સુરતઃ સિટીબસના અકસ્માતની પરંપરા ચોથા દિવસે પણ અકબંધ, અમરોલી બ્રિજ ઉપર કારને ફંગોળી

બે દિવસમાં ચાર લોકોનો ભોગ લઈને વિવાદમાં આવેલી પાલિકાની સિટી બસે શનિવારે સતત ચોથા દિવસે પાંચમો એક્સિડન્ટ સર્જ્યો હતો. અમરોલી બ્રિજ પર સિટી બસે કારને ટક્કર મારી હતી. સદનસીબે કારમાં સવાર લોકોને કોઈ ઈજા કે જાનહાનિ પહોંચી નહતી. જોકે, અકસ્માતના કારણને કારના પાછળના ભાગે નુકસાન થયું હતું. શહેરમાં ફરતી બ્લૂ અને મરૂન કલરની સિટી બસ […]

Continue Reading

મહારાષ્ટ્ર ડ્રામા: અજીત પવાર સાથે ગયેલા ધનંજય મુંડે હવે એનસીપી અને શરદ પવારના પક્ષમાં ફર્યા

મહારાષ્ટ્રમાં સત્તાના ખેલમાં અજીત પવારે ભલે એનસીપી પ્રમુખ શરદ પવારને ઝટકો આપ્યો, પરંતુ પાવર ગેમના ચાણક્ય કહેવાતા શરદ પવાર તેમની પર ભારે પડી રહ્યા હોવાનું પ્રતિત થઇ રહ્યું છે. આ અંગે અનુમાન લગાવી શકાય છે કે, અજીત પવાર માટે એનસીપી ધારાસભ્યોનું સમર્થન લાવનાર ધનંજય મુંડે હવે શરદ પવાર પ્રત્યે તેમની વફાદારીના ગુણગાન ગાઇ રહ્યા છે.  […]

Continue Reading

દેશમાં માત્ર વડાપ્રધાનને જ SPG સુરક્ષા મળશે

કેબિનેટ દ્વારા SPG Amendment Billમાં જે સુધારાઓને મંજૂરી આપવામાં આવી છે, એના મુજબ હવેથી પૂર્વ વડાપ્રધાનોના પરિવારજનો એસપીજી (SPG) સુરક્ષા આપશે નહી. આ બિલ  SPG સુરક્ષા માત્રને માત્ર વડાપ્રધાન પૂરતી જ સમિતિ કરી રહ્યું છે.  ઉલ્લેખનીય છે કે સરકારે કેટલાક દિવસો પહેલા જ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી, તેમના પુત્ર રાહુલ ગાંધી અને પુત્રી પ્રિયંકા ગાંધીને […]

Continue Reading

સંસદના શિયાળુ સત્રનું પહેલુ અઠવાડિયુ સમાપ્ત, રાહુલ ગાંધી સાતેય દિવસ ગેરહાજર રહ્યા

સંસદનું શિયાળુ સત્રનું પ્રથમ અઠવાડિયા પૂર્ણ થયું છે. વિપક્ષમાં ખાસ કરીને કોંગ્રેસે આર્ટિકલ 370ને નાબૂદ કરવાના સરકારના નિર્ણય પછી રાજ્યમાં ઉદ્ભવેલી સ્થિતિઓ, નેશનલ કોન્ફ્રેંસના સાંસદ ફારુક અબ્દુલ્લાની મૂક્તિ, પૂર્વ વડાપ્રધાન ડો. મનમોહન સિંઘ અને ગાંધી પરિવારની એસપીજી સુરક્ષા હટાવવા અને ઇલેક્ટોરલ બોન્ડ જેવા મુદ્દાઓ પર બીજેપી સરકારને ઘેરવાના પ્રયત્ન કર્યા, પરંતુ આ બધાની વચ્ચે કોંગ્રેસના […]

Continue Reading

ઝારખંડના લાતેહારમાં નક્સલી હુમલો, ત્રણ પોલીસ કર્મચારીઓ શહીદ

ઝારખંડના લાતેહારમાં શુક્રવારે રાત્રે નક્સલી હુમલામાં ત્રણ પોલીસ કર્મચારીઓ શહીદ થયા છે. હુમલામાં ઘાયલ એક પોલીસ કર્મચારી ગંભીર હાલતમાં છે જે સારવાર હેઠળ છે. અધિકારીઓ મુજબ નક્સલીઓએ શુક્રવાર રાત્રે આશરે 8.30 કલાકે પોલીસ ટૂકડીના વાહન પર હુમલો કર્યો હતો.  અધિકારીના જણાવ્યા મુજબ નક્સલીઓના અચાનક હુમલાનો વળતો પ્રહાર કરવા કે સ્વબચાવ માટે પોલીસ કર્મચારીઓ તૈયાર ન […]

Continue Reading

સુરત: રિંગરોડની માર્કેટમાં ભીષણ આગ લાગતાં ભાગદોડ થઈ

રિંગરોડ પર આવેલી મિલેનિયમ માર્કેટ 2માં ગ્રાઉન્ડ પર સાડી દુકાનમાં આજે સવારે અચાનક આગ ફાટી નીકળી હતી જોતજોતામાં ફેલાતા ધુમાડાના ગોટેગોટા નીકળ્યા હતા. જોકે આગને લીધી જાડો વાયર સળગતો સળગતો પાંચ માળ સુધી ગયો હતો જેથી ત્યાં ભારે અફડાતફડી મચી જવા પામી હતી. ફાયરબ્રિગેડના સૂત્રો પાસેથી મળેલી વિગત મુજબ રિંગ રોડના રઘુકુળ માર્કેટ પાસે આવેલી […]

Continue Reading

આ વિચારધારાનું નહી તકવાદી ગઠબંધન છે: નીતિન ગડકરી

મહારાષ્ટ્રમાં કોંગ્રેસ, શિવસેના અને NCPના સંભવિત ગઠબંધનને નીતિન ગડકરીએ તકવાદી ગઠબંધન ગણાવ્યું છે. ગડકરીએ જણાવ્યું કે, વૈચારિક તાલમેલ નહી હોવાના લીધે આ ગઠબંધન ટકશે નહી. શિવસેના અને ભાજપનું ગઠબંધન નહી થવું દેશ, વિચારધારા, હિંદુત્વ અને મહારાષ્ટ્ર માટે નુંકસાનકારક છે. કોંગ્રેસ-NCP અને શિવસેના વચ્ચે થનારા ગઠબંધન પર નિવેદન આપતા કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે, તેમની […]

Continue Reading

આજવા રોડ ઉપર પાર્ટી પ્લોટમાં લગ્ન પ્રસંગમાં ટાબરીયા ટોળકી ત્રાટકી, 1.75 લાખના મુદ્દામાલની ચોરી

વડોદરા શહેરના આજવા રોડ ઉપર આવેલા ભાઇકાકા પાર્ટી પ્લોટમાં યોજાયેલ લગ્ન પ્રસંગમાં ત્રાટકેલી ટાબરીયા ટોળકી નવવધૂના ગિફ્ટમાં આવેલા દાગીના અને ચાંલ્લાના કવર મૂકેલા પર્સની ચોરી કરી ગયાની ઘટના સામે આવી છે. રૂપિયા 1.75 લાખ ઉપરાંતનો મુદ્દામાલ મુકેલ પર્સની ચોરી કરીને રફૂચક્કર થઇ ગયેલી ટોળકીને ઝડપી પાડવા માટે પોલીસે સીસીટીવી ફૂટેજની મદદથી તપાસ હાથ ધરી છે. […]

Continue Reading

પીળા રંગની BMW કાર પાંજરાપોળ BRTS કોરિડોરમાં ઘૂસી, ટ્રાફિક પોલીસે 3 હજારનો દંડ ફટકાર્યો

પાંજરાપોળ સર્કલ પાસે ગુરુવારે BRTS બસ અને બાઈકનો અકસ્માત થતા બે યુવકના મોત થયા હતા. ત્યાં જ આજે સવારે એક BMW કારચાલકે BRTS રૂટમાં કાર ચલાવતા પોલીસે કારચાલકને રોકી 3000નો દંડ ફટકાર્યો હતો. સવારે સાડા દસ વાગ્યે દંડ ફટકારાયો શહેરમાં દોડતી BRTS બસો માટે BRTS કોરિડોર બનાવવામાં આવ્યો છે. તેમાં એએમટીએસની બસો, ગુજરાત એસટીની બસો […]

Continue Reading

2 કલાકની બેઠક બાદ પવાર બોલ્યા- સીએમ માટે ઉદ્ધવના નામ પર સહમતિ, કોંગ્રેસે કહ્યું- વાતચીત પુરી થઈ નથી

મહારાષ્ટ્રમાં નવી સરકારની રચના ઝડપથી થશે. કોંગ્રેસ-રાકાંપા અને શિવસેનાની શુક્રવારે નહેરુ સેન્ટરમાં બેઠક થઈ હતી. બાદમાં રાકાંપા અધ્યક્ષ શરદ પવારે સ્પષ્ટતા કરી કે શિવસેનાના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વને લઈને અમારી વચ્ચે સહમતિ થઈ છે. તેમણે કહ્યું કે ચર્ચા હજુ પણ ચાલુ છે અને શનિવારે મુંબઈમાં પ્રેસ કોન્ફોરન્સ કરીને એ પણ જણાવવામાં આવશે કે અમે ક્યારે […]

Continue Reading