ગુજરાતના રિયલ એસ્ટેટમાં ભારે મંદીની સંભાવના, છ મહિને પણ સ્થિતિ થાળે પડશે નહીં

ગુજરાત મુખ્ય સમાચાર

કોરોનાના કારણે ગુજરાતમાં એપાર્ટમેન્ટ અને ઘરનું ઘર સસ્તું થાય તેવી સંભાવના છે. રાયમાં એવી ઘણી સ્કીમો છે કે યાં મકાનો તૈયાર છે પરંતુ લોકડાઉનના કારણે લોકો ખરીદી શકતા નથી. એટલું જ નહીં, રિયલ એસ્ટેટમાં મહામંદી આવી રહી હોવાનું મોટું કારણ શ્રમજીવીઓ તેમના વતન જતા રહ્યાં છે, તેમને પાછા લાવવામાં છ મહિનાનો સમય વિતી જશે.

ક્રેડાઇ ગુજરાત એકમના એક હોદ્દેદારે કહ્યું હતું કે ગુજરાતના મુખ્ય આઠ શહેરોમાં તૈયાર સ્કીમોની સંખ્યા ૨૫૦૦ જેટલી છે. અધુરાં પ્રોજેકટની સંખ્યા તેનાથી બમણી એટલે ૬૨૦૦ કરતાં વધુ છે. જે પ્રોજેકટ અધુરાં છે તે પ્રોજેકટ શ થવામાં પાંચ થી છ મહિનાનો સમય લાગી જશે પરંતુ જે તૈયાર છે તેનું ખરીદ-વેચાણ મે મહિનાની આખરમાં કે જૂન મહિનામાં શ થાય તેવું લાગી રહ્યું છે.

તેમણે કહ્યું કે ગુજરાતમાં અત્યારે રિયલ એસ્ટેટ પ્રવૃત્તિ ઠપ્પ છે. બાંધકામ વ્યવસાયમાં કારીગરો નથી. મજૂરો નથી. કોરોનાના સંક્રમણને કારણે તેમજ લોકડાઉનના કારણે મજૂરી છુટી જતાં આ મજૂરો તેમના વતન જતા રહ્યાં છે. એકલા અમદાવાદમાંથી ૫૦ હજાર જેટલા મજૂરો તેમના વતન જતા રહ્યાં છે. સૌથી ખરાબ હાલત સુરતની થઇ છે. સુરતમાં તો હીરાબજાર, કાપડ બજાર અને રિયલ એસ્ટેટ ક્ષેત્રના મજૂરો તેમના વતનમાંથી કયારે પાછા આવશે તે નિશ્ચિત નથી.

કોરોના મહામારીની સાઇડ ઇફેકટ સૌથી વધુ રિયલ એસ્ટેટમાં આવવાની છે. આ સેકટરમાં મહામંદી જેવી સ્થિતિ વર્તાઇ રહી છે. જે બિલ્ડરોએ બેન્કલોન લઇને તેમની સ્કીમો શ કરી હતી તેમની હાલત સૌથી વધુ કફોડી બની ચૂકી છે. તૈયાર સ્કીમોના વેચાણ માટે બિલ્ડરો નવી નવી ઓફરો લાવી શકે છે. સરવાળે ગ્રાહકોને ૨૦ ટકા જેટલા ઓછા માજીર્નથી મકાનો મળે તેવી સંભાવના છે. જો કે તેની સાથે સાથે મકાનોની ડિલીવરી મોડી થઇ શકે છે.

મહત્વની બાબત એવી છે કે જેમણે ચાલુ સ્કીમોમાં રોકાણ કયુ છે તેમના પિયા ફસાઇ ગયા છે. બેન્કલોનના હા શ થઇ ચૂકયાં છે પરંતુ સ્કીમ અટકી પડી છે. ત્રણ મહિનાની ભારતીય રીઝર્વ બેન્કની મર્યાદા હોવાથી બેન્કો ત્રણ મહિના સુધી હા લેશે નહીં પરંતુ તે હા વ્યાજસાથે લોનધારકોએ ભરવા પડશે. જે સ્કીમોમાં પજેશન આપવાનો સમય આવી ચૂકયો છે તેમાં પણ પાંચ થી છ મહિનાનો વિલબં થશે પરંતુ બેન્ક લોન લેનારા ગ્રાહકોને આ સમયગાળાનું વ્યાજ ચૂકવવાનું થશે.

રાયના શહેરી વિકાસ વિભાગના એક અધિકારીએ કહ્યું હતું કે ગુજરાતના ગાંધીનગર, અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર, જામનગર અને જૂનાગઢ જેવા શહેરી વિસ્તારમાં તૈયાર થયેલી સ્કીમોમાં વિલંબના કારણે બિલ્ડરો પણ પરેશાન છે. લોકડાઉન પછી પણ રિયલ એસ્ટેટમાં તેજી આવતાં ઓછામાં ઓછો છ મહિનાનો સમય થાય તેવું લાગી રહ્યું છે. કોરોનાની અસર સરકારની એફોર્ડેબલ હાઉસિંગની સ્કીમમાં પણ પડી રહી છે, કારણ કે સરકારની સ્કીમો બનાવતાં કોન્ટ્રાકટરો તેમજ બિલ્ડરો પાસે મજૂરોની સંખ્યા નથી