ઘરમાંથી 36 મણ સોનું નીકળશે કહી વિધી કરનાર મહારાજે જમીન દલાલને અઢી કરોડનો ચુનો લગાવ્યો

કામરેજમાં રહેતા એક જમીન દલાલ સાથે એક મહારાજે અઢી કરોડનો ચુનો ચોપડી દીધો હતો. જમીન દલાલને એક મહારાજે કહ્યું કે તમારા ઘરમાંથી 36 મણ સોનું નીકળશે, અઢળક ધનની લાલચે જમીન દલાલ મહારાજની વાતોમાં આવી ગયા જેથી વિધિ માટે ચાર મિત્રોએ ભેગા મળીને 2.40 કરોડનું 5 કિલો 200 ગ્રામ સોનાના બિસ્કીટ ગુરૂ મહારાજ અને તેના શિષ્યને […]

Continue Reading

દિવાળીના તહેવારોમાં પણ કમોસમી વરસાદની આગાહી, સૌરાષ્ટ્ર-કચ્છમાં ઝાપટાં પડશે

દિવાળીમાં કમોસમી વરસાદને લઈ હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરાઈ છે. અરબી સમુદ્રમાં લો-પ્રેશર સિસ્ટમ સર્જાતા વાવાઝોડું ફૂંકાઈ શકે છે. નૈઋત્ય ભારતના દરિયાકાંઠાના વિસ્તારોમાં થઈને આ વાવાઝોડું અરબી સમુદ્ર તરફ ફંટાઈ શકે છે. આ કારણથી આગામી પાંચેક દિવસમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં સામાન્યથી ભારે વરસાદની શક્યતા છે. આની સૌથી વધુ અસર […]

Continue Reading

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી દિલીપ પરીખનું નિધન, 128 દિવસ માટે CM પદ સંભાળ્યું હતું

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી દિલીપ પરીખનું 82 વર્ષની વયે નિધન થયું છે. તેઓ ગુજરાતના 13માં મુખ્યમંત્રી હતા અને 128 દિવસ માટે મુખ્યમંત્રી રહ્યાં હતા. 1990માં તેઓ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના પ્રેસિડન્ટ હતા, એ જ સમયે તેઓ પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાના સંપર્કમાં આવ્યા હતા. 1995માં વિધાનસભાની ચૂંટણી ભાજપ તરફથી લડ્યા હતા અને જીત્યા હતા.

Continue Reading

આશિષ ભાટિયાને અમદાવાદ પોલીસ કમિશનરનો ચાર્જ સોંપાયો

ગુજરાત કેડરના 1985ના બેચના IPS એ.કે. સિંઘની દિલ્હીમાં નેશનલ સિક્યુરિટી ગાર્ડ (NSG)ના ડાયરેક્ટર જનરલ (DG)તરીકે પ્રતિનિયુક્તિ પર જતા અમદાવાદ પોલીસ કમિશનર તરીકેનો ચાર્જ હાલ CID ક્રાઈમના વડા તરીકે ફરજ બજાવતા આશિષ ભાટિયાને સોંપવામાં આવ્યો છે. DivyaBhaskarએ ફરી એકવાર અગ્રેસર રહીને અમદાવાદ પોલીસ કમિશનર તરીકેનો ચાર્જ આશિષ ભાટિયા જ સંભાળશે તેવું જણાવ્યું હતું. એકે સિંઘ આજે […]

Continue Reading

સુરતના હીરાના કારીગરોએ યુ ટ્યુબ વીડિયો જોઇને બનાવટી નોટો છાપવાનુ શરૂ કર્યું, વડોદરા SOGએ 5ની ધરપકડ કરી

સુરતના હીરાના વેપારમાં ખરેખર મંદીને પગલે હીરાના કારીગરો ભોગ બની રહ્યાં છે, જેનો કિસ્સો સામે આવ્યો છે. હીરાના કારખાનાઓમાં મંદીના કારણે કામ ન હોવાથી સુરતના 5 હીરાના કારીગરોએ યુ ટ્યુબ પર વીડિયો જોઇને 4 મહિનાથી નોટો છાપવાનુ શરૂ કર્યું હતુ. આ બનાવટી નોટો વડોદરાના બજારમાં ફરતી કરનાર બે શખ્સોની એસઓજીએ બે દિવસ પહેલાં ધરપકડ કરી […]

Continue Reading

અરબી સમુદ્રમાં આગામી 48 કલાકમાં સર્જાનારું વાવાઝોડું દિવાળી બગાડશે!

અરબી સમુદ્રમાં સર્જાયેલું એક લો પ્રેશર ડિપ્રેશનમાં પરિણમ્યા બાદ હવે આગામી 48 કલાક દરમિયાન વાવાઝોડામાં પરિણમવાની હવામાન વિભાગે આગાહી કરી છે. આ સાઈકલોનિક સર્ક્યુલેશન આરંભમાં પૂર્વ ઉત્તરીય દિશામાં આગળ વધશે અને ત્યાર બાદ પિૃમ ઉત્તર પિૃમ દિશામાં આગળ વધવાની શકયતા છે. આ સિસ્ટમને કારણે કોંકણ, ગોવા, મહારાષ્ટ્ર તેમજ ગુજરાતના તટીય વિસ્તારોમાં વરસાદ રહેશે. ખાસ કરીને […]

Continue Reading

અમદાવાદનું ‘ટાઈમ્સ સ્કવેર’બની રહ્યું છે ‘લાલદરવાજા’, રોજના 2 લાખ લોકો ખરીદી કરવા આવે છે

દિવાળી આડે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે જોરદાર ખરીદીનો માહોલ જામી ગયો છે. અમેરિકાના ન્યુયોર્કના ટાઈમ્સ સ્ક્વેયર કરતા પણ મોટું માર્કેટ તેવું અમદાવાદનું આપણું લાલ દરવાજા. લાલ દરવાજા બજાર ન્યુયોર્કનાં ટાઈમ સ્કવેર કરતાં પણ મોટું માર્કેટ છે. 2 કિમીનાં વિસ્તારમાં લગભગ ચાર હજાર પાથરણાંવાળા અને એક હજાર જેટલી દુકાનો છે. અહીં દુનિયાની બધી જ […]

Continue Reading

અરબી સમુદ્રમાં સક્રિય લો પ્રેશર સિસ્ટમનાં કારણે રાજ્યમાં મેઘો વિફર્યો, ખેડૂતોને પડતા પર પાટુ

દિવાળી પૂર્વે સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદ પડયો હતો. જૂનાગઢ જિલ્લાના માળીયાહાટીના, કેશોદમાં બે, માંગરોળ, વંથલી, સાવરકુંડલા, માધવપુરમાં એક ઈંચ વરસાદ પડયો હતો. કમોસમી વરસાદના કારણે મગફળી સહિતના પાકોને નુકસાન પહોચ્યું છે. જૂનાગઢ જિલ્લાના માળીયાહાટીના અને કેશોદમાં બે ઈંચ વરસાદ પડયો હતો. જેના કારણે ઉભા પાકને નુકસાન પહોચ્યું છે. જયારે વથલી, માંગરોળમાં 1 ઈંચ અને વિસાવદરમાં 15મીમી […]

Continue Reading

ગુજરાત ST દિવાળીના તહેવારોને પગલે આજથી 27મી સુધી ભાડા વધારા વગર એકસ્ટ્રા બસ દોડાવશે

ગુજરાત રાજય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા દિવાળીના તહેવારોને અનુલક્ષીને એકસ્ટ્રા બસો દોડાવાશે. કોઈપણ પ્રકારના ભાડા વધારા વગર પ્રવર્તમાન ભાડાએ જ મુસાફરો પોતાના વતન જઈ શકશે. આજથી એટલે કે 22મી ઓક્ટોબરથી 27મી ઓક્ટોબર સુધી એકસ્ટ્રા બસો દોડાવાશે. તમામ એકસ્ટ્રા સંચાલન અન્વયેની સર્વિસો માટે કાઉન્ટર ઉપરાંત www.gsrtc.in ઉપરથી મુસાફરો ઓનલાઈન બુકિંગ પણ કરી શકશે. ગયા વર્ષે […]

Continue Reading

યુવતીને બચાવવા રિવરફ્રન્ટ ગાર્ડનનો સિક્યુરિટી ગાર્ડ નદીમાં કૂદયો, બંનેના મોત

રાજસ્થાનથી બેંકની પરીક્ષા આપવા આવેલી યુવતીએ સુભાષબ્રિજ પાસે રિવરફ્રન્ટ ગાર્ડન તરફથી સાબરમતી નદીમાં ઝંપલાવ્યું હતું. ત્યારે ત્યાં ફરજ પર હાજર સિક્યુરિટી ગાર્ડ યુવતીને બચાવવા નદીમાં પડ્યો હતો. જો કે બન્ને જણાના ડૂબી જવાથી મોત થયાં હતાં. ફાયર બ્રિગેડની રેસ્કયૂ ટીમે બન્ને જણાના મૃતદેહ બહાર કાઢ્યા હતાં. દરમિયાન આ ઘટનાથી 200 મીટર દૂર એક યુવતી નદીમાં […]

Continue Reading