સેન્સેક્સમાં 3090 પોઈન્ટનો કડાકો, ભારતભરમાં એક કલાક માટે ટ્રેડિંગ બંધ

દુનિયાભરમાં જીવલેણ કોરોના વાયરસે ખતરનાક રૂપ ધારણ કરી લીધું છે. તેના વિશ્વવ્યાપી ડરના કારણે ગ્લોબલી શેર બજારોમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. અઠવાડિયાના છેલ્લા દિવસે પણ સેન્સેક્સ અને નિફ્ટી 10 ટકાથી વધારે ડાઉન થયા છે અને આ જ કારણે સમગ્ર દેશમાં એક કલાક માટે નિફ્ટીમાં કોઈ પણ સોદો નહીં કરી શકાય. નિફ્ટી સવારના સત્રમાં […]

Continue Reading

દુષ્કર્મ પીડિતાના પિતાની હત્યાના કેસમાં કુલદીપ સેંગરને 10 વર્ષની કેદ, 10 લાખ રૂપિયાનો દંડ

ઉન્નાવ દુષ્કર્મ પીડિતાના પિતાની હત્યા માટે આરોપી યુપીના પૂર્વ ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગર સહિત સાત આરોપીઓને દિલ્હીની તીસ હજારી કોર્ટે 10 વર્ષની સજા સંભળાવી છે. આ ઉપરાંત દરેક પાસેથી 10-10 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. કુલદીપ સિંહ સેંગર અને તેના ભાઈ અતુલ સેંગર પર જે 10-10 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે, આ રકમ […]

Continue Reading

કોરોનાના પગપેસારાને કારણે દિલ્હીમાં IPLની એક પણ મેચ નહીં થાય: સિસોદિયા

કોરોના વાયરસના કારણે દિલ્હીમાં આઈપીએલની એક પણ યોજવામાં નહીં આવે. દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ આજે એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે જે રમતોના કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થતા હોય તેવા તમામ કાર્યક્રમોને રદ્દ કરી દેવામાં આવ્યા છે. જે રમતો નિહાળવા માટે હજારોની સંખ્યામાં લોકો ભેગા થતા હોય તેવા એક પણ આયોજનો દિલ્હીમાં આગામી કેટલાક […]

Continue Reading

ભારત આવતી કાલથી 35 દિવસ માટે દુનિયા સાથે સંપર્કવિહોણું, ડિપ્લોમેટિક અને એમ્પલોયમેન્ટ છોડીને તમામ પ્રકારના વિઝા રદ

ઉત્તરપ્રદેશની રાજધાની લખનઉમાં કોરોના વાઈરસના પહેલા કેસની પુષ્ટી થઈ ચુકી છે. આ સાથે જ ભારતમાં કોરોના વાઈરસના કેસની સંખ્યા 69 થઈ ગઈ છે. કેનેડાથી લખનઉમાં પોતાના સંબંધીઓને મળવા આવેલી એક મહિલામાં કોરોનાની પુષ્ટી થઈ છે. જો કે, મહિલાના પતિનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. આ મહિલાને આઈસોલેશન વોર્ડમાં રાખવામાં આવી છે. બીજી બાજુ પટનાના પીએમસીએર અને […]

Continue Reading

કોરોનાનો કોહરામ: સેન્સેક્સમાં 2650 પોઇન્ટનું ગાબડુ, Niftyમાં પણ 750 પોઇન્ટ ઘટાડો

વૈશ્વિક સ્તરે કોરોના વાઇરસ પ્રબળ બનવાની સાથે અન્ય પ્રતિકૂળ અહેવાલો પાછળ અમેરિકી શેરબજારમાં આજે ફરી એકવાર 877 પોઇન્ટનું ગાબડું નોંધાયું હતું. કોરોના વાઇરસના કારણે ઇટાલીનું અર્થતંત્ર ખાડે ગયાના અહેવાલો સાથે અન્ય દેશોમાં પણ પ્રતિકૂળતા પ્રબળ બની હોવાના અહેવાલોની અમેરિકી શેરબજાર ઉપર પ્રતિકૂળ અસર થવા પામી હતી. કોરોના વાઇરસના કારણે ભારત સહિત દુનિયાભરના શેરબજારોમાં ખરાબ હાલ […]

Continue Reading

SBIમાં લઘુત્તમ બેલેન્સની જોગવાઇ હટાવાઇ, SMS સેવાનો ચાર્જ પણ દૂર કરાયો

ભારતીય સ્ટેટ બેન્ક (સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા-એસબીઆઇ)ના બચત ખાતાધારકો માટે હવે એમના ખાતામાં સરેરાશ લઘુત્તમ બેલેન્સ રાખવું અનિવાર્ય નથી. આથી હવે તેઓ ખાતામાં શૂન્ય રકમ સાથે પણ ખાતું ચાલુ રાખી શકશે. જો કે દેશની સહુથી મોટી રાષ્ટ્રીયકૃત બેન્કે એના તમામ બચત ખાતા માટે વ્યાજદર ઘટાડીને ત્રણ ટકા કરી નાખ્યો છે. સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાએ એના […]

Continue Reading

શેરબજારમાં ઐતિહાસિક કડાકા માટે આ પાંચ કારણ જવાબદાર

ભારતીય શેરબજારમાં સેન્સેક્સ ખૂલતા સાથે જ ઉંધે માથે પટકાયો છે. સેન્સેક્સમાં ઐતિહાસિક 2,600 પોઈન્ટનો કડાકો બોલી ગયો છે જ્યારે નિફ્ટી આંક બે વર્ષમાં સૌપ્રથમ વખત 10,000ની સપાટી નીચે ગયો છે. ગુરુવારના સેશનમાં ગણતરીની મિનિટોમાં જ રોકાણકારોની મૂડીમાંથી 11 લાખ કરોડનું બાષ્પિભવન થઈ ગયું છે. જ્યારે માર્ચના પ્રારંભથી અત્યાર સુધીમાં ફક્ત છ-સાત ટ્રેડિંગ સેશનમાં રોકાણકારોની સંપત્તિમાંથી […]

Continue Reading

લખનઉમાં કોરોનાનો પહેલો કેસ પોઝિટિવ, પટણામાં ચાર સંદિગ્ધ કેસ

ઉત્તર પ્રદેશના પાટનગર લખનઉમાં કોરોના વાયરસના પહેલા કેસની પુષ્ટિ થઈ છે. આ સાથે જ ભારતમાં કોરોના વાયરસના પીડિતોની સંખ્યા 61 થઈ ગઈ છે. કેનેડાથી લખનઉ પોતાના સંબંધીને મળવા માટે આવેલી મહિલામાં કોરોના વાયરસની પુષ્ટિ થઈ છે. જોકે, મહિલાના પતિનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.  કેનેડાથી ભારત આવેલી આ મહિલાને કેજીએમયુના આઈસોલેશન વોર્ડમાં રાખવામાં આવી છે. આ […]

Continue Reading

ભાજપમાં જોડાયા બાદ જ્યોતિરાદિત્યનું ભોપાલમાં જોરોશોરોથી સ્વાગત કરવાની ભવ્યાતિભવ્ય તૈયારીઓ

  ભાજપમાં સામેલ થયા બાદ જ્યોતિરાદિત્ય સિંધિયા પહેલીવાર ભોપાલ આવી રહ્યા છે. તેમના સ્વાગત માટે ભાજપના કાર્યાલયમાં ભવ્ય તૈયારી કરવામાં આવી છે. ભાજપે શહેરમાં ઠેર-ઠેર સિંધિયાના સ્વાગતના માટે પોસ્ટર લગાવવામાં આવ્યા છે. સિંધિયા દિલ્હીથી ભોપાલ પહોંચાતાની સાથે ભાજપ કાર્યાલય જશે. મળતી માહિતી પ્રમાણે સિંધિયા શુક્રવારે રાજ્યસભા માટે ઉમેદવારી પત્રક ભરવાના છે. મહત્વપૂર્ણ છે કે, સિંધિયાએ […]

Continue Reading

કોરોનાવાયરસની દહેશત : ઈઝરાયેલી PM પછી હવે ફ્રાન્સનાં રાષ્ટ્રપતિએ પણ કહ્યું ‘નમસ્તે’

કોરોનાવાયરસ ની દહેશત સમગ્ર દુનિયામાં યથાવત છે. અત્યાર સુધી 60થી વધુ દેશોમાં 1,21,161નાં દર્દીઓની ઓળખ થઈ છે. ડોક્ટરોનું માનવું છે કે આ વાયરસ લોકોનાં સંપર્કમાં આવવાના કારણે થાય છે. આ કારણ છે કે હવે લોકો હસ્તધનૂન કરવાની જગ્યાએ ભારતીય પદ્ધતિ નમસ્તેથી એકબીજાનું અભિવાદન કરી રહ્યા છે. સૌથી પહેલા ઈઝરાયેલનાં પ્રધાનમંત્રી બેંજામિન નેતન્યાહુએ પોતાના દેશના લોકોને […]

Continue Reading