NIA બિલ 2019 રાજ્યસભામાં પસાર; દેશના એક-એક ઈંચમાં રહેતા ઘૂસણખોરોને દેશમાંથી બહાર કઢાશે- શાહ

નવી દિલ્હી: રાજ્યસભામાં આજે NIA સંશોધન બિલ વિશે ચર્ચા કરવામાં આવી હતી અને ચર્ચાના અંતે બિલ રાજ્યસભામાંથી પસાર કરવામાં આવ્યું છે. આ પહેલાં બિલ લોકસભામાં પાસ થઈ ગયું છે. આ બિલમાં રાષ્ટ્રીય તપાસ એજન્સીને વધારે અધિકાર આપવાની જોગવાઈ કરવામાં આવી છે. ઘૂસણખોરોને દેશમાંથી બહાર કરીશુ: અમિત શાહ રાજ્યસભામાં સપા સાંસદ જાવેદ અલી ખાને સરકારને પૂછ્યું […]

Continue Reading

લેન્ડિંગ પહેલા વિમાનમાં ફક્ત પાંચ મિનિટ ચાલે તેટલું જ ઈંધણ હતું, 153 પ્રવાસીઓ માંડ-માંડ બચ્યા

વિસ્તારાની મુંબઈથી દિલ્હી જઈ રહેલી ફ્લાઈટના 153 પ્રવાસીઓનો જીવ એ સમયે ખતરામાં પડ્યો જ્યારે લગભગ ચાર કલાકના ઉડ્ડયન બાદ વિમાનના ફ્યૂલ ટેંકમાં ફક્ત પાંચ મિનિટ ચાલે તેટલું જ ઈંધણ બચ્યું હતું. દિલ્હી જઈ રહેલા વિમાનને પહેલા લખનઉ ડાયવર્ટ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તેને પ્રયાગરાજ ડાયવર્ટ કરાયું હતું. પરંતુ ત્યાં પહોંચે તે પહેલા જ તેને ફરીથી […]

Continue Reading

કર્ણાટક વિવાદ : રાજીનામું આપનાર MLAને વિશ્વાસ મત માટે ફરજ પાડી શકાય નહીં – સુપ્રીમ કોર્ટ

કર્ણાટકના રાજકીય સંકટમાં એક નવો જ વળાંક આવ્યો છે. કોંગ્રેસ-જેડીએસના 15 બળવાખોર ધારાસભ્યોના રાજીનામા અંગે નિર્ણય લેવાની અપીલ પર બુધવારે સુપ્રીમ કોર્ટે મહત્વના આદેશો આપ્યા હતા. સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે વિધાનસભા સ્પીકર કે આર રમેશ પોતાની અનુકુળતા મુજબ ધારાસભ્યોના રાજીનામા પર વિચારણા કરી શકે છે. આ માટે તેમના પર સમય મર્યાદા લાગુ થવી જોઈએ નહીં. […]

Continue Reading

ગુજરાતના રાજકીય વર્તુળોમાં ભૂકંપ, ભાજપ અને કોંગ્રેસના 70 ધારાસભ્યોને IT વિભાગે ફટકારી નોટિસ

ગુજરાતના ધારાસભ્યો પર ઈન્કમટેક્ષ વિભાગે મોટી કાર્યવાહી કરી હોવાના અહેવાલ મળી રહ્યા છે. હાલ ગુજરાત વિધાનસભાના 182 ધારાસભ્યો પૈકી 70 ધારાસભ્યોને ઈન્કટેક્ષ વિભાગે નોટિસ ફટકારી છે. હવે તમને એક સવાલ ઉદ્દભવશે કે, કેમ ઈન્કમટેક્ષ વિભાગે ભાજપ અને કોંગ્રેસના 70 ધારાસભ્યોને નોટિસ ફટકારી છે. તો અમે તમને જણાવીએ કે, વર્ષ 2017 વિધાનસભાની ચૂંટણી પહેલા તેમના દ્વારા […]

Continue Reading

અંતે અલ્પેશ ઠાકોર આવતીકાલે ભાજપમાં જોડાશે, મંત્રીપદ સામે પ્રશ્નાર્થ

અમદાવાદઃ છેલ્લા એક મહિનાથી કોંગ્રેસ છોડ્યા બાદ પક્ષ વિના લટકી પડેલા અલ્પેશ ઠાકોર ના છૂટકે ભાજપમાં આવતીકાલે જોડાશે. પરંતુ અલ્પેશ ઠાકોરનું મંત્રી બનવાનું સપનુ ભાજપ પુરું નહીં કરે. જેથી અલ્પેશ ભાજપના સામાન્ય કાર્યકર તરીકે કામ કરશે. અલ્પેશ ઠાકોરે પણ નિર્દેશ આપ્યો હતો કે, પાર્ટી જે કામ સોંપશે તે કરવા તૈયાર છે. આમ મંત્રી બનવાના સપના […]

Continue Reading

એર સ્પેસ ખોલતાની સાથે જ ભારતીય વાયુસેનાની પાકિસ્તાનને ખુલ્લી ધમકી

ભારતીય વાયુસેના પ્રમુખ બીએસ ધનોઆએ પાકિસ્તાનને કડક ચેતવણી આપી છે. તેમણે કહ્યું છે કે, જો ફરી એકવાર કારગીલ યુદ્ધની નોબત આવે તો અમે તેના માટે સંપૂર્ણ રીતે તૈયાર છીએ. તેમણે આ વાત કારગીલ યુદ્ધના 20 વર્ષ પુરા થવા પર કહી હતી. ભારતીય સેના 20 વર્ષ પહેલા પાકિસ્તાન સાથે થાયેલા કારગીલ યુદ્ધમાં શાનદાર વિજયની ભવ્ય ઉજવણી […]

Continue Reading

ભાઇની હત્યા થઇ હોવા છતા આર્ચર ઇંગ્લેન્ડ માટે વર્લ્ડ કપ રમતા રહ્યા

ક્રિકેટ વિશ્વ વિજેતા બનનાર ઇંગ્લેન્ડ ટીમના હિસ્સા રુપે સફલ બોલર જોફ્રા આર્ચર ટીમમાં એક આગવું સ્થાન ધરાવે છે, પરંતુ વર્લ્ડ કપ દરમિયાન આર્ચર સાથે એક દુખદ ઘટના બની હતી. જેમાં આર્ચરના પિતરાઇ ભાઇની બારબાડોશ ખાતે ક્રૂર હત્યા કરવામાં આવી હતી. વર્લ્ડ કપમાં ઇંગ્લેન્ડ જ્યારે તેની પહેલી મેચ રમ્યું હતું, તેના આગળના જ દિવસે આર્ચરના 24 […]

Continue Reading

કુલભૂષણ જાધવ કેસ : બુધવારે સાંજે આવશે ICJ નો નિર્ણય, પાકિસ્તાન કોર્ટે સંભળાવી હતી મોતની સજા

પાકિસ્તાનની જેલમાં બંધ ભારતીય નાગરિક કુલભૂષણ જાધવના કેસમાં બુધવારના રોજ સાંજે 6.30 કલાકે આખરી નિર્ણય આવશે. નિર્ણય સંભાળવવા માટે 15+1 (પાકિસ્તાની એડહોક જજ તસદદુકે હસન જિલાની) અર્થાત 16 જજની બેન્ચ બેસસે અને આંતરરાષ્ટ્રીય ન્યાય અડાલના અધ્યક્ષ અબ્દુકાવી યુસુફ નિર્ણયની મુખ્ય વાતો વાંચીને સંભળાવશે. આ દરમિયાન ભારત અને પાકિસ્તાનના સત્તાવાર પ્રતિનિધિઓ અદાલતમાં હાજર રહેશે. ભારતના એજન્ટ […]

Continue Reading

એક તરફ દુકાળ અને બીજી તરફ પૂર, 70 લાખ લોકો પૂરથી અસરગ્રસ્ત

દેશમાં એક તરફ સંખ્યાબંધ રાજ્યોમાં વરસાદ ખેંચાવાના કારણે દુકાળની પરિસ્થિતિ છે, ત્યારે બિહાર સહિતના પૂર્વોત્તર રાજ્યોમાં ભારે વરસાદના કારણે પૂરની સ્થિતિ સર્જાઈ છે. જેના પગલે 70 લાખ લોકો પ્રભાવિત થયા છે, અને 44 લોકોના મોત થયા છે. આસામના 33માંથી 31 જિલ્લાના 43 લાખ નાગરિકો પૂરના સકંજામાં છે. આસામમાં 15 લોકોના મોત થયા છે. બિહારમાં 12 […]

Continue Reading

ચેતવણી પછી પણ 100 વર્ષ જૂના બિલ્ડિંગમાં લોકો રહેતા હતા, સામે આવ્યો BMCનો લેટર

મુંબઈ: મુંબઈના ડોંગરી વિસ્તારમાં ધરાશાયી થયેલી બિલ્ડિંગ વિશે એક મોટો ખુલાસો સામે આવ્યો છે. આ બિલ્ડિંગને બીએમસી તરફથી જ 2017માં જોખમી જાહેર કરવામાં આવી હતી. પરંતુ આ ચેતવણી પછી પણ આ બિલ્ડિંગમાં ઘણાં પરિવાર રહેતા હતા. દુર્ઘટનામાં અત્યાર સુધી 4 લોકોના મોત થયા છે. આ દરમિયાન બીએમસીનો એક પત્ર સામે આવ્યો છે જેમાં આ વાતનો ખુલાસો […]

Continue Reading