અયોધ્યા જમીન વિવાદની સુનાવણી 18 ઓક્ટોબર સુધીમાં પૂર્ણ કરો : ચીફ જસ્ટિસ ગોગોઈ

અયોધ્યામાં રામ મંદિરના કેસમાં સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ જણાવ્યું છે કે હવે મધ્યસ્થાના પ્રયાસને લઈને કેસની સુનાવણીને રોકવામાં નહીં આવે. સુપ્રીમ કોર્ટે વધુમાં જણાવ્યું હતું કે સુનાવણીની સાથે જ સમાંતર રૂપે મધ્યસ્થીના પ્રયાસો ચાલુ રાખી શકાય છે. અયોધ્યામાં રામ મંદિરને લઈને જમીન વિવાદના કેસમાં સુનાવણી પૂર્ણ કરવા ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ ડેડલાઈન નિર્ધારિત કરી દીધી છે. […]

Continue Reading

ભારત PM મોદીના ન્યૂયોર્ક પ્રવાસ માટે પાકિસ્તાની એરબેઝનો ઉપયોગ કરવા માંગે છે: PAK મીડિયા

પાકિસ્તાની મીડિયા તરફથી સમાચાર આવી રહ્યાં છે કે, ભારતે ઔપચારિકપણે પાકિસ્તાનને અનુરોધ કર્યો છે કે, તે વડાપ્રધાન મોદીની ન્યૂયોર્કના પ્રવાસ માટે તેમના વિમાનને પોતાના એરસ્પેસ પરથી પસાર કરવાની મંજુરી આપે. વિચારવિમર્શ બાદ પાકિસ્તાન તેના પર પોતાની પ્રતિક્રિયા આપશે. વડાપ્રધાન મોદી સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના વાર્ષિક સત્રમાં ભાગ લેવા માટે તે સપ્તાહના અંતમાં ન્યૂયોર્ક માટે રવાના થશે. […]

Continue Reading

ભારતમાં આતંકીઓ ચાંદ પરથી નહી પાડોશી દેશમાંથી આવે છેઃ યુરોપિયન યુનિયન

યુરોપિયન યુનિયને પણ કાશ્મીર મુદ્દે પાકિસ્તાનને ફટકાર લગાવી છે. આમ પાકિસ્તાનને કાશ્મીર મુદ્દે ફરી એક વખત મોટો ઝાટકો લાગ્યો છે. યુરોપના દેશોએ ભેગા મળીને બનાવેલા યુરોપિયન યુનિયનની પાર્લામેન્ટમાં ઈટાલીના સાંસદ ફુલવાયો માર્તસિલોએ સ્પષ્ટપણે કહ્યુ હતુ કે, પાકિસ્તાને પરમાણુ હથિયારોના ઉપયોગની ધમકી આપી છે. પાકિસ્તાન એવી જગ્યા છે જ્યાં આંતકવાદીઓ યુરોપમાં હુમલો કરવાની યોજના ઘટતા હોય […]

Continue Reading

ચંદ્રયાન 2: ગણતરીના કલાકોમાં લેન્ડર ‘વિક્રમ’ ખોવાશે ઘનઘોર અંધકારમાં

ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર પડેલા લેન્ડર ‘વિક્રમ’ સાથે સંપર્ક કરવાની તમામ શક્યતાઓ ખતમ થઈ ગઈ છે. દક્ષિણ ધ્રુવ પર હવે કાળી ઘનઘોર રાત પડવાની તૈયારીમાં છે. ગણતરીના કલાકોમાં ‘વિક્રમ’ને અંધારુ ગળી જવાનુ છે. એ પછી તેની તસવીર લેવાનુ પણ શક્ય નહી બને. સંપર્ક થવાની તો કોઈ શક્યતા છે જ નહી. ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર પૃથ્વીના […]

Continue Reading

PM નરેન્દ્ર મોદી સાથે મમતા બેનર્જીએ કરી મુલાકાત, આપી આ બે ખાસ ભેટો

પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનર્જી બુધવારનાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળવા માટે તેમના નિવાસસ્થાને પહોંચ્યા હતા. આ દરમિયાન સીએમ મમતાએ પીએમ મોદીને મિઠાઈ અને કુર્તો ભેટ આપ્યો હતો. ઉલ્લેખનીય છે કે એક દિવસ પહેલા જ પીએમ મોદીનો જન્મદિવસ હતો અને મમતા બેનર્જીએ ટ્વિટ કરીને પીએમ મોદીને જન્મદિવસની શુભકામનાઓ પાઠવી હતી. મમતા બેનર્જીએ પીએમ મોદી પાસે મુલાકાત […]

Continue Reading

ઈ-સિગરેટ પર પ્રતિબંધ, રેલવે કર્મચારીઓને 78 દિવસનું બોનસ આપવાની જાહેરાત કેબિનેટ બેઠકમાં કરાઈ

કેબિનેટની બેઠકમાં બુધવારે મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે નિર્ણયની માહિતી આપતા જણાવ્યું કે 11 લાખ 52 હજાર રેલવે કર્મચારીઓને આ વર્ષે 78 દિવસના વેતન બરાબર બોનસ આપવામાં આવશે. તેની પર 2,000 કરોડ રૂપિયાનો ખર્ચ આવશે. જાવડેકરે કહ્યું કે કર્મચારીઓની ઉત્પાદકતા અને મનોબળને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવામાં આવ્યો છે. છેલ્લા 6 વર્ષથી […]

Continue Reading

ગુજરાતીઓને રાહત: 15 ઓક્ટોબર સુધી ટ્રાફિક પોલીસ નવા નિયમ પ્રમાણે દંડ નહીં ફટકારી શકે

ગુજરાતમાં નવા ટ્રાફિક નિયમના અમલને લઈને રાજ્ય સરકાર દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે. વાહન વ્યવહાર મંત્રી આર.સી. ફળદુએ પત્રકાર પરિષદમાં આ જાહેરાત કરતા કહ્યું હતું કે ટ્રાફિકના નવા નિયમોના અમલની સમયમર્યાદા 15 ઓક્ટોબર સુધી લંબાવવામાં આવી છે. ગુજરાત સરકારની કેબિનેટની બેઠકમાં આજે આ નિર્ણય લેવામાં આવ્યો છે. લોકોને હેલમેટ ખરીદવામાં અને પીયુસી કાઢવામાં પડતી […]

Continue Reading

ફ્લૂ જેવી એક બીમારી 36 કલાકમાં વિશ્વમાં ફેલાઇને 8 કરોડ લોકોને મારી શકે છે: ભૂતપૂર્વ WHO ચીફ

ફ્લૂ જેવી એક બીમારી 36 કલાકમાં વિશ્વમાં ફેલાઇને 8 કરોડ લોકોને મારી શકે છે તેવું જાણકારોનું માનવું છે. એક સદી પહેલા સ્પેનિશ ફ્લૂની મહામારીએ ત્રીજા ભાગની વિશ્વની જનસંખ્યાને ભરડામાં લીધી હતી જેમાં 5 કરોડ લોકોના મોત થયા હતા. રિપોર્ટ પ્રમાણે આજના સમયમાં જ્યારે લોકો મોટા પ્રમાણમાં પ્રવાસ કરી રહ્યાં છે ત્યારે આ મહામારી ફેલાય તો […]

Continue Reading

જે લોકો દંડ ભરી રહ્યા છે તેઓ પણ નવા ટ્રાફિક નિયમોથી ખુશ છે : ગડકરી

નવા ટ્રાફિક નિયમો લાગુ કરી દેવાયા બાદ આ નિયમોનો ભંગ કરનાર લોકોને દંડ ભરવો પડી રહ્યો છે. કેટલાક રાજ્યોમાં દંડની રકમમાં ઘટાડો કરવામાં આવ્યો છે. દેશમાં ચારેય કોર ટ્રાફિક નિયમોમાં થયેલા ફેરફારો અંગે જ ચર્ચાઓ થઈ રહી છે. કેટલાક લોકો આ ફેરફારને વખોડી રહ્યા છે તો કેટલાક તેને વખાણી રહ્યા છે. આ દરમિયાન રોડ પરિવહન […]

Continue Reading

નવા નિયમો લાગુ પડે તે પહેલા જ HSRP નંબર પ્લેટ અને PUCની મુદત વધારાઇ

16મી સપ્ટેમ્બરથી રાજ્યમાં નવા ટ્રાફિકના નિયમોનો લાગુ થતા નિયમોનું ઉલ્લંઘન કરનારા વાહનચાલકોને તોતિંગ દંડ ભરવો પડશે.બસ આ જ દહેશતને લઈને રાજ્યના પીયુસી સેન્ટરો તેમજ હાઈસિક્યુરીટી નંબર પ્લેટ લગાવવા માટે ભારે ભીડ જોવા મળી રહી છે.સૌથી ચોંકાવનારી વાત એ છે કે અમદાવાદના 60 લાખ વાહનો માટે માત્ર 173 જ પીયુસી સેન્ટરો છે.જેને લઈને હવે રાજ્ય સરકારે […]

Continue Reading