વડોદરામાં સાંજે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા, ગરબા આયોજકો ચિંતામાં મૂકાયા

વડોદરા શહેરમાં આજે રવિવારે સાંજે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ શરૂ થઇ ગયો હતો. જેને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા. વડોદરામાં નવરાત્રીના ગ્રાઉન્ડની પણ તૈયારીઓ ચાલતી હોવાથી ગરબા આયોજકો ચિંતામાં મૂકાઇ ગયા છે. રાવપુરા, કારેલીબાગ સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા. વડોદરા શહેરમાં દિવસ દરમિયાનના ઉકળાટ બાદ સાંજે અચાનક જ ધોધમાર વરસાદ શરૂ થઇ ગયો હતો. […]

Continue Reading

નવરાત્રી બગડવાની પૂરી શક્યતા! તમારા ભારે ઉત્સાહ વચ્ચે જાણો હવામાન વિભાગની આગાહી

હાલ સમગ્ર ગુજરાતમાં નવરાત્રીનો થનગનાટ જોવા મળી રહ્યો છે. યુવાધને નવરાત્રી માટેની તડામાર તૈયારીઓ કરી લીધી છે. પણ ત્યાં જ નવરાત્રી પહેલા ખેલૈયાઓ માટે માઠા સમાચાર છે. નવરાત્રી દરમિયાન હળવાથી ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. નવરાત્રીમાં ગુજરાતમાં હળાવાથી ભારે વરસાદ આવી શકે છે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદ આવે તેવી શક્યતા છે. નવરાત્રીના શરૂઆતના […]

Continue Reading

રાજ્યમાં ટ્રાફિક પોલીસની ક્રેડિટ-ડેબિટ કાર્ડ,પેમેન્ટ એપથી દંડ વસૂલવાની તૈયારી, બેંકો સાથે મંત્રણા

કેન્દ્ર સરકારે લાગુ કરેલા નવા મોટર વ્હીકલ એક્ટમાં રાજ્ય સરકારે સુધારા બાદ ટ્રાફિક દંડની વસુલાતમાં સંપૂર્ણ પારદર્શકતા જાળવવા માટે રાજ્યના ગૃહ વિભાગે ઓનલાઇન પેમેન્ટ પદ્ધતિ દાખલ કરવા માટે કવાયત હાથ ધરી છે. જેને પગલે ગૃહ વિભાગે બેંકો સાથે વાટાઘાટો શરૂ કરી છે.બેંકો સાથે વાટાઘાટો પૂર્ણ થતા નાણાં વિભાગની મંજૂરી લેવામાં આવશે અને ત્યાર બાદ તેનો […]

Continue Reading

ગુજરાતના તમામ RTO રવિવારે પણ ચાલુ રહેશે, પરિવહન વિભાગની બેઠકમાં નિર્ણય

રાજ્યના વાહન વ્યવહાર વિભાગે નવા મોટર વ્હીકલ એક્ટ બાદ રાજ્યના તમામ RTOમાં વધેલી કામગીરીને ધ્યાનમાં રાખી આગામી (22-09-2019) રવિવારે પણ આરટીઓ કચેરી ખુલ્લી રાખવામાં આવશે તેવો પરિવહન વિભાગની બેઠકમાં નિર્ણય કરવામાં આવ્યો છે. RTO કચેરીમાં વાહનચાલકોની ભારે ભીડ નવા મોટર વ્હીકલ એક્ટ બાદ રાજ્યની તમામ આરટીઓ કચેરીમાં વાહન ચાલકોની ભીડ વધી ગઈ છે. આરટીઓમાં આરસી […]

Continue Reading

5 વર્ષથી ઓછી ફરજ બજાવનારા PSI ડ્યુટી સિવાય હથિયાર સાથે નહિં રાખી શકે

રાજ્યમાં પોલીસકર્મીઓ દ્વારા સર્વિસ રિવોલ્વરથી આત્મહત્યાના બનાવો વધી રહ્યા છે. જેને ધ્યાનમાં રાખી રાજ્ય પોલીસ વડા શિવાનંદ ઝાએ 5 વર્ષથી ઓછી ફરજ બજાવનારા PSIએ ફરજ સિવાયના સમયમાં પોલીસ સ્ટેશનમાં હથિયાર જમા કરાવવાનું રહેશે. PSI સાથે રિવોલ્વર રાખી શકશે નહીં. તાલીમમાં રહેલા પોલીસ અધિકારીને પણ રિવોલ્વર માત્ર પરેડ અને ફાયરીગ પ્રેક્ટિસ સમયે જ સાથે રાખવા જણાવ્યું […]

Continue Reading

અમદાવાદ / CM રૂપાણીના હસ્તે AMCના 851 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ

રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે અમદાવાદમાં વિકાસ કામોનું લોકાર્પણ કરશે. શહેરની મ્યુનિસિપલ કોર્પોરેશનના 851 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ કરશે. વસ્ત્રાપુર તળાવ ખાતે નર્મદા નીરના વધામણાં કરશે. SVP હોસ્પિટલમાં બનેલી NHL કોલેજનું લોકાર્પણ 1300 મીટર લાંબા RCC રોડનું લોકાર્પણ વસ્ત્રાપુર તળાવ ખાતે નર્મદા નીરનાં વધામણાં 851 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ મુખ્યમંત્રી વિજય રૂપાણી આજરોજ અમદાવાદ મ્યુનિસિપલ […]

Continue Reading

દંડ સામે બંડ: રાજકોટમાં પોલીસનો બળપ્રયોગ, કોંગી નેતાઓની અટકાયત

રાજકોટમાં હેલમેટ સહિતના ટ્રાફિક દંડમાં આમ નાગરિકોની કમ્મર તૂટી જાય તેવા તગડા દંડ સામે લોકોમાં પ્રચંડ રોષ જાગ્યો છે અને સોશ્યલ મિડીયાથી માંડીને લોકોમાં થતી ચર્ચામાં આ મુદ્દે નારાજગી વ્યક્ત થતી રહે છે ત્યારે આ મુદ્દે કોંગ્રેસે આજે જિલ્લા પંચાયત ચોક (પો.કમિ.કચેરી પાસે) ધરણાંનો પૂર્વ નિર્ધારિત કાર્યક્રમ આપે તે પહેલા જ કોંગ્રેસના નેતાઓની પોલીસે અટકાયત […]

Continue Reading

ઈ-સિગરેટ પર પ્રતિબંધ, રેલવે કર્મચારીઓને 78 દિવસનું બોનસ આપવાની જાહેરાત કેબિનેટ બેઠકમાં કરાઈ

કેબિનેટની બેઠકમાં બુધવારે મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે નિર્ણયની માહિતી આપતા જણાવ્યું કે 11 લાખ 52 હજાર રેલવે કર્મચારીઓને આ વર્ષે 78 દિવસના વેતન બરાબર બોનસ આપવામાં આવશે. તેની પર 2,000 કરોડ રૂપિયાનો ખર્ચ આવશે. જાવડેકરે કહ્યું કે કર્મચારીઓની ઉત્પાદકતા અને મનોબળને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવામાં આવ્યો છે. છેલ્લા 6 વર્ષથી […]

Continue Reading

ગુજરાતીઓને રાહત: 15 ઓક્ટોબર સુધી ટ્રાફિક પોલીસ નવા નિયમ પ્રમાણે દંડ નહીં ફટકારી શકે

ગુજરાતમાં નવા ટ્રાફિક નિયમના અમલને લઈને રાજ્ય સરકાર દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે. વાહન વ્યવહાર મંત્રી આર.સી. ફળદુએ પત્રકાર પરિષદમાં આ જાહેરાત કરતા કહ્યું હતું કે ટ્રાફિકના નવા નિયમોના અમલની સમયમર્યાદા 15 ઓક્ટોબર સુધી લંબાવવામાં આવી છે. ગુજરાત સરકારની કેબિનેટની બેઠકમાં આજે આ નિર્ણય લેવામાં આવ્યો છે. લોકોને હેલમેટ ખરીદવામાં અને પીયુસી કાઢવામાં પડતી […]

Continue Reading

ફ્લૂ જેવી એક બીમારી 36 કલાકમાં વિશ્વમાં ફેલાઇને 8 કરોડ લોકોને મારી શકે છે: ભૂતપૂર્વ WHO ચીફ

ફ્લૂ જેવી એક બીમારી 36 કલાકમાં વિશ્વમાં ફેલાઇને 8 કરોડ લોકોને મારી શકે છે તેવું જાણકારોનું માનવું છે. એક સદી પહેલા સ્પેનિશ ફ્લૂની મહામારીએ ત્રીજા ભાગની વિશ્વની જનસંખ્યાને ભરડામાં લીધી હતી જેમાં 5 કરોડ લોકોના મોત થયા હતા. રિપોર્ટ પ્રમાણે આજના સમયમાં જ્યારે લોકો મોટા પ્રમાણમાં પ્રવાસ કરી રહ્યાં છે ત્યારે આ મહામારી ફેલાય તો […]

Continue Reading