનાસકાંઠા જિલ્લાના થરાદ-વાવ-રાડકા સહિતના વિસ્તારોમાં થયેલા તીડના આક્રમણના કારણે ખેડૂતોના પાકને નુકશાન તથા સર્જાયેલી વિકટ સ્થિતીને પહોચી વળવા રાજ્ય સરકારે સઘન આયોજન હાથ ધર્યુ છે. કૃષિ અને સહકાર વિભાગના અધિક મુખ્ય સચિવશ્રીએ આ આયોજન તથા તીડ નિયંત્રણ માટે યુદ્ધના ધોરણે હાથ ધરાયેલા પગલાંઓની વિગતો પ્રચાર માધ્યમો સમક્ષ આપી હતી. રાજ્યના કૃષિ-સહકાર અધિક મુખ્ય સચિવ […]

Continue Reading

રાજ્યમાં ધો.12 પછીની ગુજકેટ 31 માર્ચના રોજ લેવાશે : બોર્ડ

ધોરણ 12 (10+2) વિજ્ઞાન પ્રવાહ પછી એન્જિનીયરિંગ, ડિગ્રી, ડિપ્લોમા તેમજ ફાર્મસી અભ્યાક્રમોમાં પ્રવેશ મેળવવા માટે ફરજિતાય રીતે લેવાતી ગુજકેટ પરીક્ષાની સત્તાવાર તારીખની જાહેરાત કરવામાં આવી છે. 31 માર્ચના 2020ના રોજ ગુજકેટ યોજાશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા સત્તાવાર રીતે ગુજકેટની તારીખની જાહેરાત કરવમાં આવી છે. ગુજરાત મા. અને ઉ.મા. શિક્ષણ બોર્ડ […]

Continue Reading

સ્કૂલે જતી વિદ્યાર્થીનીને મિત્રના ઘરે લઇ જઇ ગેંગ રેપ, વિડીયો વાઇરલ કર્યો

શહેરના કુબેરનગર વિસ્તારમાં રહેતી 16 વર્ષિય કિશોરીને સ્કૂલે જતા અટકાવી શાહિબાગમાં આવેલા ફ્લેટમાં લઇ જઇ બે મિત્રોએ ગેંગ રેપ કર્યો હતો. આ દરમિયાન યુવકોએ કિશોરીનો વિડીયો પણ બનાવી લીધો હતો. ઘટનાના ચાર મહિના બાદ વિડીયો વાઇરલ થતા કિશોરીએ આ મામલે બે યુવકો સામે મેઘાણીનગર પોલીસ થકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે. શહેરના કુબેરનગર […]

Continue Reading

થર્ટી ફર્સ્ટ પહેલા રજોડાની સીમમાંથી 1812 બોટલ ઈંગ્લિશ દારૂ ઝડપાયો, 3 જામનગરના શખ્સો સહિત 6ની ધરપકડ

થર્ટી ફર્સ્ટ આડે હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે ત્યારે રાજ્યના વિવિધ વિસ્તારોમાંથી મોટા પ્રમાણમાં દારૂ ઝડપાવા લાગ્યો છે. આજે એલ.સી.બી.એ સરખેજ-બાવળા હાઈવે પર આવેલી રજોડા સીમમાંથી રૂ.7 લાખ 24 હજાર 800ની કિંમતનો 1812 બોટલ ઈંગ્લિશ દારૂ ઝડપાયો છે. તેમજ ત્રણ જામનગરના શખ્સો સહિત 6ની ધરપકડ કરી છે. જેમાં ફિરોઝ ખાન મહમ્મદ યુનુસ(મેરઠ, યુપી), […]

Continue Reading

ગુજરાતમાં સરકારી અધિકારીઓ સૌથી વધુ ભ્રષ્ટ, ACBએ સૌથી વધુ છટકા પોલીસ સામે ગોઠવ્યા

તાજેતરમાં જૂનાગઢ એસીબીના પીઆઇ ડી. ડી. ચાવડા અમદાવાદ ખાતે એક ઉચ્ચ અધિકારી પાસેથી રૂ. 18 લાખની લાંચ લેતાં રંગેહાથ ઝડપાયા હતા. એન્ટી કરપ્શન બ્યૂરો (ACB)ના આંકડા મુજબ ગુજરાતમાં સરકારી કર્મચારીઓમાં ભ્રષ્ટાચારનો ગ્રાફ વધી રહ્યો છે. જેમાં ખાસ કરીને પોલીસ, મહેસૂલ અને કૃષિ વિભાગના કર્મચારીઓ સૌથી વધુ ભ્રષ્ટ છે. ચાલુ વર્ષે જ 402 સરકારી અધિકારીઓ અને […]

Continue Reading

સાચવજો / કાંકરિયા કાર્નિવલમાં પહેલા જ દિવસે આટલા બાળકો માતા પિતાથી વિખુટા પડ્યા

નિસિપલ કોર્પોરેશનના સત્તાવાળા દ્વારા ગઇ કાલથી આગામી ૩૧ ડિસે., ર૦૧૯ સુધી ચાલનારા કાંકરિયા કાર્નિવલનો ભપકાદાર પ્રારંભ કરાયો છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણીને રૂ.૧૦પ૦ કરોડના કામોનું લોકાર્પણ કરીને કાર્નિવલને લોકો માટે ખુલ્લો મૂક્યો હતો. કાંકરિયા કાર્નિવલના ગઇ કાલના પ્રથમ દિવસે આશરે ત્રણ લાખ લોકો ઊમટ્યા હતા. હકડેઠઠ ભરાયેલી જનમેદનીમાં બાળકો મા-બાપથી વિખૂટાં પડવાની ઘટના પણ બની હતી […]

Continue Reading