જીરા ગામે કુદરતી હાજતે ગયેલા મજૂરને ગળાના ભાગેથી દબોચી 500 મીટર સુધી ઢસડી સિંહે ફાડી ખાધો, માનવભક્ષી પાંજરે પુરાયો

દલખાણીયા રેન્જના કરમદડી બીટમાં આવેલા જીરા ગામમાં ખેત મજૂર કદુભાઇ મોતીભાઇ ભીલાડ (ઉ.વ.55) કુદરતી હાજતે ગયો હતો. પરંતુ અચાનક પાછળથી આવેલા સિંહે ગળાના ભાગેથી દબોચી 500 મીટર સુધી ઢસડી જઇ ફાડી ખાધો હતો. ઠંડીને કારણે ઓઢેલી શાલ લોહીથી લથબથ મળી આવી હતી. તેમજ મજૂરનું પેન્ટ પણ લોહીના ડાઘ સાથે મળી આવ્યું હતું. ઘટનાસ્થળે લોહીથી ભરેલા […]

Continue Reading

‘હેલ્લારો’ની 13 એક્ટ્રેસિસને સ્પેશિયલ જ્યૂરી એવોર્ડ, અમિતાભને 29 ડિસેમ્બરે ફાળકે સન્માન મળશે

66મા નેશનલ એવોર્ડ નવી દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે યોજાઈ ગયા. એવોર્ડ ઉપ રાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુએ આપ્યાં હતાં. આ પ્રસંગે માહિતી તથા પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકર, સચિવ રવિ મિત્તલ, જ્યૂરી પ્રમુખ રાહુલ રવૈલ, ઉત્પલ બોરપુજારી, ફિરદૌસુલ હસન, અશોક દુબે તથા વિનર્સ હાજર રહ્યાં હતાં. આ વર્ષે ઓગસ્ટમાં નેશનલ એવોર્ડની જાહેરાત કરવામાં આવી હતી. વિજેતાઓને સ્વર્ણ […]

Continue Reading

10 દિવસમાં કરોડો તીડનું ટોળું 150 કિમી સુધી ગુજરાતમાં ઘૂસ્યું, ગાંધીનગર સુધી પણ ત્રાટકી શકે

ગુજરાતમાં તીડનું આક્રમણ વધી રહ્યું છે. ખાસ કરીને બનાસકાંઠાના વાવથી 10 દિવસ પહેલા ઘૂસેલું કરોડો તીડનું ટોળું ધીમે-ધીમે પાટણ થઈને મહેસાણાના સતલાસણા સુધી પહોંચી ગયું છે. એટલે કે, તીડનું આક્રમણ 150 કિમી સુધી આવી ગયું છે. હજુ તીડના આક્રમણ પર અંકુશ મૂકવામાં નહીં આવે તો માત્ર 100 કિમી દૂર ગાંધીનગર સુધી તીડનું ટોળું પહોંચી શકે […]

Continue Reading

મંદિરના પુજારીમાંથી કેન્યામાં રૂ. 5000 કરોડનું બિઝનેસ એમ્પાયર ઉભું કરતાં સુરેન્દ્રનગરના નરેન્દ્ર રાવલ

આપણી આસપાસ ‘રંકમાંથી અમીર’ થયેલા લોકોનાં અનેક ઉદાહરણો હશે, પરંતુ ગુજરાતમાં સુરેન્દ્રનગર જીલ્લાના એક નાનકડા ગામ માથકમાં જન્મેલા નરેન્દ્ર રાવલનું જીવન અને તેનો ઘટના ખૂબ જ પ્રેરણાદાયક છે. એવા સમયે કે જ્યારે માત્ર એક ટંકનુ ભોજન લકઝરી ગણાતુ હતું, એવી સ્થિતિમાંથી આફ્રિકાના સફળ ઉદ્યોગ સાહસિક બનવાની વાત તેમના વિશે ઘણું બધુ કહી જાય છે. આજે […]

Continue Reading

પાકિસ્તાની, બાંગ્લાદેશી અને અફઘાની પ્રવાસીઓને દેશ બહાર ફેંકી દેવા જોઇએ: રાજ ઠાકરે

દેશભરમાં નાગરિકતા કાયદાના વિરોધ વચ્ચે મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના અધ્યક્ષ રાજ ઠાકરેએ કેન્દ્ર સરકાર નીતિ વિરુદ્ધ નિવેદન કર્યું છે. શનિવારે રાજ ઠાકરેએ જણાવ્યું કે ગેરકાયદેસર રીતે પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનથી આવીને ભારતમાં વસેલા પ્રવાસીઓને ઉઠાવી બહાર દેશ બહાર ફેંકી દેવા જોઇએ, કારણ કે તેઓ દેશ પર બિનજરુરી બોજા સમાન છે.  મીડિયા સાથે વાતચીતમાં રાજ ઠાકરેએ આકરી […]

Continue Reading

પૂર્વ ક્રિકેટર અને ભાજપ સાંસદ ગૌતમ ગંભીરને જાનથી મારી નાંખવાની ધમકી

નાગરિકતા બિલના થઈ રહેલા વિરોધ વચ્ચે ભાજપના દિલ્હીના સાંસદ અને પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીરને જાનથી મારી નાંખવાની ધમકી મળી છે. ગંભીરે પોલીસને આ અંકે પત્ર લખીને જાણકારી આપી છે.જેમાં ગંભીરે કહ્યુ છે કે, એક ઈન્ટરનેશનલ નંબર પરથી આવેલા ફોન કોલમાં મને અને મારા પરિવારને મારી નાંખવાની ધમકી આપવામાં આવી છે. આ મામલે મારી ફરિયાદ નોંધીને […]

Continue Reading

યુપીમાં હિંસક પ્રદર્શનમાં 11ના મોત, 10000 લોકો સામે પોલીસ કેસ

નાગરિકતા સંશોધન એક્ટ સામે યુપીમાં હિંસક પ્રદર્શનમાં અત્યાર સુધીમાં 11 લોકોના મોત થઈ ચુક્યા છે.બીજી તરફ 10000 લોકો સામે પોલીસે હિંસા ફેલાવવા બદલ ફરિયાદો કરી છે. લખનૌમાં ઈન્ટરનેટ સેવાઓ ફરી શરુ કરાઈ છે.ગઈકાલે પોલીસે 3000 લોકની અટકાયત કરી હતી.જોરે રાજ્યના 21 જિલ્લાઓમાં શનિવારે મધરાત સુદી ઈન્ટરનેટ બંધ કરાયુ છે. યુપી સરકારે તોફાનો કરીને સાર્વજનિક સંપત્તિને […]

Continue Reading

નાગરિકતા કાયદાના વિરોધમાં થયેલી હિંસાથી રેલવેને 88 કરોડનું નુકસાન

નાગરિકતા અંગેના નવા કાયદાના વિરોધમાં કર્ણાટકમાં થયેલી હિંસાના પગલે ભારતીય રેલવેને 88 કરોડનું નુકસાન થયું હોવાનો અંદાજ મૂકવામાં આવ્યો હતો. આ સંદર્ભમાં કર્ણાટક પોલીસે ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને કોંગ્રેસના નેતા સિદ્ધારામૈયાને કાયદેસરની નોટિસ મોકલી હતી. દરમિયાન આજે સવારે રાજ્યના મુખ્ય પ્રધાન યેદીયુરપ્પા મેંગલોર જવા રવાના થયા હતા. એ પહેલાં તેમણે મીડિયા સાથે વાત કરતાં કહ્યું […]

Continue Reading

હાઇકોર્ટનો સરકારને આદેશ- મરી ગયેલા ચારેય આરોપીઓનું દિલ્હી એમ્સના મેડિકલ બોર્ડ દ્વારા ફરી PM કરાવો

તેલંગાણા હાઇકોર્ટે હૈદરાબાદ એન્કાઉન્ટરમાં મોતને ભેટેલા દુષ્કર્મ અને હત્યાના ચારેય આરોપીઓનું ફરી પોસ્ટમોર્ટમ કરવાના આદેશ આપ્યા છે. કોર્ટે શનિવારે કહ્યું કે રાજ્ય સરકાર તેના માટે દિલ્હી એમ્સને એક મેડિકલ બોર્ડ બનાવવાની અપીલ કરે જેમાં ત્રણ ફોરેન્સિક એક્સપર્ટ્સ સામેલ હોય. આ પહેલા સુપ્રીમ કોર્ટે એન્કાઉન્ટરની તપાસ માટે એક આયોગનું ગઠન કરીને મૃતદેહોને સુરક્ષિત રાખવાનો આદેશ આપ્યો […]

Continue Reading

કાંકરિયા કાર્નિવલ પહેલા અટલ એક્સપ્રેસ, બલૂન સહિતની રાઈડ્સ શરૂ થશે, બે દિવસમાં મંજૂરી અપાશે

25થી 31 ડિસેમ્બર સુધી કાંકરિયા લેક ખાતે કાંકરિયા કાર્નિવલ શરૂ થવા જઈ રહ્યો છે. કાંકરિયાનું આકર્ષણ એવી તમામ રાઈડ્સ હાલમાં બંધ હાલતમાં છે જે કાંકરિયા કાર્નિવલ પહેલા શરૂ થઈ જશે. કાંકરિયાની મિની ટ્રેન અટલ એક્સપ્રેસ, બલૂન અને એમ્યુઝમેન્ટ પાર્ક 24 ડિસેમ્બર સુધીમાં શરૂ થઈ જશે. કાંકરિયા ઝુના ડાયરેકટર આર.કે. સાહુએ વાતચીતમાં જણાવ્યું હતું કે રાઈડ્સના […]

Continue Reading