કોહલી બાંગ્લાદેશ સામે ટી-20 સિરીઝ નહીં રમે, રોહિત કેપ્ટન બનશેઃ અહેવાલ

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી આગામી મહિને બાંગ્લાદેશ સામે રમાનારી ત્રણ ટી-20 મેચ સિરીઝમાં ભાગ લેશે નહીં. તેને આરામ આપવાની વાત કહેવામાં આવી રહી છે. કોહલીએ આ વર્ષના જાન્યુઆરીમાં ન્યુઝીલેન્ડ સામે પાંચ વન-ડે સિરીઝમાં ત્રણ મેચમાં પણ આરામ લીધો હતો. આ ઉપરાંત ટીમના અન્ય કેટલાક સિનિયર ખેલાડીઓને પણ ટીમમાંથી બહાર રાખવામાં આવી શકે છે. […]

Continue Reading

વિદેશમંત્રીનો દાવો- મનમોહન કરતારપુર આવવા પર સહમત; અતિથિ તરીકે નહીં પરંતુ સામાન્ય વ્યક્તિની જેમ આવશે

પાકિસ્તાનના વિદેશમંત્રી શાહ મહેમૂદ કુરેશીએ દાવો કર્યો છે કે ભારતના પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહે કરતારપુર આવવાની સહમતિ આપી દીધી છે. કુરેશીએ શનિવારે કહ્યું કે મનમોહન સિંહે કોરિડોરના ઉદઘાટન સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે સામેલ થવાની જગ્યાએ સામાન્ય વ્યક્તિની જેમ આવવાની વાત કરી છે. જોકે પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ કહી ચૂક્યા છે કે મનમોહન સિંહ કોરિડોરના […]

Continue Reading

કમલેશ તિવારી હત્યાકાંડ: સુરત પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી

ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં હિંદુ સમાજ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ કમલેશ તિવારીની શુક્રવારે તેમના ઘરે બનાવવામાં આવેલા કાર્યાલયમાં કરપીણ હત્યા થઈ હતી અને બાદમાં હુમલાખોરો ફરાર થઈ ગયા હતા. કમલેશ તિવારી હત્યાકેસની ગુત્થીને પોલીસે 24 કલાકની અંદર ઉકેલી લેતા 3 આરોપીઓની સુરતમાંથી ધરપકડ કરવામાં આવી છે. શુક્રવારે કમલેશ તિવારીની ગોળી અને બાદમાં ચાકુના 13 જેટલા ઘા […]

Continue Reading

યોગી આદિત્યનાથ સરકારે ઉત્તરપ્રદેશમાં કૉલેજ અને યુનિવર્સિટીમાં મોબાઈલ પર લગાવ્યો પ્રતિબંધ

યોગી આદિત્યનાથ સરકારે ઉત્તરપ્રદેશ રાજ્યની કૉલેજ અને યુનિવર્સિટીમાં મોબાઈલ પર પ્રતિબંધ લગાવ્યો છે. ઉત્તર પ્રદેશની ઉચ્ચ શિક્ષણ વિભાગે કૉલેજમાં સ્માર્ટફોન પર પ્રતિબંધ લગાવવા સંબંધિત સરક્યૂલર જાહેર કર્યો છે. તેના અનુસાર રાજ્યની કોઈ પણ યુનિવર્સિટીમાં માત્ર વિદ્યાર્થીઓ જ નહીં શિક્ષકો પણ સ્માર્ટફોન લઈને પ્રવેશ કરી શકશે નહીં. સરકારે તમામ સરકારી અને સરકાર માન્ય સંસ્થામાં પ્રતિબંધ લગાવવાનો […]

Continue Reading

FATFથી વૉર્નિંગ મળ્યા બાદ બિપિન રાવતે બોલ્યા- હવે પાકિસ્તાન પર એક્શન લેવા દબાણ

ફાઈનાન્શિયલ એક્શન ટાર્ક ફોર્સની પાકિસ્તાનને આપવામાં આવેલ વોર્નિંગ બાદ ઈન્ડિયન આર્મી ચીફ જનરલ બિપિન રાવતે પોતાની પ્રતિક્રિયા આપી છે. જનરલ રાવતે કહ્યું કે સંસ્થા તરફથી આપવામાં આવેલ ચેતવણી બાદ હવે પાકિસ્તાન પર દબાણ છે કે તેઓ આતંકીઓ વિરુદ્ધ કાર્યવાહી કરે. એફએટીએફે શુક્રવારે પાડોસી દેશ માટે ફેબ્રુઆરી 2020 સુધીની ડેડલાઈન નક્કી કરી છે. આટલા સમયમાં પાકિસ્તાને […]

Continue Reading

PM મોદીનાં કૉંગ્રેસ પર આકરા પ્રહાર, કહ્યું- અર્થવ્યવસ્થા બગાડનારા જેલમાં, આ તો શરૂઆત છે

મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં ચૂંટણી સભા દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભ્રષ્ટાચાર, આતંકવાદ, મુંબઈ હુમલા અને આર્ટિકલ 370ને લઇને કૉંગ્રેસ સહિત વિરોધી દળો પર જોરદાર હુમલો કર્યો. પૂર્વ નાણાં મંત્રી ચિદમ્બરમ તરફ ઇશારો કરતા પીએમે કહ્યું કે, “10 વર્ષ સુધી દેશની અર્થવ્યવસ્થાને બરબાદ કરનારાઓમાંથી ઘણા લોકો જેલમાં બંધ છે. આ તો હજુ સફાઈ અભિયાનની શરૂઆત છે. આગળ […]

Continue Reading

ઉઝબેકિસ્તાનમાં ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીનું સ્વાગત કરવા માટે ઠેરઠેર બેનરો લાગ્યા

મુખ્યમંત્રી વિજય રૂપાણી આવતીકાલ તા.૧૯ ઓક્ટોબરથી પાંચ દિવસ માટે ઉઝબેકિસ્તાનના પ્રવાસે ઉચ્ચસ્તરિય ડેલિગેશન સાથે જઈ રહ્યા છે. મુખ્યમંત્રીના પ્રવાસમાં જુદી જુદી ઈન્ડસ્ટ્રીમાં પાંત્રીસ ઉદ્યોગપતિઓ પણ જોડાયા છે જેમાં ડાયમંડ તથા એન્જિનિયરિંગ અને જેમ્સ એન્ડ જ્વેલરી IT તથા ઓઇલ એન્ડ ગેસ ડેરી ઉદ્યોગ ગોલ્ડ એગ્રો તથા ઓટો જેવી ઇન્ડસ્ટ્રી નો સમાવેશ થાય છે મુખ્યમંત્રીના પ્રવાસમાં CMOના […]

Continue Reading

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ 30મી ઓકટોબરે સરકારી કર્મચારીઓ માટે રજા જાહેર કરી

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્ય સરકારની કચેરીઓ તેમજ બોર્ડ નિગમો અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની કચેરીઓમાં તારીખ ૩૦ ઑક્ટોબર ૨૦૧૯ બુધવારે રજા જાહેર કરી છે. આ રજા તારીખ ૯ નવેમ્બર ૨૦૧૯ના બીજા શનિવારની જાહેર રજાની અવેજીમાં જાહેર કરવામાં આવી છે. જેને કારણે સરકારી કચેરીઓમાં ફરજ બજાવતા કર્મચારી અધિકારીઓને દિવાળી પર્વ નિમિત્તે મીની વેકેશન મળી ગયું છે. 26મી […]

Continue Reading

દિલ્હી: પોલીસ સ્ટેશનો પર ફિદાઇન હુમલાની ચેતવણી

ભારતની ગુપ્ત એજન્સીઓ દ્વારા દિલ્હી પોલીસની ચોકી પર ફિદાઇન હુમલાની ચેતવણી આપવામાં આવી છે. ગુપ્ત એજન્સીઓની ચેતવણી મુજબ આતંકીઓ દિલ્હી પોલીસને નિશાનો બનાવી શકે છે. આ ચેતવણી પછી દિલ્હીમાં પોલીસ સ્ટેશનોની સુરક્ષામાં વધારો કરવામાં આવી રહ્યો છે. તાજેતરના અહેવાલ મુજબ દિલ્હીના 200 જેટલો પોલીસ સ્ટેશનોની સુરક્ષાની ખાસ વ્યવસ્થા કરી દેવામાં આવી હતી જ્યારે અન્ય માટે […]

Continue Reading

દિલ્હી વિધાનસભાના સ્પીકર રામ નિવાસ ગોયલને 6 માસની જેલની સજા

દિલ્હીની એક કોર્ટે દિલ્હી વિધાનસભાના સ્પીકર રામ નિવાસ ગોયલને એક બિલ્ડરના ઘરમાં ઘુસણખોરી કરવા મામલે છ માસની જેલ સજા ફટકારી છે. કોર્ટે ગયા શુક્રવારે ગોયલે આ મામલે દોષી જાહેર કર્યા છે. મુખ્ય મેટ્રોપોલિટન મજિસ્ટ્રેટ સમર વિશાલે ગોયલ અને ચાર અન્યને આ મામલે દોષી જાહેર કરતા જણાવ્યું હતું કે, રામ નિવાસ ગોયલ, સુમિત ગોયલ, હિતેશ ખન્ના, […]

Continue Reading