પ્રાચીન સમયથી જ કિન્નરને દાન આપવાની પરંપરા ચાલી રહી છે. આજે પણ ઘરથી કિન્નરને ખાલી હાથ પાછા મોકલવામાં આવતાં નથી, કારણ કે કિન્નરની દુઆ ખૂબ જ શક્તિશાળી હોય છે અને તેનાથી કોઇપણ વ્યક્તિની કિસ્મત બદશી શકે છે. શુભ લગ્ન પ્રસંગ હોય કે અન્ય શુભ કાર્ય દરેક શુભકામ માટે કિન્નરોને બોલાવવામા આવે છે. કહેવાય છે કે કિન્નરોના આશીર્વાત ફળદાયી હોય છે. જેથી તેને નાના-મોટા સૌ પ્રસંગોમાં બોલાવવામાં આવે છે અને આપણે તેને યથાશક્તિ પ્રમાણે દાન પણ કરતા હોય છીએ. આજે અમે તમને જણાવી રહ્યા છીએ એક એવી વસ્તુ વિશે જે તમને કિન્નર પાસેથી મળી જાય તો તમારૂ નસીબ બદલાઈ જશે
જો કિન્નર તમને ખુશીથી સિક્કો આપે તો તેનાથી તમારૂ નસીબ બદલાઈ જશે. ભલે ધનની મદદથી જીવનના દરેક સુખ ખરીદી શકાતા ન હોય, પરંતું એક સત્ય એવું પણ છે કે જીવનમાં આવતાં દરેક સુખનો આનંદ ઉઠાવવા માટે ધનની જરૂરિયાતને નજર અંદાજ પણ કરી શકાય નહીં.

