18 હજાર ફુટની ઉંચાઇ પર પેટ્રોલિંગ કરી રહેલા ભારતીય સૈનિકો હિમપ્રપાતની ચપેટમાં આવ્યા, 2 શહીદ

લદ્દાખના દક્ષિણ સિયાચિન ગ્લેશિયરમાં શનિવારે સવારે પેટ્રોલિંગ પર નિકળેલા ભારતીય સૈનિકો હિમપ્રપાતની ચપેટમાં આવી ગયા હતા. ત્યારબાદ સેનાની રેસ્ક્યૂ ટીમે સ્થાનિકોની મદદથી તેમને સુરક્ષિત કાઢ્યા હતા પરંતુ ઇલાજ દરમિયાન નાયબ સૂબેદાર સેવાંગ ગ્યાલશન અને રાઇફલમેન પદમ નોરગૈસનું મૃત્યુ થયું હતું. રક્ષા મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું કે ઘટના સમયે સેનાની ટુકડી 18 હજાર ફીટની ઉંચાઇ પર હતી. […]

Continue Reading

દાહોદમાં હત્યાકાંડ: એક જ પરીવારના 6 લોકોની સામુહિક હત્યા

દાહોદમાં એક જ પરિવારના 6 સભ્યોની સામુહિક હત્યાથી સમગ્ર પંથકમાં ભારે અરેરાટી મચી જવા પામી છે. આ બનાવમાં પતિ-પત્નિ સહિત 4 બાળકોને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા છે. આ બનાવને લઈ સંજેલી પોલીસ સહિતનો ઉચ્ચ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર દાહોદના […]

Continue Reading

રાજકીય પક્ષોનું ગઠબંધન અટકાવીશું તો દેશમાં લોકતંત્ર રહેશે જ નહીં: સુપ્રીમ કોર્ટ

મહારાષ્ટ્રમાં શિવસેના અને કોંગ્રેસ-એનસીપીની ગઠબંધન સરકાર વિરુદ્ધ કરવામાં આવેલી અરજીને સુપ્રીમ કોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે મહા વિકાસ અઘાડીને રાહત આપતા ગઠબંધનને અપવિત્ર સંબોધતી અરજી ફગાવી દીધી હતી. સુનવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે સ્પષ્ટતા કરી હતી કે કોર્ટ ગઠબંધનની સમીક્ષા કેમ કરે? ચૂંટણી પરિણામ પહેલાના ગઠબંધન અને પછીના ગઠબંધનમાં કોર્ટ કેમ દખલ કરે? […]

Continue Reading

15મી જાન્યુઆરી 2021 પછી સોનાના દાગીના હોલમાર્ક વગર વેચી શકાશે નહીં

કેન્દ્રમાં મોદી સરકારે સોના બજાર માટે મહત્વની જાહેરાત કરી છે. સરકારની જાહેરાત મુજબ દેશભરના સોની બજારોમાં કોઇપણ પ્રકારના સોનાના દાગીના હોલમાર્ક વિના વેચી શકાશે નહીં. ગ્રાહક બાબતોના મંત્રી રામ વિલાસ પાસવાને શુક્રવારે જાહેરાત કરતા જણાવ્યું કે, ગુણવત્તા સુનિશ્ચિત કરવાના હેતુસર સોનાના ઘરેણા અને કલા કૃતિઓ માટે હોલમાર્કનો નિયમ 15મી જાન્યુઆરી 2021થી ફરજિયાત કરવામાં આવ્યો છે.  […]

Continue Reading

દેશની આર્થિક સ્થિતિ છ વર્ષની સૌથી ખરાબ હાલતમાં, GDP ઘટીને 4.5% થયો

ભારતની અર્થવ્યવસ્થાને લઇને ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. શુક્રવારે જાહેર કરાયેલા સત્તાવાર આંકડાઓ મુજબ ભારતની અર્થવ્યવસ્થામાં જૂલાઇથી સપ્ટેમ્બરની વચ્ચે ગત છ વર્ષની સૌથી ધીમી ગતિએ વધારો થયો છે. આ દરમિયાન દેશની GDP માત્ર 4.5% રહી જે ગત ત્રિમાસિકની GDPથી પણ ઓછી રહી. 2018માં જૂલાઇ-સપ્ટેમ્બરની વચ્ચે GDP દર 7% હતો, આ પહેલા સૌથી ઓછી જીડીપી 2013માં […]

Continue Reading

બિટકોઈન કૌભાંડનો પર્દાફાશ કરનાર નિશા ગોંડલિયા પર ખંભાળિયા નજીક બે રાઉન્ડ ફાયરિંગ, હોસ્પિટલમાં દાખલ

બિટકોઈન કેસ અને જામનગરના ભૂમાફિયા જયેશ પટેલને લઈને કેટલાક ચોંકવાનારા ખુલાસા કરવાથી ચર્ચામાં આવેલી વ્હિસલબ્લોઅર નિશા ગોંડલીયા પર બપોરે દ્વારકા જિલ્લાના ખંભળિયા પાસે આરાધનાધામ નજીક બે રાઉન્ડ ફાયરિંગ કરાતા અરેરાટી ફેલાઈ ગઈ હતી. નિશા ગોંડલિયાની કાર પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું જેમાં તેને સામાન્ય ઈજાઓ પહોંચતા સારવાર અર્થે ખંભાળિયા સ્થિત હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. નિશા […]

Continue Reading

ઉદ્ધવ આવતીકાલે વિશ્વાસનો મત સાબિત કરી શકે છે, કાર્યભાર સંભાળ્યા બાદ મુખ્યમંત્રીએ આરેમાં મેટ્રો શેડનું કામ અટકાવ્યું

ઉદ્ધવ ઠાકરેએ આજે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકેનું પદ સંભાળી લીધુ હતુ. ત્યારબાદ તેમણે જણાવ્યું હતું કે આરે કોલોનીમાં મેટ્રો શેડનું કામ અટકાવવામાં આવ્યું છે. રાજ્યમાં એક-એક પૈસાનો હિસાબ રાખવામાં આવશે. દિલીપ પાટીલની નવા પ્રોટેમ સ્પીકર તરીકે નિમણૂક કરવામાં આવી છે. તેમણે શનિવારે વિધાનસભાનું ખાસ સત્ર બોલાવ્યું છે. ઉદ્ધવ ઠાકરે આ દિવસે જ વિશ્વાસ મત સાબિત કરે […]

Continue Reading

બે દિવસ પહેલાં પોલીસે ડિટેઇન કરેલી 2 કરોડની પોર્શે કારને 9. 80 લાખનો દંડ ફટકાર્યો

પશ્ચિમ અમદાવાદમાં રૂટિન ચેકિંગ દરમિયાન પોલીસે 27મી નવેમ્બરે 2 કરોડ રૂપિયાની પોર્શે 911 કારને ડિટેઇન કરી હતી, જેને 9.80 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. મહત્વનું છે કે, કારમાં નંબર પ્લેટ ન હતી અને આ ઉપરાંત કારચાલક પાસે જરૂરી ડોક્યુમેન્ટ્સ પણ નહોતા. જેને કારણે નિયમ ભંગ કરવા બદલ પોલીસે આકરો દંડ ફટકાર્યો છે. અમદાવાદ પોલીસે ટ્વીટ […]

Continue Reading

તેલંગાણા 18થી 30 વર્ષની મહિલાઓ માટે દેશમાં સૌથી અસુરક્ષિત, અહીં 91 ટકા દુષ્કર્મ પીડિતાઓ આ જ ઉંમરની

તેલંગાણાના હૈદરાબાદની પાસે ગુરુવારે 26 વર્ષની વેટરનરી ડોક્ટરની દુષ્કર્મ બાદ હત્યા કરવામાં આવી. સ્કુટી પંચર થવાના પગલે આ ડોક્ટર ટોલ પ્લાઝા પર હતી. ટ્રક ડ્રાઈવર અને ક્લીનર પંચર બનાવવાના બહાને તેણીને લઈ ગયા હતા અને બાદમાં દુષ્કર્મ કર્યું. નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો એટલે કે એનસીઆરબીના આંકડાઓ જણાવે છે કે 18થી 30 વર્ષની મહિલાઓ માટે તેલંગાણા […]

Continue Reading

આ છે ઉદ્ધવ ઠાકરેનો એક્શન પ્લાન, શપથ લીધા બાદ સૌથી પહેલા કરશે આ છ કામ

મહારાષ્ટ્રમાં શિવસેના-કોંગ્રેસ-એનસીપીની સરકારનું નેતૃત્વ ઉદ્ધવ ઠાકરે કરવા માટે જઈ રહ્યા છે. “દેશ સૌથી પહેલા” એ મંત્ર પર આ ત્રણેય દળ સહમત થયા છે અને જાહેર કરવામાં આવેલા ન્યુનતમ કાર્યક્રમમાં સેક્યુલર વિચારને જોર આપવામાં આવ્યું છે. ઉદ્ધવ ઠાકરે ગુરુવારે સાંજે 6.40 કલાકે શિવાજી પાર્કમાં શપથ લેશે,જ્યાં બેસવા માટે 70 હજાર ખુરશીઓની વ્યવસ્થા કરવામાં આવી છે. તેમનું […]

Continue Reading