ભારતે આતંકી ખતરાના ઇનપુટ પાકિસ્તાનને મોકલ્યા, કહ્યું- થીમ સોંગમાંથી આપત્તિજનક સામગ્રી હટાવે

શીખોના પ્રથમ ગુરુ ગુરુનાનક દેવની 550મી જયંતી પર 9 નવેમ્બરના પાકિસ્તાનમાં કરતારપુર કોરિડોરનું ઉદ્ઘાટન થશે. કરતારપુર જનારા પહેલા ભારતીય ગ્રુપના 550 શ્રદ્ધાળુઓના નામ ભારતે પાકિસ્તાનને સોંપી દીધા છે. ન્યૂઝ એજન્સી પ્રમાણે ભારત સરકારે પાકિસ્તાન સરકારને એ પણ સ્પષ્ટ કરી દીધું છે કે કરતારપુર જનારા લોકો માટે પાસપોર્ટની જરૂરિયાત રહેશે. તે સિવાય ભારતે આતંકી ખતરાના ઇનપુટ […]

Continue Reading

IPLની આગામી સીઝનમાં નો-બોલનું ધ્યાન રાખવામાં માટે એક એક્સ્ટ્રા અમ્પાયર ફરજ નિભાવશે

 ઇન્ડિયન પ્રીમિયર લીગ(IPL)ની ગઈ સીઝનમાં અમ્પાયરની ભૂલો ટોકિંગ પોઇન્ટ બની હતી. અમ્પાયર્સ ખાસ કરીને નો-બોલને લઈને સાચો કોલ લેવામાં નિષ્ફ્ળ રહ્યા હતા. બીસીસીઆઈએ તેને ધ્યાનમાં રાખતા નિર્ણય કર્યો છે કે IPLની આગામી સીઝનમાં માત્ર નો-બોલનું ધ્યાન રાખવા માટે એક એક્સ્ટ્રા અમ્પાયર ફરજ નિભાવશે. IPLની ગવર્નિંગ બોડીની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. ગવર્નિંગ કાઉન્સિલના એક […]

Continue Reading

વકીલાતનો વ્યવસાય બદનામ થઈ રહ્યો છે: બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયા

લ્હીમાં પોલીસ અને વકીલો વચ્ચેના ઘર્ષણનો મુદ્દો વધારે ગરમાઈ રહ્યો છે. એક તરફ પોલીસ કર્મચારીઓ પર ગઈકાલે થયેલા હુમલા બાદ ભાગ્યે જોવા મળે તેવી સ્થિતિ સર્જાઈ છે અને પોલીસ કર્મચારીઓ પોતે દેખાવો કરવા રસ્તા પર ઉતર્યા છે ત્યારે બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાએ હડતાળ કરનારા વકીલોની ઝાટકણી કાઢી છે અને કહ્યુ છે કે, મારપીટ કરવાના કારણે […]

Continue Reading

દિલ્હી પોલીસ કમિશ્નર સામે જ પોલીસ જવાનોએ કિરણ બેદીના નારા લગાવ્યા

દિલ્હી પોલીસ અને વકીલો વચ્ચે ચાલી રહેલા વિવાદમાં આજે દિલ્હી પોલીસના જવાનોએ સવારથી પોલીસ હેડક્વાર્ટરની બહાર દેખાવો કર્યા છે. દિલ્હી પોલીસના જવાનોને સમજાવવા માટે કમિશ્નર અમુલ્ય પટનાયક આવ્યા હતા તો તેમને પણ જવાનોના વિરોધનો સામનો કરવાનો વારો આવ્યો હતો.જવાનોએ તો તેમની સામે જ નારા લગાવ્યા હતા કે, હમારા કમિશ્નર કેસા હો..કિરણ બેદી જેસા હો… દિલ્હી […]

Continue Reading

દિવમાં પ્રવાસીઓની હવે નો-એન્ટ્રી

મહા વાવાઝોડાને લઈને દિવમાં પ્રવાસીઓ માટે નો એન્ટ્રી જાહેર કરાઈ છે. હાલ અહીં એલર્ટ આપવામાં આવ્યું છે, તેમજ પ્રવાસીઓને દિવ છોડી દેવા સૂચના પણ જારી કરવામાં આવી છે.  સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, છઠ્ઠી નવેમ્બર સુધીમાં દિવ છોડી જવા તમામ પ્રવાસીઓને સુચના અપાઈ છે. દિવના તમામ બીચ બંધ કરવામાં આવ્યા છે, તેમજ દિવમાં પ્રવેશ પર […]

Continue Reading

CBIએ 7,000 કરોડના બેંક ફ્રોડ મામલે 35 કેસ દાખલ કર્યા

કેન્દ્રીય તપાસ એજન્સી (સીબીઆઇ)એ 7000 કરોડ રૂપિયાના બેંક ફ્રોડ મામલે 35 કેસ દાખલ કર્યા છે. આ મામલે દેશભરમાં 169 જગ્યાઓ પર મંગળવારે દરોડા પાડવામાં આવ્યા છે. સીબીઆઇએ આંધ્રપ્રદેશ, ચંદીગઢ, દિલ્હી, ગુજરાત, હરિયાણા, કર્ણાટક, કેરળ, મધ્યપ્રદેશ, પંજાબ, તમિલનાડુ, તેલંગાણા, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, દાદર અને નગર હવેલીમાં કાર્યવાહી કરવામાં આવી છે. જો કે તપાસ એજન્સીએ આરોપીઓના નામ […]

Continue Reading

દિગ્ગજ IT કંપની ઇન્ફોસિસ 10 હજાર કર્મચારીઓની છટણી કરશે

આઇટી ક્ષેત્રની કંપની ઇન્ફોસિસ મોટા પ્રમાણમાં છટણી કરવા જઇ રહી છે. કંપની જેએલ 6 (ઇન્ટરનલ જોબ કોડ) સ્તરમાં 2200 એક્ઝિક્યુટિવ્સને બહારનો રસ્તો બતાવશે. આ તમામ કર્મચારી મધ્ય અને ઉચ્ચ સ્તરે કામ કરનારા એક્ઝિક્યુટિવ્સ છે. કંપનીમાં જેએલ 6, 7 અને 8 બેન્ડમાં 30,092 લોકો કામ કરે છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, કંપની જેએલ 1થી 5 સ્તર સુધીના […]

Continue Reading

શક્તિશાળી IED વિસ્ફોટથી ઈમ્ફાલ ધ્રુજ્યું, પાંચ પોલીસ સહિત એક નાગરિકને ઈજા

પૂર્વોત્તરના રાજ્ય મણિપુરના પાટનગર ઈમ્ફાલ મંગળવારના રોજ એક પ્રચંડ બોમ્બ બ્લાસ્ટથી ધણધણ્યું છે. ઈમ્ફાલમાં એક શક્તિશાળી આઈઈડી વિસ્ફોટમાં પાંચ પોલીસ અધિકારીઓ સહિત ઓછામાં ઓછા છ લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ વિસ્ફોટ સવારે 9.30 વાગ્યે ઈમ્ફાલના થાંગર બજારમાં થયો હતો. આ હુમલો પોલીસ અધિકારીઓને નિશાનો બનાવીને કરવામાં આવ્યો હતો. જેની લપેટમાં એક સામાન્ય નાગરિક પણ આવી […]

Continue Reading

હવેથી Online ઇશ્યુ થશે PAN, આવકવેરા વિભાગ શરુ કરશે નવી સેવા

આવક વેરા વિભાગ હવે નવી સેવા શરુ કરવા જઇ રહી છે જેમાં પર્મેનેન્ટ એકાઉન્ટ નંબર (PAN) તાત્કાલિક ઓનલાઇન ઇશ્યુ થશે. આ સિસ્ટમમાં આધાર ડેટાબેસનો ઉપયોગ કરીને PAN ઇશ્યુ કરી દેવામાં આવશે, જેથી અરજીકર્તાઓએ વધારે રાહ ન જોવી પડે. પ્રાપ્ય માહિતી મુજબ આગામી કેટલાક દિવસોમાં આ સેવા શરુ કરી દેવામાં આવશે. આ સેવાનો લાભ એ લોકો […]

Continue Reading

ધોની ભારતની પ્રથમ ડે-નાઈટ ટેસ્ટમાં કોમેન્ટ્રી કરશે : રિપોર્ટ

પૂર્વ ભારતીય ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોની છેલ્લા ઘણા સયમથી ક્રિકેટ ગ્રાઉન્ડની બહાર નજરે પડે છે. 2017 ક્રિકેટ વિશ્વ કપમાં ભારતનો ન્યૂઝીલેન્ડ સામે પરાજય થયા બાદ ધોની એકપણ મેચમાં જોવા મળ્યો નથી. જો કે ક્રિકેટનો મહારથી હવે એક અનેપક્ષિત ભૂમિકામાં જોવા મળી શકે છે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે કોલકાતામાં રમાનાથ સીરિઝની બીજી ટેસ્ટ પરંતુ ભારતીય ટીમની […]

Continue Reading