બાંગ્લાદેશ: હિન્દુ પુજારીની હત્યાના કેસમાં આરોપી ચાર આતંકીઓને ફાંસીની સજા

બાંગ્લાદેશમાં પ્રતિબંધિત ઇસ્લામિક આતંકી સંગઠન જમાત ઉલ મુજાહિદીન બાંગ્લાદેશ સાથે જોડાયેલા ચાર વ્યક્તિઓને હિન્દુ પુજારીની હત્યાના કેસમાં ફાંસીની સજા સંભળાવવામાં આવી છે. આ ચારે વ્યક્તિને હિન્દુ પુજારી જગનેશ્વર રોયી હત્યાના કેસમાં આરોપી ઠેરવતા સજા ફટકારવામાં આવી હતી.  રાજશાહીના ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચાલી રહેલી સુનવણી દરમિયાન ચારે આરોપીઓને સજા ફટકારવામાં આવી હતી.  ઉલ્લેખનીય છે કે 50 […]

Continue Reading

કોરોના વાયરસ પર SAARC સભ્ય દેશોને પીએમ મોદીનો મંત્ર: તૈયાર રહો પરંતુ ગભરાશો નહીં

ચીનમાંથી ફેલાયેલો કોરોના વાયરસ સમગ્ર વિશ્વ પર કહેર વર્તાવી રહ્યો છે એવામાં આજે  SAARC દેશોના સભ્યોએ વીડિયો કોન્ફરન્સ દ્વારા કોરોના વાયરસ સામે લડવાની રણનીતિ પર ચર્ચા કરી હતી. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત  SAARC દેશોના નેતાઓ અને પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. આ દરમિયાન પીએમ મોદીએ જણાવ્યું કે દક્ષિણ એશિયાઇ ક્ષેત્રમાં કોરોના વાયરસના કેસો સામે આવ્યા […]

Continue Reading

કોચી : દુબઈની ફ્લાઈટના ટેક ઓફ અગાઉ કોરોનાગ્રસ્ત યુકેના નાગરિક સહિત 20ની અટકાયત

કોચીથી દુબઈની ફ્લાઈટમાં જઈ રહેલા મુસાફરો પૈકી યુકેના નાગરિકને કોરોના વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવતા ખળભળાટ મચી ગયો હતો. આ ફ્લાઈટમાં કુલ 289 મુસાફરો હતા. સૂત્રોના જણાવ્યા મુજબ યુકેના નાગરિકને કોરોના હોવાની જાણ થતા ફ્લાઈટમાંથી તમામ મુસાફરોને નીચે ઉતારી દેવાયા હતા અને યુકેના નાગરિક સહિત 20 મુસાફરોની અટકાયત કરવામાં આવી હતી. ત્યારબાદ ફ્લાઈટને ટેક ઓફ થવાની […]

Continue Reading

કોરોના વાયરસથી ભયભીત ISISએ આતંકીઓને યુરોપ ન જવાની સલાહ આપી

વિશ્વમાં આતંક ફેલાવી રહેલા આતંકી સંગઠન ઇસ્લામિક સ્ટેટ પણ કોરોના વાયરસથી ભયભીત જણાઇ રહ્યું છે. આતંકી સંગઠને તેના આંતકીઓ માટે હેલ્થ એડવાયઝરી જાહેર કરતા કોરોના વાયરસના ચેપી દર્દીઓથી દૂર રહેવાની સલાહ આપી છે. આ હેલ્થ એડવાયઝરીમાં આતંકીઓને હાથ ધોઇને ખાવાની તેમજ યુરોપ ન જવાની સલાહ આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ચીન પછી યુરોપનો ઘણો […]

Continue Reading

કોરોના : ગુજરાતમાં મોલ, મલ્ટિપ્લેક્સ, સ્વિમિંગ પૂલ, શાળા-કોલેજો બે સપ્તાહ સુધી બંધ રાખવા સરકારનો આદેશ

કોરોના વાયરસને પગલે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજીને રાજ્યમાં આરોગ્ય સંલગ્ન સ્થિતિની સમીક્ષા કરી હતી. આ બેઠકમાં રાજ્યમાં શાળા કોલેજો, શૈક્ષણિક સંસ્થાઓમાં શૈક્ષણિક કાર્ય આવતીકાલને 16 માર્ચથી બે અઠવાડીયા એટલે કે 31 માર્ચ સુધી બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. જ્યારે બોર્ડ પરીક્ષાઓ યથાવત્ રહેશે. સીએમ વિજય રૂપાણી […]

Continue Reading

કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોના મોંઘવારી ભથ્થામાં ચાર ટકાનો વધારો

મોદી સરકારે કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનધારકોને મોટી ભેટ આપી છે. કેબિનેટની બેઠકમાં સરકારે કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથૃથા(ડીએ)માં ચાર ટકાનો વધારો કરવાની જાહેરાત કરી છે.  કેબિનેટ બેઠક પછી માહિતી અને પ્રસારણ પ્રધાન પ્રકાશ જાવડેકરે જણાવ્યું હતું કે બેઠકમાં છ મહત્ત્વૂર્ણ નિર્ણય લેવામાં આવ્યા છે. જેમાં યસ બેંકના રિસ્ટ્રકચર યોજનાને મંજૂરી, કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનધારકોના ડીએમાં ચાર […]

Continue Reading

કેન્દ્રે પેટ્રોલ-ડીઝલ પર એક્સાઈઝ ડ્યુટીમાં રૂ. 3નો વધારો ઝીંક્યો

સામાન્ય પ્રજા માટે વધુ એક માઠા સમાચાર આવ્યા છે. કેન્દ્ર સરકારે પેટ્રોલ તેમજ ડીઝલ પરની એક્સાઈઝ ડ્યુટીમાં પ્રતિ લિટરે રૂ.3નો વધારો ઝીંક્યો છે. એક્સાઈઝ ડ્યુટીમાં વધારાને પગલે આગામી દિવસોમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો નોંધાશે. આંતરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમતોમાં ઘટાડાની સામે ઘરઆંગણે પેટ્રોલ-ડીઝલમાં રાહતને બદલે સરકારે વધુ ફાયદાનો લાભ ઉઠાવવા માટે એક્સાઈઝ ડ્યુટી વધારી દીધી છે. […]

Continue Reading

આજથી પોણું ભારત ‘બંધ’: કોરોનાના કારણે ભારતમાં બેના મોત, કુલ 82 ચેપગ્રસ્ત

ચીનથી આવેલા કોરોના વાયરસની બીમારીને પગલે ભારતમાં બે મોતની પુષ્ટિ અને 82 ચેપગ્રસ્તોની જાહેરાત પછી દેશની વિવિધ સરકારો શુક્રવારે હરકતમાં આવી ગઈ હતી અને અનેક રાજ્યોએ તકેદારીરૂપે સ્કૂલો, કોલેજો, જિમ, જાહેર સમારંભો, મોલ્સ, મલ્ટીપ્લેક્સીસ અને સ્વીમીંગ પુલ્સ સહિતનાં ભીડ એકઠી થતી હોય તેવાં સ્થળો પર પાબંદી લાદી દીધી છે.  શુક્રવારે દિલ્હીમાં 69 વર્ષની એક મહિલાનું […]

Continue Reading

કોરોનાના પગલે CBSE સ્કૂલમાં નવું સત્ર સ્થગિત

કોરોના ઈફેક્ટ અમદાવાદની સ્કૂલો સુધી પહોંચી છે અને આગામી દિવસોમાં શહેરની CBSE સ્કૂલોમાં શરૂ થનારા નવા શૈક્ષણિક સત્રને હાલ પૂરતું સ્થગિત રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. શહેરની અનેક CBSE સ્કૂલમાં માર્ચ મહિનાથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થવાનો હતો. પરંતુ આ સ્કૂલોએ હાલ પૂરતું નવું સત્ર શરૂ ન કરવાનું નક્કી કર્યું છે. આમ, માર્ચ દરમિયાન શહેરની […]

Continue Reading

કોરોના ઈફેક્ટ: ICCએ ઓસ્ટ્રેલિયા-ન્યૂઝીલેન્ડ વન-ડે સીરિઝ રદ કરી

કોરોના વાયરસના હાહાકારને પગલે રમત ક્ષેત્રે પણ અનેક ટૂર્નામેન્ટોના આયોજન રદ કરવાની આયોજકોને ફરજ પડી રહી છે. બીસીસીઆઈએ આઈપીએલનું આયોજન 15 એપ્રિલ સુધી મુલતવી રાખવાનો નિર્ણય કર્યો છે તેમજ આઈસીસીએ ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની વન-ડે સીરિઝ રદ કરી દીધી છે. આઈસીસીએ કોરોના વાયરસના વધી રહેલા જોખમને પગલે હાલમાં રમાઈ રહેલી ઓસ્ટ્રેલિયા-ન્યૂઝીલેન્ડ વચ્ચેની ચેપલ-હેડલી વન-ડે […]

Continue Reading