મહારાષ્ટ્ર ભાજપ અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલ બોલ્યા, અમારી પાર્ટી વિના કોઈ સરકાર બની શકશે નહિ

પાર્ટી નેતાઓની મુંબઈમાં બેઠક બાદ મહારાષ્ટ્ર ભાજપ અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલે શુક્રવારના રોજ કહ્યું હતું,મહારાષ્ટ્રમાં ભાજપ વગર કોઈપણ સરકારનું ગઠન સંભવ નથી.  ભાજપને સૌથી વધારે 1.42 કરોડ વોટ મળ્યા છે. સૌથી વધારે વોટ ભાજપને મળ્યા બાદ NCPને મળ્યા છે. બે નવેમ્બર અને નવેમ્બર વન વચ્ચે લાબું અંતર છે. પાટીલે કહ્યું હતું, કોંગ્રેસ અને એનસીપી મળીને 100નો આંકડો […]

Continue Reading

મહારાષ્ટ્રને 20 દિવસમાં મળી શકે છે નવી સરકાર, NCP-કોંગ્રેસ અને શિવસેના તડામાર તૈયારીઓમાં

મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન દરમિયાન 20 દિવસમાં નવી સરકાર અસ્તિત્વમાં આવી શકે છે. સરકાર બનાવવા માટે એનસીપીની સમન્વય સમિતિના એક સભ્યએ સરકાર બનાવવાનો દાવો કર્યો છે. મહારાષ્ટ્રમાં શિવસેના-એનસીપી અને કોંગ્રેસની સરકાર માટે તૈયારી પૂરજોશમાં ચાલી રહી છે. જે માટે મુંબઇમાં પહેલી વાર આ ત્રણેય પાર્ટીઓની બેઠક યોજાઇ હતી. જેમાં સરકાર બનાવવાના ફોર્મુલા પર ચર્ચા ચાલી રહી […]

Continue Reading

નવેમ્બર 2020માં ચંદ્રયાન-3 મોકલવાની તૈયારી, ચંદ્રયાન-2માં થયેલી ભૂલો પર રિપોર્ટ તૈયાર કરાયો

ISRO આગામી વર્ષના નવેમ્બરમાં ચંદ્રયાન-3નું સોફ્ટ લેન્ડિંગ કરી શકે છે. આ જાણકારી ગુરવારે ઇસરોના સૂત્રોએ આપી હતી. તેમણે જણાવ્યું કે 2020માં ચંદ્રની સપાટી પર લેન્ડર ઉતારવા માટે ઇસરોએ એક ઉચ્ચસ્તરિય કમિટીનું ગઠન કર્યું છે. તેનું નેતૃત્વ તિરુવનંતપુરમના વિક્રમ સારાભાઇ સ્પેસ રિસર્ચ સેન્ટરના ડાયરેક્ટર એસ.સોમનાથ કરી રહ્યા છે. આ સેન્ટરને ઇસરોના દરેક લોન્ચ વ્હિકલ પ્રોગ્રામની જવાબદારી […]

Continue Reading

સબરીમાલા કેસમાં પુનઃ વિચાર અંગેનો કેસ સુપ્રીમ કોર્ટે 7 જજની બેન્ચને સોંપ્યો, મહિલાઓના પ્રવેશની મંજૂરીનો નિર્ણય યથાવત્

કેરળના 800 વર્ષ જૂના સબરીમાલા મંદિરમાં મહિલાઓને પ્રવેશ આપવા વિશે સુપ્રીમ કોર્ટ આજે તેમનો નિર્ણય સંભળાવ્યો છે. સબરીમાલા કેસમાં પુન:વિચાર અરજી પર સુપ્રીમ કોર્ટે કેસ સાત જજની બેન્ચ પાસે મોકલી દીધો છે. બેન્ચે આ નિર્ણય 3:2થી કર્યો છે. જોકે કોર્ટે કહ્યું છે કે, અંતિમ ચુકાદો આવે ત્યા સુધી જૂનો આદેશ યથાવત્ રહેશે. કોર્ટે 28 સપ્ટેમ્બર […]

Continue Reading

રાહુલ ગાંધીને ‘ચોકીદાર ચોર છે’ના નિવેદનમાં રાહત મળી, સુપ્રીમ કોર્ટે કહ્યું- હવે સાવધાની રાખજો

માનહાનિ કેસમાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી મળી છે. સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીની માફીને મંજૂરને સ્વીકારી લીધી છે. આ સાથે જ કોર્ટને સ્પષ્ટ કહી દીધું છે કે હવે રાહુલ વિરુદ્ધ કોઈ અવગણના કેસ નહીં ચલાવવામાં આવે. તેમના નિર્ણયમાં સુપ્રીમ કોર્ટે કહ્યું કે, બંધારણીય પદો પર બેસેલા લોકોને સાવધાનીથી નિવેદન આપવું જોઈએ. કોર્ટને રાજકીય વિવાદમાં ઘસેડવું […]

Continue Reading

ચેકપોસ્ટ નાબૂદ કરનારું ગુજરાત 22મું રાજ્ય, અડચણો વિના અમલ થઈ શકશે?

રાજ્ય સરકારે આજે(14 નવેમ્બર) 20 નવેમ્બરથી ગુજરાતની 16 ચેકપોસ્ટ બંધ કરવાનો નિર્ણય કર્યો છે. આ સાથે જ ગુજરાત ચેકપોસ્ટ નાબૂદ કરનારું દેશનું 22મું રાજ્ય બન્યું છે. રાજ્ય સરકાર વાહન વ્યવહાર સંબંધિત સેવાઓમાં છેલ્લા ત્રણ મહિનાથી વિવિધ સુધારાઓ કરી રહી છે. પરંતુ મોટા ભાગના નિર્ણયો લાગુ થવામાં અનેક અડચણો આવી રહી છે અને સંપૂર્ણ રીતે અમલ […]

Continue Reading

ખેડૂતો માટે 700 કરોડની સહાયનું પેકેજ, 33 ટકા કરતા વધુ નુકસાન માટે સહાય કરાશે

આજે ગાંધીનગરમાં મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા ખેડૂતો માટે 700 કરોડના સહાય પેકેજની જાહેરાત કરવામાં આવી છે. બિન પિયતમાં હેકટર દીઠ 6,800 રૂ. સહાય અપાશે. પાકવીમા સિવાય પણ રાજ્ય સરકારે સહાય જાહેર કરી છે. 2 લાખ કરતા વધુ ખેડૂતોને સહાય મળશે. રાજ્યમાં દિવાળી પહેલા અને દિવાળી પછી પડેલા કમોસમી વરસાદના કારણે ખેતીના તૈયાર પાકને અને ખેતરમાં […]

Continue Reading

ગુજરાત વિધાનસભાનું શિયાળું સત્ર 9 ડિસે.થી ત્રણ દિવસ માટે મળશે

ગુજરાત વિધાનસભાનું શિયાળું સત્ર આગામી 9-12 ડિસેમ્બરના રોજ ત્રણ દિવસ માટે યોજાશે. ચાલુ વર્ષે એપ્રિલ-મેમાં લોકસભાની ચૂંટણી અને પરિણામને અનુલક્ષીને વિધાનસભાનું નિયમિત બજેટ સત્ર ફેબ્રુઆરીના બદલે જુલાઈ માસમાં યોજાયું હતું. હવે શિયાળુ સત્ર ત્રણ દિવસ માટે 9મી ડિસે.ના યોજાશે જેમાં સત્રના પ્રથમ દિવસે શોકાંજલિ આપવામાં આવશે તેમજ બીજી બેઠકમાં 26  નવેમ્બરને બંધારણિય દિવસ તરીકે ઉજવવા […]

Continue Reading

સુપ્રીમ કોર્ટે કહ્યું- ચીફ જસ્ટિસની ઓફિસ સાર્વજનિક સંસ્થા, તે RTIના દાયરામાં આવશે

સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસની ઓફિસ RTIના દાયરામાં છે કે નહીં તેના પર સુપ્રીમ કોર્ટના પાંચ જજોની સંવિધાન પીઠે ચૂકાદો આપ્યો હતો. રંજન ગોગોઇની અધ્યક્ષતા વાળી બેન્ચે ચૂકાદામાં સ્પષ્ટ કર્યું છે કે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસની ઓફિસ માહિતી અધિકારના કાયદા હેઠળ આવે છે. રંજન ગોગોઇ સાથે જસ્ટિસ એન વી રમન્ના, જસ્ટિસ ડી વાય ચંદ્રચુડ, જસ્ટિસ દીપક […]

Continue Reading

પાસપોર્ટમાં લિંગ પરિવર્તનનો સવાલ કેમ ? હાઇકોર્ટે કહ્યું- બંધારણમાં ભેદ કરવાની મંજૂરી નથી, કેન્દ્ર જવાબ આપે

મદ્રાસ હાઇકોર્ટે બુધવારે પાસપોર્ટ ફાર્મમાં લિંગ પરિવર્તન સર્જરી(એસઆરએસ)ની જાણકારી માંગવા પર કેન્દ્ર સરકારને નોટિસ જાહેર કરી છે. ચેન્નઇના સમાજિક કાર્યકર્તા શિવકુમારે પાસપોર્ટમાં આ પ્રકારની જાણકારી માંગવા વિરુદ્ધ અરજી દાખલ કરી છે. અરજદારે તેને બંધારણના અનુચ્છેદ 21નું ઉલ્લંઘન ગણાવ્યું હતું જેમાં નાગરિકોની વ્યક્તિગત આઝાદીને સંરક્ષણ આપવામાં આવ્યું છે. શિવકુમારે કોર્ટને અપીલ કરી હતી કે પાસપોર્ટ અરજીમાં […]

Continue Reading