પાટીદાર વિરુદ્ધ પાટીદાર
અમિત શાહ ઉપરાંત કૉંગ્રેસના બિમલ શાહ વણિક ઉમેદવાર
અમદાવાદ-પૂર્વ (ભાજપના એચ. એસ. પટેલ અને કૉંગ્રેસના ગીતાબહેન પટેલ), મહેસાણા (ભાજપના શારદાબહેન પટેલ અને કૉંગ્રેસના એ. જે. પટેલ), રાજકોટ (ભાજપના મોહનભાઈ કુંડારિયા અને કૉંગ્રેસના લલિત કગથરા), પોરબંદર (ભાજપના રમેશભાઈ ધડૂક અને કૉંગ્રેસના લલિત વસોયા), અમરેલીની (કૉંગ્રેસના પરેશભાઈ ધાનાણી અને ભાજપના નારણભાઈ કાછડિયા) બેઠક ઉપર બંને મુખ્ય પક્ષોએ પાટીદાર ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે.
ગાંધીનગરની બેઠક ઉપર વણિક સમુદાયના અમિત શાહને ભાજપે મેદાનમાં ઉતાર્યા છે, જેઓ પાર્ટીના અધ્યક્ષ પણ છે. તેમની સામે કૉંગ્રેસના ઉમેદવાર સી. જે. ચાવડા ક્ષત્રિય સમાજના છે.
વડોદરાની બેઠક ઉપર ભાજપના ઉમેદવાર રંજન ભટ્ટ બ્રાહ્મણ સમુદાયના છે, જ્યારે કૉંગ્રેસે પાટીદાર સમુદાયના પ્રશાંત પટેલને ઉમેદવાર બનાવ્યા છે.
ઠાકોર વિરુદ્ધ ઠાકોર
વિધાનસભા ચૂંટણી પહેલાં અલ્પેશ ઠાકોર સમાજનો ચહેરો બન્યા
સાબરકાંઠા અને પાટણની બેઠકો ઉપર ભાજપ અને કૉંગ્રેસના ઉમેદવારો ઉપર નજર કરીએ તો ત્યાં ઠાકોરની સામે ઠાકોર ઉમેદવારને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.
પાટણની બેઠક ઉપર ભરતસિંહ ડાભી (ભાજપ) સામે કૉંગ્રેસના જગદીશ ઠાકોર છે, જ્યારે સાબરકાંઠાની બેઠક ઉપર ભાજપના દીપસિંહ રાઠોડની સામે રાજેન્દ્ર ઠાકોર (કૉંગ્રેસ) ચૂંટણી લડી રહ્યા છે.
બનાસકાંઠાની બેઠક ઉપર ભાજપે પરબત પટેલ અને કૉંગ્રેસે પર્થીભાઈ ભટોળને ઉતાર્યા છે.
બંને આંજણા ચૌધરી સમાજના છે, જે ઓબીસીના નેજા હેઠળ આવે છે.
કોળી વિરુદ્ધ કોળી
ભાજપના સમર્થકોની તસવીર
સુરેન્દ્રનગર અને જૂનાગઢની બેઠક ઉપર ભાજપ તથા કૉંગ્રેસે કોળી ઉમેદવારો ઉપર દાવ લગાવ્યો છે.
સુરેન્દ્રનગર બેઠક ઉપર ડૉ. મહેન્દ્ર મુંજપરા (ભાજપ) અને સોમાભાઈ પટેલ (કૉંગ્રેસ)ની વચ્ચે ટક્કર છે. આ બેઠક ઉપર 39 ટકા મતદાર કોળી છે.
જૂનાગઢમાં લગભગ સાડા ત્રણ લાખ કોળી મતદાતા છે, જે કુલ વસ્તીના અંદાજે 19.55 ટકા છે.
આ બેઠક ઉપર ભાજપે રાજેશ ચુડાસમાને રીપિટ કર્યા છે, જ્યારે કૉંગ્રેસે ઉનાની બેઠક ઉપરથી ધારાસભ્ય પૂંજાભાઈ વંશને ઉતાર્યા છે, જેઓ કોળી સમુદાયના છે.
જામનગરની બેઠક ઉપર પૂનમબહેન માડમ (ભાજપ) અને મૂળુભાઈ કંડોરિયા (કૉંગ્રેસ) બન્ને ઓબીસી આહીર સમુદાયના છે.