GSTના દરોમાં ફેરફાર થતા હાલની ટેક્સ્ટાઇલ પોલિસીમાં ૪ વર્ષનો વધારો

રાજ્યના મહત્ત્વના ઉદ્યોગ ટેક્સ્ટાઇલ ઇન્ડસ્ટ્રિઝ માટે સરકારે જાહેર કરેલી પોલિસીની રાહતો-પ્રોત્સાહનોનો સમયગાળો ૮ વર્ષથી વધારીને ૧૨ વર્ષ કરવાનો સરકારે નિર્ણય લીધો છે. જેની પાછળનું કારણ GSTનો અમલ થતા વેરાના દરોમાં ફેરફાર છે. સરકારે આ પોલિસી ૨૦૧૨માં જાહેર કરી હતી ત્યારે વેટના દરો મુજબ જે રાહત મળતી હતી તે ૨૦૧૭માં GSTના અમલીકરણ પછી વેરાના દરમાં ફેરફાર […]

Continue Reading

પત્ની ઋતિકની ફેન હોવાથી ઈર્ષામાં પતિએ તેની હત્યા કરી, પોતે પણ આત્મહત્યા કરી લીધી

અમેરિકામાં મૂળ ભારતીય એક વ્યક્તિએ તેની પત્નીની ચાકુ વડે હત્યા કરી અને ત્યારબાદ પોતે પણ આત્મહત્યા કરી દીધી હતી. મીડિયા રિપોર્ટ્સના જણાવ્યા પ્રમાણે, ડેને ડોઝોય(27) ભારતીય અભિનેતા ઋતિક રોશનને પસંદ કરતી હતી. પતિ દિનેશ્વર બુધિદાત આ વાતથી નારાજ હતો અને આ વાતથી હેરાન થઈને તેને ડેઝોયની હત્યા કરી દીધી હતી. દિનેશ્વર બારટેન્ડરનું કામ કરતો હતો. […]

Continue Reading

લતા મંગેશકરની સ્થિતિ નાજુક, ફેફસામાં ઈન્ફેક્શન થયા બાદ ICUમાં દાખલ કરવામાં આવ્યા

ભારતરત્ન લતા મંગેશકરની તબિયત બીજા દિવસે પણ નાજુક છે. તેઓ હાલમાં આઈસીયુમાં દાખલ છે. સોમવારના (11 નવેમ્બર) રોજ તેમણે શ્વાસ લેવામાં તકલીફ હોવાની ફરિયાદ કરી હતી અને ત્યારબાદ તેમણે બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. સૂત્રોના મતે, લતા મંગેશકરની તબિયત ચિંતાજનક છે. તેમના પર દવાઓની અસર ધીમે-ધીમે થઈ રહી છે. તેમને ફેફસામાં ઈન્ફેક્શન થયું […]

Continue Reading

વડાપ્રધાન મોદી વિરુદ્ધ નિવેદન બદલ શશી થરુર સામે વોરંટ જારી

વડાપ્રધાન મોદી વિશે નિવેદન આપવા બદલ દિલ્હીની રાઉઝ એવન્યૂ કોર્ટે મંગળવારે કોંગ્રેસ નેતા શશી થરુર વિરુદ્ધ જામીનપાત્ર વોરંટ જારી કર્યું હતું. હકીકતમાં આ કેસમાં થરુર કોર્ટમાં હાજર નહીં રહ્યા હોવાથી આ વોરંટ જારી કરાયું હતું. થરુરે 29 ઓક્ટોબર 2018ના રોજ બેંગલુરુ લિટરેચર ફેસ્ટિવલમાં કહ્યું હતું કે, ‘મોદી શિવલિંગ પર બેઠેલા કાચબા જેવા છે. તમે તેને […]

Continue Reading

રાષ્ટ્રપતિ શાસન લગાવીને લોકશાહી અને બંધારણની મજાક ઉડાવાનો પ્રયાસ: અહમદ પટેલ

મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લગાવી દેવામાં આવ્યું છે. આજે મુંબઈ ખાતે કોંગ્રેસ-NCP નેતાઓની બેઠક યોજાય જેમાં રાજ્યમાં સરકારના ગઠન પર ચર્ચા થઈ. મીટિંગ બાદ પત્રકાર પરિષદમાં પટેલે કહ્યું કે, શિવસેનાએ 11 નવેમ્બરે અમારી સાથે સત્તાવાર રીતે સંપર્ક કર્યો હતો. તેમણે કહ્યું, મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લગાવીને લોકશાહી અને બંધારણની મજાક ઉડાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. કોંગ્રેસ રાષ્ટ્રપતિ […]

Continue Reading

મહારાષ્ટ્રમાં રાજકીય સસ્પેન્સ અકબંધ, અજિત પવાર કોંગ્રેસથી નારાજ છે

શિવસેના પોતાનો દાવો પુરવાર ન કરી શકતાં મહારાષ્ટ્રના રાજ્યપાલે એનસીપીને આજે રાત્રે સાડા આઠ સુધીમાં પોતાના પ્રધાન મંડળની યાદી સુપરત કરવાનો સમય આપ્યો હતો પરંતુ એ પણ શક્ય ન બને એવા અણસાર દેખાતા હતા. એનસીપીના નેતા અને શરદ પવારના ભત્રીજા અજિત પવારે કોંગ્રેસ તરફ નારાજી વ્યક્ત કરતાં કહ્યું હતું કે કોંગ્રેસ ટેકાનો પત્ર કેમ સમયસર […]

Continue Reading

લાંબી રાજકીય હલચલ બાદ અંતે મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લાગૂ

મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીના પરિણામના 19 દિવસ બાદ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગૂ થયું છે. પ્રેસિડેન્ટ રામનાથ કોવિંદની મંજુરી બાદ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગૂ કરવામાં આવ્યું છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લગાવવાની કેબિનેટની ભલામણ પર સહી કરી દીધી છે અને આ સાથે જ મહારાષ્ટ્રમાં 24 ઓક્ટોબરથી ચાલી રહેલી રાજકિય અનિશ્ચિતતાઓ પર પૂર્ણ વિરામ લાગી ચૂક્યું […]

Continue Reading

ભારતીયોના 10થી વધુ નિષ્ક્રિય ખાતાઓનું કોઈ દાવેદાર નથી, સમગ્ર રકમ સ્વિસ સરકારને ટ્રાન્સફર થઈ શકે છે

સ્વિસ બેન્કોમાં ભારતીય નાગરિકોના 10થી વધારે નિષ્ક્રીય ખાતાઓનો છેલ્લા 6 વર્ષમાં કોઈ દાવેદાર સામે આવ્યું આવ્યું નથી. ન્યૂઝ એજન્સીના જણાવ્યા પ્રમાણે, નક્કી કરાયેલી મર્યાદાની અંદર દાવા અને વિગતો નહીં થાય તો આ ખાતાઓની રકમ સ્વિત્ઝરલેન્ડ સરકારને ટ્રાન્સફર કરી દેવાશે. સ્વિસ સરકારે 2015માં બેન્કોના નિષ્ક્રિય ખાતાઓની માહિતી સાર્વજનિક કરવાની શરૂ કરી હતી. અત્યાર સુધી બંધ પડેલા […]

Continue Reading

કર્ણાટક વિધાનસભાની 15 બેઠકો માટે 5 ડિસેમ્બરે મતદાન યોજાશે, 9 નવેમ્બરે મતગણતરી

ચૂંટણી પંચે કર્ણાટકની 15 વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણીની તારીખો જાહેર કરી દીધી છે. રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી સંજીવ કુમારે કહ્યું કે, વિધાનસભાની 15 બેઠકો માટે 5મી ડિસેમ્બરે મતદાન યોજાશે, જ્યારે મતની ગણતરી 9 ડિસેમ્બરે થશે. રાજ્યમાં સોમવારે આદર્શ આચાર સંહિતા લાગુ કરી દેવાશે અને આ દિવસે ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા પણ શરૂ થઈ જશે. 18 […]

Continue Reading

દીપક ચાહરની હેટ્રિક, ભારતે ટી20 સિરીઝ જીતી લીધી

શિવમ દૂબે અને દીપક ચાહરે વેધક બોલિંગ કરીને હેટ્રિક સાથે છ વિકેટ ખેરવતાં મોહમ્મદ નઇમની મહેનત પર પાણી ફેરવી દીધું હતું અને ભારતે રવિવારે અહીં રમાયેલી ત્રીજી ટી20 ક્રિકેટ મેચમાં બાંગ્લાદેશને 30 રનથી હરાવીને ત્રણ મેચની સિરીઝ 2-1થી જીતી લીધી હતી. ભારત માટે લોકેશ રાહુલ અને શ્રેયસ ઐય્યરે પણ શાનદાર બેટિંગ કરીને અડધી સદી ફટકારી […]

Continue Reading