સરંક્ષણમંત્રી રાજનાથ સિંહે કહ્યું છે કે પાકિસ્તાને આતંકવાદને પ્રોત્સાહન આપવાનું બંધ કરી દેવું જોઈએ. જો આવું ન થયું તો કોઈ પણ તેને તૂટતાં નહીં અટકાવી શકે.
ગુજરાતમાં આયોજિત એક કાર્યક્રમ દરમિયાન સિંહે પાકિસ્તાનને ચેતવણી આપી કે જો તેમના તરફથી લોકો નિયંત્રણ-રેખા પાર કરશે તો ભારતીય સૈન્ય તેમને પરત નહીં જવા દે.
રાજનાથ સિંહે કહ્યું કે પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને પોતાના લોકોને યોગ્ય સલાહ આપી છે કે તેઓ નિયંત્રણ-રેખા પાર ન કરે, કારણ કે ભારતીય સૈન્ય તૈયાર છે અને તે તેમને પરત નહીં જવા દે.

