કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારમન આવતીકાલે અમદાવાદમાં હાજરી આપશે. તેઓ દિવસ દરમિયાન વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેશે. સંગઠન પર્વ નિમિત્તે 600થી વધુ વિદ્યાર્થીઓને ભાજપમાં જોડશે. સૌરાષ્ટ્ર કેળવણી મંડળના અમૃતબાગ પાર્ટીપ્લોટ – એઇસી પાસે કન્યા છાત્રાલયમાં કાર્યક્રમ યોજાશે. કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારમનના આગમન પહેલા ભાજપના કાર્યકરોમાં અનોરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

