ભાવનગર: મહુવા પાસેના બંદર-લાઇટ હાઉસ વિસ્તારમાં છેલ્લા છ માસથી પવન ચકકીનો વિરોધ કરી આંદોલન ચાલી રહયુ છે. હવે કંપની દ્વારા ગામમા અને શાળાની તદન નજીક પવનચકકીનુ કામ શરૂ કરાતા ગ્રામજનોમાં રોષ ભભુકયો હતો.અને આજે આ આંદોલને હિંસક રૂપ ધારણ કરતા કંપનીના 11 જેટલા કામદારોને ઇજા પહોંચી હતી.પોલીસે આ બનાવ અંગે મહિલાઓ અને પુરૂષો સહીત 29 લોકો સામે નામજોગ અને 150ના ટોળા સામે ફરિયાદ દાખલ કરી હતી.
આંદોલન ગાંધી ચિંધ્યા માર્ગે છે2.છેલ્લા છ મહીનાથી આંદોલનકારીઓ દ્વારા પવનચકકીના વીરોધ બાબતે મામલતદારથી લઇ છેક મુખ્ય મંત્રી સુધીનાને અનેકવાર પત્રો લખ્યા,રજુઆતો કર્યા છતા આંદોલનકારીઓનંુ કોઇ સાંભળતુ નથી. અને મામલતદાર દ્વારા કંપનીને જાણ કરાય ત્યારે કામ બંધ કરી ફરી કામ શરુ કરી દેવામા આવે છે. હવે કંપની દ્વારા શાળાની નજીક ગામમા પવનચકકીનુ કામ શરુ કરાતા આંદોલનકારીઓએ તે કામ બંધ કરવાનુ કહેવા છતા કામ બંધ ન કરાતા આંદોલનકારીઓઉશ્કેરાયા હતા.બાકી છ મહીનાથી આંદોલન ચાલે છે. તે ગાંધી ચીન્ધયા માર્ગે જ ચાલે છે. જેમા ચોખ્ખુ જણાવાયુ છે કે અત્રે પવનચકકીનુ કામ કરવુ નહી.જંગલ ખાતાએ પણ મંજુરી આપી નથી.પરંતુ રાજકીય ઓથ નીચે આ કંપની મનમાની કરી રહી છે.- દિપકભાઇ બાંભણીયા, આંદોલનકારી
વ્યકિતગત વાંધો ચાલે છે3.દોઢ વરસ પહેલા કે.પી.એનર્જી કંપની દ્વારા પવનચકકીનુ કામ શરૂ કરાયુ હતુ. અને તે આ આંદોલનકારીઓએ જ કામ શરૂ કરાવ્યુ હતુ.કારણ તઓએ કંપની સાથે એવી શરતો રાખી હતી કે કંપની અમુક રકમ ભર્માદા વગેરેમા વાપરશે.બાદમા અમુક રકમ કંપનીએ આપી અને પછી રકમ આપવાની ના પાડી દેતા કેટલાક લોકોના પેટમા તેલ રેડાયુ હતુ. અને આ આંદોલન શરુ કર્યુ છે. બાકી ગ્રામજનોને કોઇને પવનચકકી બાબતે વાંધો છે નહિં 20 હજારની ગામની વસ્તી છે. તેમા 70-80 ને જ વાંધો છે.આ આંદોલન વ્યકતિ ગત પણ કહી શકાય તેવુ છે. – કેતનભાઈ , સરપંચ- કતપરગામ
હુમલામાં ઈજાગ્રસ્ત કંપનીના કામદારો4.કે.પી. એર્નજી કંપનીનું કામ કરતા સુલતાનભાઇ રસુલભાઇ હજામ, પ્રદિપભાઇ બાબરભાઇ શુકલ, કશ્યસિંહ વાળ, દલપતભાઇ ગોહીલ, મુન્નાભાઇ આતુભાઇ શીયાળ, ભોપાભાઇ ઠાપા, હરેશભાઇ સનાભાઇ જાદવ, મોહમદભાઇ અમીનઅલી ખાન, દીપકભાઇ ધનીરામભાઇ શર્મા, રવીન્દ્રપ્રસાદ દુબે, રાજુભાઇ દાદોલીપ્રસાદ કોલીને આ મારામારીમાં ઈજા થઈ હતી.
આંદોલન ગાંધી ચિંધ્યા માર્ગે છે2.છેલ્લા છ મહીનાથી આંદોલનકારીઓ દ્વારા પવનચકકીના વીરોધ બાબતે મામલતદારથી લઇ છેક મુખ્ય મંત્રી સુધીનાને અનેકવાર પત્રો લખ્યા,રજુઆતો કર્યા છતા આંદોલનકારીઓનંુ કોઇ સાંભળતુ નથી. અને મામલતદાર દ્વારા કંપનીને જાણ કરાય ત્યારે કામ બંધ કરી ફરી કામ શરુ કરી દેવામા આવે છે. હવે કંપની દ્વારા શાળાની નજીક ગામમા પવનચકકીનુ કામ શરુ કરાતા આંદોલનકારીઓએ તે કામ બંધ કરવાનુ કહેવા છતા કામ બંધ ન કરાતા આંદોલનકારીઓઉશ્કેરાયા હતા.બાકી છ મહીનાથી આંદોલન ચાલે છે. તે ગાંધી ચીન્ધયા માર્ગે જ ચાલે છે. જેમા ચોખ્ખુ જણાવાયુ છે કે અત્રે પવનચકકીનુ કામ કરવુ નહી.જંગલ ખાતાએ પણ મંજુરી આપી નથી.પરંતુ રાજકીય ઓથ નીચે આ કંપની મનમાની કરી રહી છે.- દિપકભાઇ બાંભણીયા, આંદોલનકારી
વ્યકિતગત વાંધો ચાલે છે3.દોઢ વરસ પહેલા કે.પી.એનર્જી કંપની દ્વારા પવનચકકીનુ કામ શરૂ કરાયુ હતુ. અને તે આ આંદોલનકારીઓએ જ કામ શરૂ કરાવ્યુ હતુ.કારણ તઓએ કંપની સાથે એવી શરતો રાખી હતી કે કંપની અમુક રકમ ભર્માદા વગેરેમા વાપરશે.બાદમા અમુક રકમ કંપનીએ આપી અને પછી રકમ આપવાની ના પાડી દેતા કેટલાક લોકોના પેટમા તેલ રેડાયુ હતુ. અને આ આંદોલન શરુ કર્યુ છે. બાકી ગ્રામજનોને કોઇને પવનચકકી બાબતે વાંધો છે નહિં 20 હજારની ગામની વસ્તી છે. તેમા 70-80 ને જ વાંધો છે.આ આંદોલન વ્યકતિ ગત પણ કહી શકાય તેવુ છે. – કેતનભાઈ , સરપંચ- કતપરગામ
હુમલામાં ઈજાગ્રસ્ત કંપનીના કામદારો4.કે.પી. એર્નજી કંપનીનું કામ કરતા સુલતાનભાઇ રસુલભાઇ હજામ, પ્રદિપભાઇ બાબરભાઇ શુકલ, કશ્યસિંહ વાળ, દલપતભાઇ ગોહીલ, મુન્નાભાઇ આતુભાઇ શીયાળ, ભોપાભાઇ ઠાપા, હરેશભાઇ સનાભાઇ જાદવ, મોહમદભાઇ અમીનઅલી ખાન, દીપકભાઇ ધનીરામભાઇ શર્મા, રવીન્દ્રપ્રસાદ દુબે, રાજુભાઇ દાદોલીપ્રસાદ કોલીને આ મારામારીમાં ઈજા થઈ હતી.