ભારતીય જનતા પાર્ટીના નેતા પ્રજ્ઞા ઠાકુર ફરી એકવાર પોતાના વિવાદિત નિવેદનને કારણે ચર્ચામા છે. ભોપાલથી ભાજપના ઉમેદવાર પ્રજ્ઞા ઠાકુરે કહ્યું કે તેઓ બાબરી મસ્જિદ પર ચઢ્યા હતા અને તેને તોડવામાં મદદ પણ કરી હતી. તેમને કહ્યું કે અમે મંદિરની નિર્માણ કરાવીશુ. પ્રજ્ઞા ઠાકુરના આ વિવાદિતે નિવેદન પર કાર્યવાહી કરતા તેમને નોટિસ આપવામાં આવી છે. તેની સાથે સાથે ચૂંટણી પંચ ઘ્વારા તીખી ટિપ્પણી કરતા જણાવવામાં આવ્યું કે વારંવાર આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ નેતાઓ પર મોટી કાર્યવાહી થઇ શકે છે.
પ્રજ્ઞા ઠાકુરે કહ્યું હતું કે બાબરી મસ્જિદને તોડવા માટે તેઓ ઉપર ચઢ્યા હતા હવે મંદિર નિર્માણ માટે પણ તેઓ ઉપર ચઢીને બનાવશે. ચૂંટણી પંચ દ્વારા ઠાકુરના આ નિવેદનને ચેતવણી આપવામાં આવી છે. મધ્યપ્રદેશના મુખ્ય ચૂંટણી અધિકારી વીએલ કાન્તા રાવે પ્રજ્ઞા ઠાકુરને ચેતવણી આપી છે. તેમજ વિવિધ રાજકીય પક્ષોને પણ ચેતવણી આપી છે કે તેઓ આવા વિવાદાસ્પદ નિવેદનો નહીં આપે. ચૂંટણી આયોગ ઘ્વારા જણાવવામાં આવ્યું કે જો તેઓ વારંવાર આવા નિવેદનો આપશે, તો તેમના પર કડક કાર્યવાહી કરવામાં આવશે.

