બોટાદમાં BJP કોર્પોરેટરના પતિ પર કોંગ્રેસ કાર્યકર્તા દ્વારા જીવલેણ હુમલો

ગઈકાલે સમગ્ર ગુજરાતની તમામ 26 લોકસભા બેઠકો માટે મતદાન શાંતિપૂર્ણ માહોલમાં અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે પૂર્ણ થઇ ગયું. ગુજરાતમાં સરેરાશ 63.91 ટકાની આસપાસ મતદાન થયું. આ દરમિયાન ક્યાંક ઇવીએમમાંથી સાપ નિકળ્યો તો ક્યાંક ઘર્ષણની પણ ખબરો સામે આવી. આ દરમિયાન આજે બોટાદમાં મતદાન દરમિયાન થયેલી માથાકૂટની અદાવત રાખી ભાજપના મહિલા કોર્પોરેટરના પતિ પર કોંગ્રેસના […]

Continue Reading

મોદી સામે આચારસંહિતા ભંગની ફરિયાદ: ચૂંટણી પંચે ક્લીન ચિટ આપી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમદાવાદના રાણીપ વિસ્તારમાં નિશાન હાઈસ્કૂલમાં મતદાન કર્યા પછી અને પહેલા ખુલ્લી જીપમાં આવીને અને જતી વખતે મતદાતાઓને આકર્ષવાનો પ્રયાસ કર્યો હોવાના આક્ષેપ સાથે આદર્શ આચારસંહિતાનો ભંગ કર્યો હોવાની એક ફરિયાદ કોન્ગ્રેસ દ્વારા કરવામાં આવી છે. તેમ જ તેમને બેથી ત્રણ દિવસ ચૂંટણી પ્રચારથી દૂર કરી દેવાની માગણી કરવામાં આવી હતી. ૨૦૧૪ની લોકસભાની […]

Continue Reading

વારાણસીથી વડાપ્રધાન મોદી સામે ચૂંટણી લડી શકે છે પ્રિયંકા ગાંધી: સુત્ર

કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા વારાણસીથી વડાપ્રધાન વિરુદ્ધ ચૂંટણી લડી શકે છે. સુત્રો પ્રમાણે વારાણસીથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ પ્રિયંકા ગાંધીની ચૂંટણી લડવાની શક્યતા છે. વારાણસી લોકસભા પરથી ચૂંટણી લડવા માટે ઉમેદવારી નોંધાવાની અંતિમ તારીખ 29 એપ્રિલ છે. કોંગ્રેસના સુત્રો પાસેથી મળતી વિગતો મુજબ વારાણસીથી ચૂંટણી લડવા માટે પ્રિયંકા ગાંધી તૈયાર છે પરંતુ અંતિમ નિર્ણય […]

Continue Reading

શ્રીલંકામાં સીરિયલ બ્લાસ્ટ બાદ મુસ્લિમો ઘરેથી બહાર નીકળતા પણ ડરે છે

શ્રીલંકાની રાજધાની કોલંબોમાં થયેલા સીરિયલ બોમ્બ બ્લાસ્ટ બાદથી મોહમ્મદ હસન ઘરેથી બહાર નીકળતા નથી. તેમને ડર છે કે બોમ્બ બ્લાસ્ટ બાદથી દેશમાં તણાવનો માહોલ છે અને તેમની પર મુસ્લિમ હોવાના કારણે હુમલો થઈ શકે તેમ છે. 41 વર્ષીય હસન એક પ્રિન્ટિંગ પ્રેસમાં નોકરી કરે છે પરંતુ તેમનો પરિવાર તેમને ઘરે જ રહેવાનું કહે છે. માટાગોડામાં […]

Continue Reading

આતંકવાદી હુમલા અંગે ભારતે શ્રીલંકાને 3 વખત ચેતવણી આપી હતી

શ્રીલંકામાં થયેલા આતંકવાદી હુમલામાં 300 કરતા વધારે લોકો જીવ ગુમાવી ચુક્યા છે.500 થી વધારે લોકો ઘાયલ થયા છે. ભારતે શ્રીલંકાને આતંકવાદી હુમલા અંગે ત્રણ વખત ચેતવણી આપી હતી.એક ઈન્ટેલિજન્સ અધિકારીએ નામ નહી આપવાની શરતે કહ્યુ હતુ કે, પહેલી વોર્નિંગ 4 એપ્રિલે આપવામાં આવી હતી.ભારતની ઈન્ટેલિજન્સ એજન્સીઓએ ઈસ્લામિક સ્ટેટના કોઈમ્બતુર મોડ્યુલની ચકાસણી કરી હતી.તે દરમિયાન શ્રીલંકામાં […]

Continue Reading

સ્યુસાઇડ બોમ્બર્સે બ્લાસ્ટ અગાઉ વીડિયો ઉતાર્યો, ISISના ઝંડા સામે કામ સફળ કરવાની પ્રતિજ્ઞા લીધી

આઇએસઆઇએસએ શ્રીલંકાના સ્યુસાઇડ બોમ્બર્સનો એક વીડિયો રિલીઝ કર્યો છે, જેમાં તમામ આતંકી જૂથના વડા અબુ બકર અલ-બગદાદીનું નામ લઇ ઇસ્ટર સન્ડે સીરિયલ બ્લાસ્ટને સફળ બનાવવાની પ્રતિજ્ઞા લઇ રહ્યા છે. આ વીડિયોમાં આઠ જેહાદીઓ એક સર્કલમાં ઉભા છે, એકબીજાંના હાથ ઉપર હાથ રાખી ISIS ખલીફને વફાદાર રહેવાની પ્રતિજ્ઞા કરે છે. અબુ બકર અલ-બગદાદી છેલ્લાં 5 વર્ષની […]

Continue Reading

રાજ્ય સરકારનો હાઈકોર્ટમાં જવાબ, RTE હેઠળ 1.17 લાખ બાળકોને પ્રવેશ અપાશે

RTE(રાઈટ ટૂ એજ્યુકેશન એક્ટ)હેઠલ ગરીબ બાળકોને પ્રવેશ આપવા મામલે રાજ્ય સરકારે ગુજરાત હાઈકોર્ટમાં જવાબ રજૂ કર્યો છે. નવા શૈક્ષણિક વર્ષમાં 1.17 લાખ બાળકોને પ્રવેશ આપવામાં આવશે. RTE અંગે જાગૃતિ લાવવા માટે બહોળો પ્રચાર-પ્રસાર કરવામાં આવ્યો છે. આ જવાબ બાદ હાઈકોર્ટે રાજ્ય સરકારને સરકાર જે પગલાં લઈ રહી છે તે અંગે સોગંદનામું કરવા આદેશ કર્યો છે. […]

Continue Reading

રાહુલ અને સોનિયાને જીતાડવા સ્ટાર પ્રચારક હાર્દિક પટેલની અમેઠી-રાયબરેલીમાં જનસભા

6મેના રોજ ઉત્તર પ્રદેશની 14 લોકસભા બેઠક પર મતદાન યોજાવવાનું છે. જેમાં અમેઠી અને રાયબરેલી બેઠકનો પણ સમાવેશ થાય છે. અમેઠી બેઠક પરથી રાહુલ ગાંધી જ્યારે રાયબરેલી બેઠક પરથી સોનિયા ગાંધી ચૂંટણી લડી રહ્યા છે. રાહુલ અને સોનિયાને જીતાડવા કોંગ્રેસ ખુબ જોર-શોરથી પ્રચાર કરી રહી છે. ત્યારે ગુજરાત કોંગ્રેસના સ્ટાર પ્રચારક હાર્દિક પટેલ પણ રાહુલ-સોનિયાના […]

Continue Reading

રાજસ્થાન તરફથી ફૂંકાતા પવનથી ગુજરાતમાં ગરમી વધી, આવતીકાલે અમદાવાદમાં યલો એલર્ટ

મંગળવારે ગુજરાત લોકસભાના મતદાન સાથે ગરમીનો પારો પણ ઉચકાયો હતો. રાજસ્થાન તરફથી ફૂંકાઈ રહેલા ઉત્તર પશ્ચિમના ગરમ પવનથી ગુજરાતમાં ગરમીનું પ્રમાણ વધ્યું છે. ત્યારે આવતીકાલે હવામાન વિભાગે અમદાવાદમાં યલો અલર્ટ જાહેર કર્યો છે. રવિવાર સુધી અમદાવાદ સહિત રાજ્યમાં ગરમીનો પારો 45 ડિગ્રી સુધી પહોંચી જશે. AMCનો એક્શન પ્લાન – શહેરના તમામ અર્બન સેન્ટર પર ORSની […]

Continue Reading

દુબઈમાં BAPS મહિલા વિંગે કરી સાંસ્કૃતિક ઉજવણી, 1000 મહિલાઓએ લીધો ભાગ

બોચારણવાસી અક્ષર પુરુષોત્તમ સંસ્થા (BAPS)ની મહિલા વીંગ દ્વારા યૂએઈના દુબઈમાં એક અનોખી સાંસ્કૃતિક ઉજવણી કરવામાં આવી હતી. સમાજમાં મહિલાઓનું યોગદાન અને તેમની ભૂમિકાને એક સાંસ્કૃતિક કાર્યક્રમના માધ્યમથી ઉજવીને પ્રોત્સાહિત કરવામાં આવી હતી. આ આયોજન BAPS સ્વામિનારાયણ સંસ્થાના આધ્યાત્મિક વડા પરમ મહંત સ્વામી મહારાજની પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. આ સાંસ્કૃતિક આયોજનમાં યૂએઈ ઉપરાંત […]

Continue Reading